COVID-19: નવા 594 કેસ નોંધાયા, કેરળમાં એક દર્દીનું મોત, એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669એ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-12-22 16:18:41

દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ગુરૂવારે કોવિડ-19ના નવા 594 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311થી વધીને 2669 થઈ ગઈ છે. ભારતમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ વધી શકે છે, કેમ  કે ભારતમાં કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1ના પણ નવા કેસ સામે આવ્યા છે. JN.1 કોવિડ-19 વેરિયેન્ટ ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 


 દેશના આ રાજ્યોમાં કેસ વધ્યા


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકલા કેરળમાં 2,606 એક્ટિવ કેસ છે. 21 ડિસેમ્બરે અહીં કોરોનાના 265 નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત પણ થયું હતું. આ તરફ રાજસ્થાનના જયપુરમાં એક મહિનાનું બાળક કોરોના પોઝિટિવ મળી આવ્યું છે. તેની સારવાર ચાલી રહી છે. કર્ણાટકમાં 105 અને મહારાષ્ટ્રમાં 53 કોવિડ કેસ છે. ઘણા મહિનાઓ પછી યુપીના નોઈડામાં એક પોઝિટિવ દર્દી (54) મળી આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું હતું કે દર્દી હાલમાં નેપાળ ગયો હતો. તે હરિયાણાના ગુરુગ્રામમાં કામ કરે છે.


અન્ય દેશોમાં પણ ચિંતા વધી


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 21 કેસ છે. WHOએ JN.1નો 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ'માં સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું હતું કે અત્યારસુધીનું વિશ્લેષણ કહે છે કે હાલની વેક્સિન JN.1 વેરિયન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી. જોકે WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.