ફોટાના ચક્કરમાં દંપત્તિએ જોખમમાં મૂકી જીંદગી, બાળકની સામે પાણીના પ્રવાહમાં ડૂબી ગયા માતા પિતા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 18:55:59

સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની લાલચ આજકાલ દરેક માણસમાં જોવા મળતી હોય છે. ફોટો અપલોડ કરશે તો આટલી લાઈક આવશે, લોકો કમેન્ટ કરશે તેવી ઘેલછા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ ઘણી વખત ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાય છે. જેનો ભોગ અનેક જીંદગીઓને બનવો પડતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે પતિ પત્ની પાણીના જોરદાર પ્રવાહ સાથે ફોટો પડાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેમની પુત્રી મમ્મી-મમ્મીની બુમો પાડે છે પરંતુ તેના વાલીઓ તેના અવાજને ઈગ્નોર કરે છે અને અંતે તે પાણીના તેજ પ્રવાહમાં વહી જાય છે. 

ફોટા માટે અનેક લોકો જીવને લગાવે છે દાવ પર 

તસવીરોને જોઈ આપણે જીવાઈ ગયેલી ક્ષણોને વાગોળતા હોઈએ છીએ. સુંદર પળો તસવીરોમાં જ્યારે જોઈએ ત્યારે બધા દ્રશ્યો, સિચ્યુએશન આપણી સામે આવી જતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફોટાનો ક્રેઝ દરેક વ્યક્તિમાં મુખ્યત્વે જોવા મળતો હોય છે. વધારે લાઈક મેળવવા માટે પોતાના જીવનને પણ જોખમમાં અનેક લોકો મુકતા હોય છે. પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે એક દંપત્તિ નદીના ધસમસતા પ્રવાહને નજર અંદાજ કરી પથ્થર પર બેસી ગયા છે. 


મમ્મી મમ્મી કહી બુમો પાડ્તું રહ્યું બાળક 

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં અનેક વખત દંપત્તિના માથે નદીનું પાણી આવે છે. પથ્થર પર બેસી દંપત્તિ ફોટા પડાવવામાં મશગુલ હતા. તેમની દીકરી મમ્મી-મમ્મી કરી બુમો પાડતી હતી. પરંતુ બાળકની વાત કોઈએ ન સાંભળી. અનેક વખત પાણીમાં તણાતા તેઓ બચી ગયા પરંતુ છેલ્લે એક મોટું મોજુ આવ્યું જે તેમને પોતાની સાથે લઈ ગયું. ત્યારે નદીમાં મસ્તી કરવી ન માત્ર પતિ પત્નીને ભારે પડી પરંતુ તેમની દીકરીને પણ ભારે પડી. ત્રણ જીંદગીઓ બરબાદ થઈ ગઈ. આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટના અનેક લોકો માટે સબક સાબિત થઈ શકે છે.   



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.