ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહી છે મતગણતરી


  • Published By :
  • Published Date : 2022-12-08 11:07:18

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરીની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજા મુજબ ભાજપને અંદાજીત 150થી વધુ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અંદાજીત 8 સીટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

BJP vs AAP vs Congress: What To Make Of The Chandigarh Municipal Elections

વિધાનસભાની બેઠકો પર ભાજપનો કબજો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરતા હતા. કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા ઉતાર્યા હતા. ત્યારે પ્રચારમાં ભાજપે જે મહેનત કરી છે તે સફળ થતી દેખાઈ રહી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે