ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ, 123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, કચ્છમાં 1 દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-30 21:58:02

ગુજરાતમાં કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ઊંઘ હરામ કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381  કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ  123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે કચ્છમાં એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. આજે 269 દર્દીઓ સાજા થયા છે અને હાલ 06 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે. 


કોરોનાના કુલ 2247 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1849 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,563 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11054 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં નવા 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 23 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 35 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. જૂનગાઢમાં 2 કેસ, મહેસાણામાં નવા 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 7 કેસ નવા નોંધાયા છે. કચ્છમાં 2કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં વધુ 3 કેસ નોંધાયા છે. આણંદમાં 9 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 3 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં વધુ 11 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 4 કેસ નોંધાયા છે. જામનગરમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, ભરૂચમાં 8 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 1 કેસ, નવસારીમાં 5 કેસ, દાહોદમાં 1 કેસ,, મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


CM  ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક


રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાઈ લેવલ મિટિંગ યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગમાં રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.