ફોટાના ચક્કરમાં દંપત્તિએ જોખમમાં મૂકી જીંદગી, બાળકની સામે પાણીના પ્રવાહમાં ડૂબી ગયા માતા પિતા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-15 18:55:59

સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની લાલચ આજકાલ દરેક માણસમાં જોવા મળતી હોય છે. ફોટો અપલોડ કરશે તો આટલી લાઈક આવશે, લોકો કમેન્ટ કરશે તેવી ઘેલછા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ ઘણી વખત ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાય છે. જેનો ભોગ અનેક જીંદગીઓને બનવો પડતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે પતિ પત્ની પાણીના જોરદાર પ્રવાહ સાથે ફોટો પડાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેમની પુત્રી મમ્મી-મમ્મીની બુમો પાડે છે પરંતુ તેના વાલીઓ તેના અવાજને ઈગ્નોર કરે છે અને અંતે તે પાણીના તેજ પ્રવાહમાં વહી જાય છે. 

ફોટા માટે અનેક લોકો જીવને લગાવે છે દાવ પર 

તસવીરોને જોઈ આપણે જીવાઈ ગયેલી ક્ષણોને વાગોળતા હોઈએ છીએ. સુંદર પળો તસવીરોમાં જ્યારે જોઈએ ત્યારે બધા દ્રશ્યો, સિચ્યુએશન આપણી સામે આવી જતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફોટાનો ક્રેઝ દરેક વ્યક્તિમાં મુખ્યત્વે જોવા મળતો હોય છે. વધારે લાઈક મેળવવા માટે પોતાના જીવનને પણ જોખમમાં અનેક લોકો મુકતા હોય છે. પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે એક દંપત્તિ નદીના ધસમસતા પ્રવાહને નજર અંદાજ કરી પથ્થર પર બેસી ગયા છે. 


મમ્મી મમ્મી કહી બુમો પાડ્તું રહ્યું બાળક 

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં અનેક વખત દંપત્તિના માથે નદીનું પાણી આવે છે. પથ્થર પર બેસી દંપત્તિ ફોટા પડાવવામાં મશગુલ હતા. તેમની દીકરી મમ્મી-મમ્મી કરી બુમો પાડતી હતી. પરંતુ બાળકની વાત કોઈએ ન સાંભળી. અનેક વખત પાણીમાં તણાતા તેઓ બચી ગયા પરંતુ છેલ્લે એક મોટું મોજુ આવ્યું જે તેમને પોતાની સાથે લઈ ગયું. ત્યારે નદીમાં મસ્તી કરવી ન માત્ર પતિ પત્નીને ભારે પડી પરંતુ તેમની દીકરીને પણ ભારે પડી. ત્રણ જીંદગીઓ બરબાદ થઈ ગઈ. આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટના અનેક લોકો માટે સબક સાબિત થઈ શકે છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.