ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહી છે મતગણતરી


  • Published By :
  • Published Date : 2022-12-08 11:07:18

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરીની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજા મુજબ ભાજપને અંદાજીત 150થી વધુ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અંદાજીત 8 સીટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

BJP vs AAP vs Congress: What To Make Of The Chandigarh Municipal Elections

વિધાનસભાની બેઠકો પર ભાજપનો કબજો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરતા હતા. કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા ઉતાર્યા હતા. ત્યારે પ્રચારમાં ભાજપે જે મહેનત કરી છે તે સફળ થતી દેખાઈ રહી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.