ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ, 123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, કચ્છમાં 1 દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-30 21:58:02

ગુજરાતમાં કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ઊંઘ હરામ કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381  કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ  123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે કચ્છમાં એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. આજે 269 દર્દીઓ સાજા થયા છે અને હાલ 06 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે. 


કોરોનાના કુલ 2247 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1849 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,563 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11054 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં નવા 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 23 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 35 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. જૂનગાઢમાં 2 કેસ, મહેસાણામાં નવા 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 7 કેસ નવા નોંધાયા છે. કચ્છમાં 2કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં વધુ 3 કેસ નોંધાયા છે. આણંદમાં 9 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 3 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં વધુ 11 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 4 કેસ નોંધાયા છે. જામનગરમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, ભરૂચમાં 8 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 1 કેસ, નવસારીમાં 5 કેસ, દાહોદમાં 1 કેસ,, મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


CM  ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક


રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાઈ લેવલ મિટિંગ યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગમાં રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.