નેપાળમાં પીએમ કે પી શર્મા ઓલીની વિકેટ કેમ પડી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-09 15:48:31

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.  

KP Sharma Oli To Be Sworn In As Nepal's Prime Minister – The Right News

નેપાળમાં જેન ઝી દ્વારા જે સોશ્યિલ મીડિયા બેનની સામે અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે . અત્યારસુધીમાં નેપાળના સરકારના ૬ મંત્રીઓ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘુસી ચુક્યા છે. અત્યારસુધીમાં આ પ્રદર્શનમાં ૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૫૦૦ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામુ પડી ચૂક્યું છે. આમ કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચાર ખુબ મોટો મુદ્દો બનતો જાય છે. આ તણાવભરી સ્થિતિમાં , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દ્વારા , સાંજે ૬ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. ધ કાઠમંડુ પોસ્ટ મુજબ , પ્રદર્શનકારીઓએ નેપાળી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સળગાવી નાખ્યું છે. હવે પીએમ ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર , રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાંપવામાં આવી છે. 

Nepal Gen Z protests live: PM Oli resigns, Kathmandu airport closed

હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તેને લઇને કહેવામાં આવ્યું છે , " ગઈ કાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેની પર બારીકીથી અમે નજર રાખી રહ્યા છીએ. સાથે જ અમારી પ્રાર્થનાઓ મૃત પ્રદર્શનકારીઓની જોડે છે. સાથે જ ઘાયલ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે , સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે." બીજી તરફ નેપાળમાં હવે જેન ઝીના ભારે વિરોધની વચ્ચે , રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. આમ હવે નેપાળમાં પ્રદર્શનકારીઓ વધારે આક્રમકઃ બન્યા છે.  આપને જણાવી દયિકે , નેપાળમાં કે પી શર્મા ઓલીની સરકારની સામે ત્યાંના વિવિધ શહેરોમાં GEN Z ક્રાંતિ શરુ થઈ છે. આ પ્રદર્શન એટલે , કરવામાં આવી રહ્યું છે કેમ કે , નેપાળ સરકારે ૪થી સપ્ટેમ્બરના રોજ સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો સાથે જ વર્તમાન કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો છે .  પરંતુ હવે નેપાળ સરકારે પોતાનો સોશ્યિલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે તેમ છતાં , આ આક્રમક વિરોધ પ્રદર્શન GEN z દ્વારા ચાલુ જ છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે