ગોધરામાં કોર્ટની કાર્યવાહી ચાલુ હતી અને આરોપીએ જજને 35,000નું કવર આપ્યું!


  • Published By :
  • Published Date : 2024-11-30 15:55:38

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે લાંચ વગર આપણે ત્યાં કામ નથી થતું, પૈસા આપો તો જ કામ થાય વગેરે વગેરે.. લાંચ આપતા અનેક લોકોના કિસ્સાઓ આપણે જોયા છે... ભ્રષ્ટાચાર શબ્દ દિવસમાં અને ન જાણે કેટલી વાર વાંચતાં હશું સમાચારોમાં સાંભળતા હોઈશું.. કોઈએ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

કોર્ટમાં જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ કરી 

સામાન્ય રીતે લાંચ રુશવતના ગુનાઓમાં એવું થતુ હોય છે કે, કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. પણ ગોધરામાં એક ભાઈએ ચાલુ કોર્ટમાં જજને લાંચ આપી ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા. તેઓના કેસની મુદતની આગામી તારીખ 12/12/2024ના રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ કોર્ટમાં જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવા ગયા જજએ તે કવર લીધું નહીં પણ હિંમત જુઓ એની 


ગોધરા ACBને જાણ કરાઈ અને...

પછી ગોધરા ACBને જાણ કરવામાં આવી અને આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ, મજૂર અદાલત, ગોધરા)ને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી 


આ માનસમાંથી ક્યારે આપણે બહાર આવીશું?

પણ આ કિસ્સામાં એક વાત તો આપણે સમજવી પડશે કે પૈસા આપીને બધુ ખરીદી શકાય એ માનસમાંથી આપણે ક્યારે બહાર આવીશું.. આજના સમયમાં પૈસો ખૂબ મહત્વનો પણ દરેક કાળમાં નૈતિકતા અને કર્તવ્યથી મોટું કશું નથી હોતું! એ આપણે સમજવું પડસે લોકો એ દ્રષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરે એ આશા.... 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?