ફોટાના ચક્કરમાં દંપત્તિએ જોખમમાં મૂકી જીંદગી, બાળકની સામે પાણીના પ્રવાહમાં ડૂબી ગયા માતા પિતા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-15 18:55:59

સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની લાલચ આજકાલ દરેક માણસમાં જોવા મળતી હોય છે. ફોટો અપલોડ કરશે તો આટલી લાઈક આવશે, લોકો કમેન્ટ કરશે તેવી ઘેલછા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ ઘણી વખત ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાય છે. જેનો ભોગ અનેક જીંદગીઓને બનવો પડતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે પતિ પત્ની પાણીના જોરદાર પ્રવાહ સાથે ફોટો પડાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેમની પુત્રી મમ્મી-મમ્મીની બુમો પાડે છે પરંતુ તેના વાલીઓ તેના અવાજને ઈગ્નોર કરે છે અને અંતે તે પાણીના તેજ પ્રવાહમાં વહી જાય છે. 

ફોટા માટે અનેક લોકો જીવને લગાવે છે દાવ પર 

તસવીરોને જોઈ આપણે જીવાઈ ગયેલી ક્ષણોને વાગોળતા હોઈએ છીએ. સુંદર પળો તસવીરોમાં જ્યારે જોઈએ ત્યારે બધા દ્રશ્યો, સિચ્યુએશન આપણી સામે આવી જતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફોટાનો ક્રેઝ દરેક વ્યક્તિમાં મુખ્યત્વે જોવા મળતો હોય છે. વધારે લાઈક મેળવવા માટે પોતાના જીવનને પણ જોખમમાં અનેક લોકો મુકતા હોય છે. પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે એક દંપત્તિ નદીના ધસમસતા પ્રવાહને નજર અંદાજ કરી પથ્થર પર બેસી ગયા છે. 


મમ્મી મમ્મી કહી બુમો પાડ્તું રહ્યું બાળક 

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં અનેક વખત દંપત્તિના માથે નદીનું પાણી આવે છે. પથ્થર પર બેસી દંપત્તિ ફોટા પડાવવામાં મશગુલ હતા. તેમની દીકરી મમ્મી-મમ્મી કરી બુમો પાડતી હતી. પરંતુ બાળકની વાત કોઈએ ન સાંભળી. અનેક વખત પાણીમાં તણાતા તેઓ બચી ગયા પરંતુ છેલ્લે એક મોટું મોજુ આવ્યું જે તેમને પોતાની સાથે લઈ ગયું. ત્યારે નદીમાં મસ્તી કરવી ન માત્ર પતિ પત્નીને ભારે પડી પરંતુ તેમની દીકરીને પણ ભારે પડી. ત્રણ જીંદગીઓ બરબાદ થઈ ગઈ. આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટના અનેક લોકો માટે સબક સાબિત થઈ શકે છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .