નેપાળમાં પીએમ કે પી શર્મા ઓલીની વિકેટ કેમ પડી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-09 15:48:31

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.  

KP Sharma Oli To Be Sworn In As Nepal's Prime Minister – The Right News

નેપાળમાં જેન ઝી દ્વારા જે સોશ્યિલ મીડિયા બેનની સામે અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે . અત્યારસુધીમાં નેપાળના સરકારના ૬ મંત્રીઓ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘુસી ચુક્યા છે. અત્યારસુધીમાં આ પ્રદર્શનમાં ૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૫૦૦ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામુ પડી ચૂક્યું છે. આમ કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચાર ખુબ મોટો મુદ્દો બનતો જાય છે. આ તણાવભરી સ્થિતિમાં , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દ્વારા , સાંજે ૬ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. ધ કાઠમંડુ પોસ્ટ મુજબ , પ્રદર્શનકારીઓએ નેપાળી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સળગાવી નાખ્યું છે. હવે પીએમ ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર , રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાંપવામાં આવી છે. 

Nepal Gen Z protests live: PM Oli resigns, Kathmandu airport closed

હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તેને લઇને કહેવામાં આવ્યું છે , " ગઈ કાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેની પર બારીકીથી અમે નજર રાખી રહ્યા છીએ. સાથે જ અમારી પ્રાર્થનાઓ મૃત પ્રદર્શનકારીઓની જોડે છે. સાથે જ ઘાયલ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે , સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે." બીજી તરફ નેપાળમાં હવે જેન ઝીના ભારે વિરોધની વચ્ચે , રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. આમ હવે નેપાળમાં પ્રદર્શનકારીઓ વધારે આક્રમકઃ બન્યા છે.  આપને જણાવી દયિકે , નેપાળમાં કે પી શર્મા ઓલીની સરકારની સામે ત્યાંના વિવિધ શહેરોમાં GEN Z ક્રાંતિ શરુ થઈ છે. આ પ્રદર્શન એટલે , કરવામાં આવી રહ્યું છે કેમ કે , નેપાળ સરકારે ૪થી સપ્ટેમ્બરના રોજ સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો સાથે જ વર્તમાન કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો છે .  પરંતુ હવે નેપાળ સરકારે પોતાનો સોશ્યિલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે તેમ છતાં , આ આક્રમક વિરોધ પ્રદર્શન GEN z દ્વારા ચાલુ જ છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.