આ હદે ભ્રષ્ટાચાર...! Arvalliના બાયડથી સામે આવ્યો એક વીડિયો જેમાં હેન્ડ પંપ તો નાખી દીધો પરંતુ.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-10-01 16:12:38

ભ્રષ્ટાચાર... આ શબ્દ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં જો કોઈ પણ  કામ કરાવું હોય તો પહેલા પૈસા આપવા પડે અને પછી જ કામ થાય.. આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. અનેક યોજનાઓ એવી છે જેની કામગીરી ચોપડા પર 100 ટકા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વાસ્તવિક્તામાં ત્યાં કંઈ ના હોય.. નલ સે જલમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ત્યારે અરવલ્લીના બાયડથી એક વીડિયો સામે આવ્યો જેમાં હેન્ડ પંપ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બોર જ નથી મૂકવામાં આવ્યો.. પીવાના પાણી માટે લગાવવામાં આવેલા હેન્ડ પંપમાં બોર જ નથી કરાયો.... સ્થાનિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકો સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે. 

હેન્ડપંપ તો નાખ્યો પરંતુ...

અનેક વખત કામગીરીની પોલ ખુલી જતી હોય છે... સરકારી ચોપડા પર કામગીરી પૂર્ણ બતાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે.. નલ સે જલ યોજનામાં નળ તો મૂકી દીધા પરંતુ પાણી આવતું ન હતું.. ઘરોમાં પાણી નળ દ્વારા મળે તેવી વાતો ઘણી વખત સાંભળી હશે પરંતુ વાસ્તવિક્તા શું છે તેની ખબર છે આપણને.. અરવલ્લીના બાયડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો હેન્ડ પંપને ઉખાડી નાખે છે અને દેખાડે છે કે તેની નીચે કાંઈ છે જ નહીં.. હેન્ડ પંપ શોભાના ગાંઠિયા સમાન છે.. હેન્ડ પંપની નીચે બોર જ નથી કરવામાં આવ્યો જેને કારણે પાણી આવતું નથી....


સિસ્ટમમાં હદ કરતા વધારે વધી ગયો છે ભ્રષ્ટાચાર 

ગ્રામજનોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા આચરવામાં આવ્યો છે.. ઉપરાંત કાગળ પર 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.. સરકારી ચોપડે તો કામ પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી કરવામાં આવતું.. જાગૃત નાગરિકે આની પોલ ખોલી છે.. ઉલ્લેખનિય છે કે ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે કંઈ પણ નાનું કામ કેમ ના કરાવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે.. સિસ્ટમમાં સડો ઘૂસી ગયો છે અને આ ભ્રષ્ટાચાર સિસ્ટમને ખાઈ રહ્યો છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .