નેપાળમાં પીએમ કે પી શર્મા ઓલીની વિકેટ કેમ પડી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-09 15:48:31

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.  

KP Sharma Oli To Be Sworn In As Nepal's Prime Minister – The Right News

નેપાળમાં જેન ઝી દ્વારા જે સોશ્યિલ મીડિયા બેનની સામે અને ઓલી સરકારના ભ્રષ્ટાચારની સામે જે આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો તે આજે પણ યથાવત છે . અત્યારસુધીમાં નેપાળના સરકારના ૬ મંત્રીઓ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલના ઘરમાં પ્રદર્શનકારીઓ ઘુસી ચુક્યા છે. અત્યારસુધીમાં આ પ્રદર્શનમાં ૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૫૦૦ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહમંત્રીનું પણ રાજીનામુ પડી ચૂક્યું છે. આમ કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચાર ખુબ મોટો મુદ્દો બનતો જાય છે. આ તણાવભરી સ્થિતિમાં , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દ્વારા , સાંજે ૬ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ રાખવામાં આવી છે. ધ કાઠમંડુ પોસ્ટ મુજબ , પ્રદર્શનકારીઓએ નેપાળી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ સળગાવી નાખ્યું છે. હવે પીએમ ઓલીનું બાલકોટમાં સ્થિત ઘર , રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડલ અને ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને આગ ચાંપવામાં આવી છે. 

Nepal Gen Z protests live: PM Oli resigns, Kathmandu airport closed

હવે ભારત સરકાર દ્વારા નેપાળમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તેને લઇને કહેવામાં આવ્યું છે , " ગઈ કાલથી જ નેપાળમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે તેની પર બારીકીથી અમે નજર રાખી રહ્યા છીએ. સાથે જ અમારી પ્રાર્થનાઓ મૃત પ્રદર્શનકારીઓની જોડે છે. સાથે જ ઘાયલ ઝડપથી સાજા થાય તેવી અપેક્ષા. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે , સાવધાની રાખો અને નેપાળી અધિકારીઓ દ્વારા જે પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે." બીજી તરફ નેપાળમાં હવે જેન ઝીના ભારે વિરોધની વચ્ચે , રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. આમ હવે નેપાળમાં પ્રદર્શનકારીઓ વધારે આક્રમકઃ બન્યા છે.  આપને જણાવી દયિકે , નેપાળમાં કે પી શર્મા ઓલીની સરકારની સામે ત્યાંના વિવિધ શહેરોમાં GEN Z ક્રાંતિ શરુ થઈ છે. આ પ્રદર્શન એટલે , કરવામાં આવી રહ્યું છે કેમ કે , નેપાળ સરકારે ૪થી સપ્ટેમ્બરના રોજ સોશ્યિલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો સાથે જ વર્તમાન કે પી શર્મા ઓલીની સરકારની સામે ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો છે .  પરંતુ હવે નેપાળ સરકારે પોતાનો સોશ્યિલ મીડિયા પર બેન લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે તેમ છતાં , આ આક્રમક વિરોધ પ્રદર્શન GEN z દ્વારા ચાલુ જ છે. 




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.