Omicronના નવા અને ખતરનાક વેરીયન્ટ BF.7ના ગુજરાતમાં બે કેસ, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2022-12-21 18:48:23

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ચીનમાં કોવિડ-19ના વધતા કેસ માટે જવાબદાર ઓમિક્રોનના પેટા પ્રકાર BF.7ના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 નો પ્રથમ કેસ શોધી કાઢ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે, જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.



આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાતો સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠક બાદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હજી સુધી કોવિડ કેસોની સંખ્યામાં એકંદરે વધારો થયો નથી, તેમ છતાં વર્તમાન અને ઉભરતી પેટર્નને ટ્રેક કરવા માટે સતત  દેખરેખની જરૂર છે. અહીંના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિવિધ શહેરો હાલમાં ઓમિક્રોનની પકડમાં છે, મોટે ભાગે BF.7 કોવિડનું અત્યંત ચેપી સ્વરૂપ છે, જે બેઇજિંગમાં ફેલાતો મુખ્ય તાણ છે. આ કારણે ચીનમાં કોવિડ સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.


વિશ્વના અન્ય દેશોમાં પણ મળ્યો આ વેરિયેન્ટ


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશમાં પણ ખતરનાક ઓમિક્રોન વેરિયેન્ટએ ચિંતા વધારી છે. અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિયેન્ટ મળી ચુક્યું છે. BF.7એ ઓમિક્રોન ફોર્મ BA.5 નો સબ વેરિયેન્ટ છે અને તે વ્યાપક સંક્રામક છે અને પુનઃ ચેપનું કારણ બને છે. જે લોકોને રસી આપવામાં આવી હોય તેવા લોકોને પણ સંક્રમણની ઉચ્ચ સંભાવના છે.


કોરોનાનો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 શું છે?


કોરોનાનો નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 બંને અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર અમેરિકાથી પરત ફરેલા 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો.


જ્યારે, BF.7 એ Omicron ના BA.5નો સબ વેરિયન્ટ છે. તે ખૂબ જ ચેપી પણ છે. ચીનના મોટાભાગના શહેરોમાં BA.5.2 અને BF.7ના કેસ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ BA.5.2ના કિસ્સાઓ સામે આવ્યા છે.


કેટલો ખતરનાક છે આ વેરિયેન્ટ?


નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7ની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બંને પેટા વેરિયન્ટ્સ રસી અને કુદરતી રીતે બનેલી રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. એટલે કે, જો તમે સંપૂર્ણ રસી લગાવી દીધી હોય અથવા બૂસ્ટર ડોઝ લીધો હોય અથવા અગાઉ કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો પણ તમે આ પેટા વેરિઅન્ટ્સની ઝપેટમાં આવી શકો છો.






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.