નેપાળમાં પીએમ કે પી શર્મા ઓલીની વિકેટ કેમ પડી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-09 15:48:31

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.  

KP Sharma Oli To Be Sworn In As Nepal's Prime Minister – The Right News

નેપાળમાં જેન ઝી દ્વારા જે સોશ્યિલ મીડિયા બેનની સામે અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે . અત્યારસુધીમાં નેપાળના સરકારના ૬ મંત્રીઓ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘુસી ચુક્યા છે. અત્યારસુધીમાં આ પ્રદર્શનમાં ૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૫૦૦ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામુ પડી ચૂક્યું છે. આમ કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચાર ખુબ મોટો મુદ્દો બનતો જાય છે. આ તણાવભરી સ્થિતિમાં , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દ્વારા , સાંજે ૬ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. ધ કાઠમંડુ પોસ્ટ મુજબ , પ્રદર્શનકારીઓએ નેપાળી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સળગાવી નાખ્યું છે. હવે પીએમ ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર , રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાંપવામાં આવી છે. 

Nepal Gen Z protests live: PM Oli resigns, Kathmandu airport closed

હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તેને લઇને કહેવામાં આવ્યું છે , " ગઈ કાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેની પર બારીકીથી અમે નજર રાખી રહ્યા છીએ. સાથે જ અમારી પ્રાર્થનાઓ મૃત પ્રદર્શનકારીઓની જોડે છે. સાથે જ ઘાયલ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે , સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે." બીજી તરફ નેપાળમાં હવે જેન ઝીના ભારે વિરોધની વચ્ચે , રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. આમ હવે નેપાળમાં પ્રદર્શનકારીઓ વધારે આક્રમકઃ બન્યા છે.  આપને જણાવી દયિકે , નેપાળમાં કે પી શર્મા ઓલીની સરકારની સામે ત્યાંના વિવિધ શહેરોમાં GEN Z ક્રાંતિ શરુ થઈ છે. આ પ્રદર્શન એટલે , કરવામાં આવી રહ્યું છે કેમ કે , નેપાળ સરકારે ૪થી સપ્ટેમ્બરના રોજ સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો સાથે જ વર્તમાન કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો છે .  પરંતુ હવે નેપાળ સરકારે પોતાનો સોશ્યિલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે તેમ છતાં , આ આક્રમક વિરોધ પ્રદર્શન GEN z દ્વારા ચાલુ જ છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.