Corona Virus in India : એક દિવસમાં Coronaના નોંધાયા આટલા કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 15:38:22

કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1296 થઈ ગયો છે. 

ભારતમાં કોરોના વાઇરસનો સૌથી મોટો ઉછાળો ક્યારે આવશે અને ક્યારથી કેસ ઘટશે? -  BBC News ગુજરાતી


દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ         

2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે. 

Decrease in transition but death still remains, with 116 new cases of corona  reported in the last 24 hours with 4 patient deaths | સંક્રમણમાં ઘટાડો પણ  મૃત્યુ યથાવત, 2 દર્દીના મોત


એક દિવસમાં કોરોનાના નોંધાયા 312 નવા કેસ!     

જો એવું આપણે માનીએ છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે તો આપણે ખોટા છીએ. કોરોનાથી સંક્રમિત આજે પણ લોકો થઈ રહ્યા છે માત્ર પ્રમાણ ઓછું છે. પહેલા રોજના હજારો કેસ આવતા હતા પરંતુ આજે 500 જેટલા કે તેની આસપાસ કેસ નોંધાય છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં એક દિવસમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે. 



જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો   

આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.