જયારે ઇઝરાયલે કતાર પર જ હુમલો કરી દીધો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-10 20:31:54

 પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું." 

Updates: Hamas says leaders survived Israel’s attack on Qatar’s Doha

ગઇકાલે જયારે સમગ્ર વિશ્વમાં નેપાળમાં થયેલી GEN Z ક્રાંતિની ચર્ચા હતી તો બીજી તરફ ઇઝરાયેલ દ્વારા કતરની રાજધાની દોહામાં પ્રીસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયેલનો દાવો છે કે , કતરની રાજધાની દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર આ સટીક હુમલો કરવામાં આવ્યો છે.  આ હમાસના વરિષ્ઠ નેતાઓનો  હાથ , ૭ ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા  આતંકવાદી હુમલામાં હતો . તો હમાસના ડેલિગેશનના આ પાંચ સદસ્યો કતરની રાજધાની દોહામાં અમેરિકાના પ્રસ્તાવ પર શાંતિવાર્તા માટે આવ્યા હતા. આ હુમલાને લઇને કતરના ગૃહમંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ,  " ઇઝરાયેલના આ હુમલામાં હમાસના ડેલિગેશનના ભાગ રૂપે જે પાંચ સદસ્યો આવ્યા હતા તેની સાથે , એક કતારી સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું છે." 

Qatari PM says Doha will continue mediation efforts, reserves right to  respond to Israeli attack | The Times of Israel

ભારત સરકાર દ્વારા , ઇઝરાયેલના હુમલાને લઈને કહેવામાં આવ્યું છે કે , " આજે દોહામાં થયેલા ઇઝરાયેલી હુમલાનું સંજ્ઞાન લીધું છે. આ સ્થિતિમાં ક્ષેત્રીય સુરક્ષાને લઇને અમને ચિંતા છે. ભારત સંયમ અને ડિપ્લોમસી અપનાવવા માટે અપીલ કરે છે , જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પ્રભાવિત ના થાય." આ તરફ કતરના પીએમ અલ થાનીએ કહ્યું છે કે , "ઇઝરાયેલએ એવા હથિયારોનો ઉપયોગ કર્યો છે જેને કતારી એર ડિફેન્સ રડાર પણ ના પકડી શક્યા. અમેરિકન અધિકારીઓએ અમને ઇઝરાયેલના હુમલા વિશે માત્ર ૧૦ મિનિટ પેહલા જ જાણકારી આપી હતી. " આપને જણાવી દયિકે , કતરએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થા કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે.  ઇઝરાયેલના હુમલાને લઇને વ્હાઇટહાઉસના પ્રવક્તા કેરોલીન લેવિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ઇઝરાયેલનો આ જે હુમલો છે , તે ના તો અમેરિકાના ના તો , ઇઝરાયેલના હિતો માટે ઠીક છે . મિડલ ઇસ્ટમાં કતરએ અમેરિકાનું મહત્વનું સહયોગી છે. ઇઝરાયેલના આ હુમલાની પૂર્વ જાણકારી સ્ટીવ વીટકોફ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ કતરને આપી હતી. "  ઓક્ટોબર ૭ , ૨૦૨૩ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં , ૧૨૦૦ ઇઝરાયેલી નાગરિકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૬૪૦૦૦ વધારે , પેલેસ્ટીનિયન નાગરિકોના મૃત્યુ થઇ ચુક્યા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.