Omicronના નવા અને ખતરનાક વેરીયન્ટ BF.7ના ગુજરાતમાં બે કેસ, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2022-12-21 18:48:23

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ચીનમાં કોવિડ-19ના વધતા કેસ માટે જવાબદાર ઓમિક્રોનના પેટા પ્રકાર BF.7ના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 નો પ્રથમ કેસ શોધી કાઢ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે, જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.



આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાતો સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠક બાદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હજી સુધી કોવિડ કેસોની સંખ્યામાં એકંદરે વધારો થયો નથી, તેમ છતાં વર્તમાન અને ઉભરતી પેટર્નને ટ્રેક કરવા માટે સતત  દેખરેખની જરૂર છે. અહીંના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિવિધ શહેરો હાલમાં ઓમિક્રોનની પકડમાં છે, મોટે ભાગે BF.7 કોવિડનું અત્યંત ચેપી સ્વરૂપ છે, જે બેઇજિંગમાં ફેલાતો મુખ્ય તાણ છે. આ કારણે ચીનમાં કોવિડ સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.


વિશ્વના અન્ય દેશોમાં પણ મળ્યો આ વેરિયેન્ટ


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશમાં પણ ખતરનાક ઓમિક્રોન વેરિયેન્ટએ ચિંતા વધારી છે. અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિયેન્ટ મળી ચુક્યું છે. BF.7એ ઓમિક્રોન ફોર્મ BA.5 નો સબ વેરિયેન્ટ છે અને તે વ્યાપક સંક્રામક છે અને પુનઃ ચેપનું કારણ બને છે. જે લોકોને રસી આપવામાં આવી હોય તેવા લોકોને પણ સંક્રમણની ઉચ્ચ સંભાવના છે.


કોરોનાનો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 શું છે?


કોરોનાનો નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 બંને અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર અમેરિકાથી પરત ફરેલા 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો.


જ્યારે, BF.7 એ Omicron ના BA.5નો સબ વેરિયન્ટ છે. તે ખૂબ જ ચેપી પણ છે. ચીનના મોટાભાગના શહેરોમાં BA.5.2 અને BF.7ના કેસ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ BA.5.2ના કિસ્સાઓ સામે આવ્યા છે.


કેટલો ખતરનાક છે આ વેરિયેન્ટ?


નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7ની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બંને પેટા વેરિયન્ટ્સ રસી અને કુદરતી રીતે બનેલી રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. એટલે કે, જો તમે સંપૂર્ણ રસી લગાવી દીધી હોય અથવા બૂસ્ટર ડોઝ લીધો હોય અથવા અગાઉ કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો પણ તમે આ પેટા વેરિઅન્ટ્સની ઝપેટમાં આવી શકો છો.






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.