આ હદે ભ્રષ્ટાચાર...! Arvalliના બાયડથી સામે આવ્યો એક વીડિયો જેમાં હેન્ડ પંપ તો નાખી દીધો પરંતુ.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-10-01 16:12:38

ભ્રષ્ટાચાર... આ શબ્દ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં જો કોઈ પણ  કામ કરાવું હોય તો પહેલા પૈસા આપવા પડે અને પછી જ કામ થાય.. આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. અનેક યોજનાઓ એવી છે જેની કામગીરી ચોપડા પર 100 ટકા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વાસ્તવિક્તામાં ત્યાં કંઈ ના હોય.. નલ સે જલમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ત્યારે અરવલ્લીના બાયડથી એક વીડિયો સામે આવ્યો જેમાં હેન્ડ પંપ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બોર જ નથી મૂકવામાં આવ્યો.. પીવાના પાણી માટે લગાવવામાં આવેલા હેન્ડ પંપમાં બોર જ નથી કરાયો.... સ્થાનિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકો સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે. 

હેન્ડપંપ તો નાખ્યો પરંતુ...

અનેક વખત કામગીરીની પોલ ખુલી જતી હોય છે... સરકારી ચોપડા પર કામગીરી પૂર્ણ બતાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે.. નલ સે જલ યોજનામાં નળ તો મૂકી દીધા પરંતુ પાણી આવતું ન હતું.. ઘરોમાં પાણી નળ દ્વારા મળે તેવી વાતો ઘણી વખત સાંભળી હશે પરંતુ વાસ્તવિક્તા શું છે તેની ખબર છે આપણને.. અરવલ્લીના બાયડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો હેન્ડ પંપને ઉખાડી નાખે છે અને દેખાડે છે કે તેની નીચે કાંઈ છે જ નહીં.. હેન્ડ પંપ શોભાના ગાંઠિયા સમાન છે.. હેન્ડ પંપની નીચે બોર જ નથી કરવામાં આવ્યો જેને કારણે પાણી આવતું નથી....


સિસ્ટમમાં હદ કરતા વધારે વધી ગયો છે ભ્રષ્ટાચાર 

ગ્રામજનોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા આચરવામાં આવ્યો છે.. ઉપરાંત કાગળ પર 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.. સરકારી ચોપડે તો કામ પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી કરવામાં આવતું.. જાગૃત નાગરિકે આની પોલ ખોલી છે.. ઉલ્લેખનિય છે કે ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે કંઈ પણ નાનું કામ કેમ ના કરાવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે.. સિસ્ટમમાં સડો ઘૂસી ગયો છે અને આ ભ્રષ્ટાચાર સિસ્ટમને ખાઈ રહ્યો છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.