જયારે ઇઝરાયલે કતાર પર જ હુમલો કરી દીધો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-10 20:31:54

 પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું." 

Updates: Hamas says leaders survived Israel’s attack on Qatar’s Doha

ગઇકાલે જયારે સમગ્ર વિશ્વમાં નેપાળમાં થયેલી GEN Z ક્રાંતિની ચર્ચા હતી તો બીજી તરફ ઇઝરાયેલ દ્વારા કતરની રાજધાની દોહામાં પ્રીસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયેલનો દાવો છે કે , કતરની રાજધાની દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર આ સટીક હુમલો કરવામાં આવ્યો છે.  આ હમાસના વરિષ્ઠ નેતાઓનો  હાથ , ૭ ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા  આતંકવાદી હુમલામાં હતો . તો હમાસના ડેલિગેશનના આ પાંચ સદસ્યો કતરની રાજધાની દોહામાં અમેરિકાના પ્રસ્તાવ પર શાંતિવાર્તા માટે આવ્યા હતા. આ હુમલાને લઇને કતરના ગૃહમંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ,  " ઇઝરાયેલના આ હુમલામાં હમાસના ડેલિગેશનના ભાગ રૂપે જે પાંચ સદસ્યો આવ્યા હતા તેની સાથે , એક કતારી સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું છે." 

Qatari PM says Doha will continue mediation efforts, reserves right to  respond to Israeli attack | The Times of Israel

ભારત સરકાર દ્વારા , ઇઝરાયેલના હુમલાને લઈને કહેવામાં આવ્યું છે કે , " આજે દોહામાં થયેલા ઇઝરાયેલી હુમલાનું સંજ્ઞાન લીધું છે. આ સ્થિતિમાં ક્ષેત્રીય સુરક્ષાને લઇને અમને ચિંતા છે. ભારત સંયમ અને ડિપ્લોમસી અપનાવવા માટે અપીલ કરે છે , જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પ્રભાવિત ના થાય." આ તરફ કતરના પીએમ અલ થાનીએ કહ્યું છે કે , "ઇઝરાયેલએ એવા હથિયારોનો ઉપયોગ કર્યો છે જેને કતારી એર ડિફેન્સ રડાર પણ ના પકડી શક્યા. અમેરિકન અધિકારીઓએ અમને ઇઝરાયેલના હુમલા વિશે માત્ર ૧૦ મિનિટ પેહલા જ જાણકારી આપી હતી. " આપને જણાવી દયિકે , કતરએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થા કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે.  ઇઝરાયેલના હુમલાને લઇને વ્હાઇટહાઉસના પ્રવક્તા કેરોલીન લેવિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ઇઝરાયેલનો આ જે હુમલો છે , તે ના તો અમેરિકાના ના તો , ઇઝરાયેલના હિતો માટે ઠીક છે . મિડલ ઇસ્ટમાં કતરએ અમેરિકાનું મહત્વનું સહયોગી છે. ઇઝરાયેલના આ હુમલાની પૂર્વ જાણકારી સ્ટીવ વીટકોફ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ કતરને આપી હતી. "  ઓક્ટોબર ૭ , ૨૦૨૩ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં , ૧૨૦૦ ઇઝરાયેલી નાગરિકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૬૪૦૦૦ વધારે , પેલેસ્ટીનિયન નાગરિકોના મૃત્યુ થઇ ચુક્યા છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.