મોદી પર હુમલાની યોજના બનાવનાર PFIની ઉલટી ગીનતી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 21:40:40

મોદી પર હુમલાનું ષડયંત્ર કરનાર પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ પીએફઆઈ સામે ઓક્ટોપસ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ગાળિયો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાનાર પાર્લામેન્ટના શિયાળા સત્ર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય લઈ લેવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 250થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. 


સરદારો બાદ કાર્યકર્તાઓને ત્યાં પડશે છાપા

પીએફઆઈ પર આતંકવાદીઓ પાસેથી પૈસા લેવાનો અને અનેક શહેરોમાં દંગા ફેલાવવાનો આક્ષેપ છે. આથી કેન્દ્ર સરકાર પીએફઆઈના મોટા માથાઓ પર કાર્યવાહી અને પીએફઆઈના એકાઉન્ટ બંધ કરવા કરવા માટે મથી રહી છે. અત્યાર સુધીમાં પીએફઆઈના બે મોટા લોકોના ઘરે છાપા લગાવાઈ ગયા છે. કેન્દ્ર સરકાર હવે પીએફઆઈના કાર્યકર્તાઓ પર રેડ કરવાના મૂડમાં છે. 


થોડા દિવસો પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી

NIAએ સપ્ટેમ્બર માસના શરૂઆતના સમયમાં પીએફઆઈના  તેલંગાણા, આંધ્રપ્રદેશના 40 સ્થળોએ દરોડા પાડી ચાર લોકોની અટકાયત કરી હતી. તપાસ એજન્સીએ ત્યારબાદ તેલંગાણામાં 38 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે છરીઓ અને રોકડ રૂપિયા 8,31,500 સહિતની ગુનાહિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે તમામ આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવતા હતા.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.