ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહી છે મતગણતરી


  • Published By :
  • Published Date : 2022-12-08 11:07:18

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરીની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજા મુજબ ભાજપને અંદાજીત 150થી વધુ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અંદાજીત 8 સીટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

BJP vs AAP vs Congress: What To Make Of The Chandigarh Municipal Elections

વિધાનસભાની બેઠકો પર ભાજપનો કબજો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરતા હતા. કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા ઉતાર્યા હતા. ત્યારે પ્રચારમાં ભાજપે જે મહેનત કરી છે તે સફળ થતી દેખાઈ રહી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.