રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 143 કેસ, એક બાળકીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-23 20:40:59

ગુજરાતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે 23 માર્ચના રોજ કોવિડ 19ના નવા 262  કેસ નોંધાયા છે, આજે 146 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે, રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ, છેલ્લા 2 દિવસમાં જ કોરોના વાયરસના કેસમાં 148 ટકા જેટલો વધારો થયો છે. 


રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1179 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોના મોત થયા છે.


વિવિધ જિલ્લામાં કેટલા કેસ?


રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 143 કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 21 કેસ નોંધાયા છે. રાજકોટમાં 22 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 19 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 6 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ અને નવાસારીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી, ભાવનગર, જામનગર, જુનાગઢ, ખેડા, પાટણ, સાબારકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.