COVID-19: નવા 594 કેસ નોંધાયા, કેરળમાં એક દર્દીનું મોત, એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669એ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-12-22 16:18:41

દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ગુરૂવારે કોવિડ-19ના નવા 594 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311થી વધીને 2669 થઈ ગઈ છે. ભારતમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ વધી શકે છે, કેમ  કે ભારતમાં કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1ના પણ નવા કેસ સામે આવ્યા છે. JN.1 કોવિડ-19 વેરિયેન્ટ ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 


 દેશના આ રાજ્યોમાં કેસ વધ્યા


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકલા કેરળમાં 2,606 એક્ટિવ કેસ છે. 21 ડિસેમ્બરે અહીં કોરોનાના 265 નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત પણ થયું હતું. આ તરફ રાજસ્થાનના જયપુરમાં એક મહિનાનું બાળક કોરોના પોઝિટિવ મળી આવ્યું છે. તેની સારવાર ચાલી રહી છે. કર્ણાટકમાં 105 અને મહારાષ્ટ્રમાં 53 કોવિડ કેસ છે. ઘણા મહિનાઓ પછી યુપીના નોઈડામાં એક પોઝિટિવ દર્દી (54) મળી આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું હતું કે દર્દી હાલમાં નેપાળ ગયો હતો. તે હરિયાણાના ગુરુગ્રામમાં કામ કરે છે.


અન્ય દેશોમાં પણ ચિંતા વધી


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 21 કેસ છે. WHOએ JN.1નો 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ'માં સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું હતું કે અત્યારસુધીનું વિશ્લેષણ કહે છે કે હાલની વેક્સિન JN.1 વેરિયન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી. જોકે WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.