Corona Virus in India : એક દિવસમાં Coronaના નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 15:38:22

કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1296 થઈ ગયો છે. 

ભારતમાં કોરોના વાઇરસનો સૌથી મોટો ઉછાળો ક્યારે આવશે અને ક્યારથી કેસ ઘટશે? -  BBC News ગુજરાતી


દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ         

2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે. 

Decrease in transition but death still remains, with 116 new cases of corona  reported in the last 24 hours with 4 patient deaths | સંક્રમણમાં ઘટાડો પણ  મૃત્યુ યથાવત, 2 દર્દીના મોત


એક દિવસમાં કોરોનાના નોંધાયા 312 નવા કેસ!     

જો એવું આપણે માનીએ છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે તો આપણે ખોટા છીએ. કોરોનાથી સંક્રમિત આજે પણ લોકો થઈ રહ્યા છે માત્ર પ્રમાણ ઓછું છે. પહેલા રોજના હજારો કેસ આવતા હતા પરંતુ આજે 500 જેટલા કે તેની આસપાસ કેસ નોંધાય છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં એક દિવસમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે. 



જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો   

આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.