ગોધરામાં કોર્ટની કાર્યવાહી ચાલુ હતી અને આરોપીએ જજને 35,000નું કવર આપ્યું!


  • Published By :
  • Published Date : 2024-11-30 15:55:38

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે લાંચ વગર આપણે ત્યાં કામ નથી થતું, પૈસા આપો તો જ કામ થાય વગેરે વગેરે.. લાંચ આપતા અનેક લોકોના કિસ્સાઓ આપણે જોયા છે... ભ્રષ્ટાચાર શબ્દ દિવસમાં અને ન જાણે કેટલી વાર વાંચતાં હશું સમાચારોમાં સાંભળતા હોઈશું.. કોઈએ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

કોર્ટમાં જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ કરી 

સામાન્ય રીતે લાંચ રુશવતના ગુનાઓમાં એવું થતુ હોય છે કે, કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. પણ ગોધરામાં એક ભાઈએ ચાલુ કોર્ટમાં જજને લાંચ આપી ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા. તેઓના કેસની મુદતની આગામી તારીખ 12/12/2024ના રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ કોર્ટમાં જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવા ગયા જજએ તે કવર લીધું નહીં પણ હિંમત જુઓ એની 


ગોધરા ACBને જાણ કરાઈ અને...

પછી ગોધરા ACBને જાણ કરવામાં આવી અને આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ, મજૂર અદાલત, ગોધરા)ને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી 


આ માનસમાંથી ક્યારે આપણે બહાર આવીશું?

પણ આ કિસ્સામાં એક વાત તો આપણે સમજવી પડશે કે પૈસા આપીને બધુ ખરીદી શકાય એ માનસમાંથી આપણે ક્યારે બહાર આવીશું.. આજના સમયમાં પૈસો ખૂબ મહત્વનો પણ દરેક કાળમાં નૈતિકતા અને કર્તવ્યથી મોટું કશું નથી હોતું! એ આપણે સમજવું પડસે લોકો એ દ્રષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરે એ આશા.... 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.