જયારે ઇઝરાયલે કતાર પર જ હુમલો કરી દીધો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-10 20:31:54

 પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું." 

Updates: Hamas says leaders survived Israel’s attack on Qatar’s Doha

ગઇકાલે જયારે સમગ્ર વિશ્વમાં નેપાળમાં થયેલી GEN Z ક્રાંતિની ચર્ચા હતી તો બીજી તરફ ઇઝરાયેલ દ્વારા કતરની રાજધાની દોહામાં પ્રીસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયેલનો દાવો છે કે , કતરની રાજધાની દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર આ સટીક હુમલો કરવામાં આવ્યો છે.  આ હમાસના વરિષ્ઠ નેતાઓનો  હાથ , ૭ ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા  આતંકવાદી હુમલામાં હતો . તો હમાસના ડેલિગેશનના આ પાંચ સદસ્યો કતરની રાજધાની દોહામાં અમેરિકાના પ્રસ્તાવ પર શાંતિવાર્તા માટે આવ્યા હતા. આ હુમલાને લઇને કતરના ગૃહમંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ,  " ઇઝરાયેલના આ હુમલામાં હમાસના ડેલિગેશનના ભાગ રૂપે જે પાંચ સદસ્યો આવ્યા હતા તેની સાથે , એક કતારી સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું છે." 

Qatari PM says Doha will continue mediation efforts, reserves right to  respond to Israeli attack | The Times of Israel

ભારત સરકાર દ્વારા , ઇઝરાયેલના હુમલાને લઈને કહેવામાં આવ્યું છે કે , " આજે દોહામાં થયેલા ઇઝરાયેલી હુમલાનું સંજ્ઞાન લીધું છે. આ સ્થિતિમાં ક્ષેત્રીય સુરક્ષાને લઇને અમને ચિંતા છે. ભારત સંયમ અને ડિપ્લોમસી અપનાવવા માટે અપીલ કરે છે , જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પ્રભાવિત ના થાય." આ તરફ કતરના પીએમ અલ થાનીએ કહ્યું છે કે , "ઇઝરાયેલએ એવા હથિયારોનો ઉપયોગ કર્યો છે જેને કતારી એર ડિફેન્સ રડાર પણ ના પકડી શક્યા. અમેરિકન અધિકારીઓએ અમને ઇઝરાયેલના હુમલા વિશે માત્ર ૧૦ મિનિટ પેહલા જ જાણકારી આપી હતી. " આપને જણાવી દયિકે , કતરએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થા કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે.  ઇઝરાયેલના હુમલાને લઇને વ્હાઇટહાઉસના પ્રવક્તા કેરોલીન લેવિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ઇઝરાયેલનો આ જે હુમલો છે , તે ના તો અમેરિકાના ના તો , ઇઝરાયેલના હિતો માટે ઠીક છે . મિડલ ઇસ્ટમાં કતરએ અમેરિકાનું મહત્વનું સહયોગી છે. ઇઝરાયેલના આ હુમલાની પૂર્વ જાણકારી સ્ટીવ વીટકોફ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ કતરને આપી હતી. "  ઓક્ટોબર ૭ , ૨૦૨૩ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં , ૧૨૦૦ ઇઝરાયેલી નાગરિકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૬૪૦૦૦ વધારે , પેલેસ્ટીનિયન નાગરિકોના મૃત્યુ થઇ ચુક્યા છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.