ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહી છે મતગણતરી


  • Published By :
  • Published Date : 2022-12-08 11:07:18

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરીની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજા મુજબ ભાજપને અંદાજીત 150થી વધુ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અંદાજીત 8 સીટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

BJP vs AAP vs Congress: What To Make Of The Chandigarh Municipal Elections

વિધાનસભાની બેઠકો પર ભાજપનો કબજો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરતા હતા. કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા ઉતાર્યા હતા. ત્યારે પ્રચારમાં ભાજપે જે મહેનત કરી છે તે સફળ થતી દેખાઈ રહી છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.