ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ, સૌથી વધુ 79 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે


  • Published By :
  • Published Date : 2023-03-24 21:24:26

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જેની સામે 129 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 79 નવા કેસ નોંધાયા છે. હાલ 6 દર્દીઓની હાલત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના 11 જિલ્લા અને એક શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.


કોરોનાના 1291 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1285 દર્દીઓ હાલત સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 79, રાજકોટ શહેરમાં 22, સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણામાં 9, રાજકોટમાં 6, ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં 5-5 નોંધાયા છે. જ્યારે આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં 4-4 કેસ, અમરેલી, ભરૂચ, જામનગર શહેર અને પાટણ જિલ્લામાં 3-3 અને પંચમહાલમાં 2 કેસ નોંધાય છે. આ સિવાય અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર શહેર, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

લોકસભા ચૂંટણી માટે આજે દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે. 21 રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે મતદાતાઓ નક્કી કરવાના છે..

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...