મોદી પર હુમલાની યોજના બનાવનાર PFIની ઉલટી ગીનતી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 21:40:40

મોદી પર હુમલાનું ષડયંત્ર કરનાર પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ પીએફઆઈ સામે ઓક્ટોપસ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ગાળિયો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાનાર પાર્લામેન્ટના શિયાળા સત્ર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય લઈ લેવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 250થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. 


સરદારો બાદ કાર્યકર્તાઓને ત્યાં પડશે છાપા

પીએફઆઈ પર આતંકવાદીઓ પાસેથી પૈસા લેવાનો અને અનેક શહેરોમાં દંગા ફેલાવવાનો આક્ષેપ છે. આથી કેન્દ્ર સરકાર પીએફઆઈના મોટા માથાઓ પર કાર્યવાહી અને પીએફઆઈના એકાઉન્ટ બંધ કરવા કરવા માટે મથી રહી છે. અત્યાર સુધીમાં પીએફઆઈના બે મોટા લોકોના ઘરે છાપા લગાવાઈ ગયા છે. કેન્દ્ર સરકાર હવે પીએફઆઈના કાર્યકર્તાઓ પર રેડ કરવાના મૂડમાં છે. 


થોડા દિવસો પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી

NIAએ સપ્ટેમ્બર માસના શરૂઆતના સમયમાં પીએફઆઈના  તેલંગાણા, આંધ્રપ્રદેશના 40 સ્થળોએ દરોડા પાડી ચાર લોકોની અટકાયત કરી હતી. તપાસ એજન્સીએ ત્યારબાદ તેલંગાણામાં 38 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે છરીઓ અને રોકડ રૂપિયા 8,31,500 સહિતની ગુનાહિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે તમામ આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવતા હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.