COVID-19: નવા 594 કેસ નોંધાયા, કેરળમાં એક દર્દીનું મોત, એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669એ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-12-22 16:18:41

દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ગુરૂવારે કોવિડ-19ના નવા 594 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311થી વધીને 2669 થઈ ગઈ છે. ભારતમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ વધી શકે છે, કેમ  કે ભારતમાં કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1ના પણ નવા કેસ સામે આવ્યા છે. JN.1 કોવિડ-19 વેરિયેન્ટ ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 


 દેશના આ રાજ્યોમાં કેસ વધ્યા


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકલા કેરળમાં 2,606 એક્ટિવ કેસ છે. 21 ડિસેમ્બરે અહીં કોરોનાના 265 નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત પણ થયું હતું. આ તરફ રાજસ્થાનના જયપુરમાં એક મહિનાનું બાળક કોરોના પોઝિટિવ મળી આવ્યું છે. તેની સારવાર ચાલી રહી છે. કર્ણાટકમાં 105 અને મહારાષ્ટ્રમાં 53 કોવિડ કેસ છે. ઘણા મહિનાઓ પછી યુપીના નોઈડામાં એક પોઝિટિવ દર્દી (54) મળી આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું હતું કે દર્દી હાલમાં નેપાળ ગયો હતો. તે હરિયાણાના ગુરુગ્રામમાં કામ કરે છે.


અન્ય દેશોમાં પણ ચિંતા વધી


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 21 કેસ છે. WHOએ JN.1નો 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ'માં સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું હતું કે અત્યારસુધીનું વિશ્લેષણ કહે છે કે હાલની વેક્સિન JN.1 વેરિયન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી. જોકે WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે