ગોધરામાં કોર્ટની કાર્યવાહી ચાલુ હતી અને આરોપીએ જજને 35,000નું કવર આપ્યું!


  • Published By :
  • Published Date : 2024-11-30 15:55:38

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે લાંચ વગર આપણે ત્યાં કામ નથી થતું, પૈસા આપો તો જ કામ થાય વગેરે વગેરે.. લાંચ આપતા અનેક લોકોના કિસ્સાઓ આપણે જોયા છે... ભ્રષ્ટાચાર શબ્દ દિવસમાં અને ન જાણે કેટલી વાર વાંચતાં હશું સમાચારોમાં સાંભળતા હોઈશું.. કોઈએ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

કોર્ટમાં જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ કરી 

સામાન્ય રીતે લાંચ રુશવતના ગુનાઓમાં એવું થતુ હોય છે કે, કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. પણ ગોધરામાં એક ભાઈએ ચાલુ કોર્ટમાં જજને લાંચ આપી ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા. તેઓના કેસની મુદતની આગામી તારીખ 12/12/2024ના રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ કોર્ટમાં જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવા ગયા જજએ તે કવર લીધું નહીં પણ હિંમત જુઓ એની 


ગોધરા ACBને જાણ કરાઈ અને...

પછી ગોધરા ACBને જાણ કરવામાં આવી અને આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ, મજૂર અદાલત, ગોધરા)ને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી 


આ માનસમાંથી ક્યારે આપણે બહાર આવીશું?

પણ આ કિસ્સામાં એક વાત તો આપણે સમજવી પડશે કે પૈસા આપીને બધુ ખરીદી શકાય એ માનસમાંથી આપણે ક્યારે બહાર આવીશું.. આજના સમયમાં પૈસો ખૂબ મહત્વનો પણ દરેક કાળમાં નૈતિકતા અને કર્તવ્યથી મોટું કશું નથી હોતું! એ આપણે સમજવું પડસે લોકો એ દ્રષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરે એ આશા.... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.