ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, દવાઓની અછતે ચિંતા વધારી, 20 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:57:37

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કટોકટી માત્ર ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો કરવા વિશે નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો એટલી મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે કે મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લાંબી કતારો લાગી રહી છે. કોરોનાની નવી લહેરે વહિવટી તંત્ર માટે પણ ચિંતા સર્જી છે અને સત્તાવાળાઓ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવા અને ફ્રિ ટેસ્ટિંગ સેન્ટરો સ્થાપવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. બેઇજિંગ, ચોંગકિંગ અને ગુઆંગઝુ શહેરોના કબ્રસ્તાનોએ મંગળવારે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય કરતાં વધુ વ્યસ્ત હતા. એક કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ઓછી પડવાની જાણ કરી છે.


મોતનાં આકડા શંકાસ્પદ


નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કોવિડના પાંચ લોકોના મોતની માહિતી આપી હતી. આ તમામ મોત રાજધાની બિજીંગમાં થયા છે. વર્ષ 2019ના અંતમાં વુહાન શહેરમાંથી કોરોના મહામારીની શરૂઆત થયા બાદ ચીનમાં અત્યાર સુધીમાં માત્ર 5,242 લોકોના જ મોત થયા છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં આ આંકડો ખુબ જ ઓછો છે.


કોરોના નિયમોમાં રાહત આપતા સ્થિતી વણસી


કોરોના સંક્રમણની નવી લહેરથી બચવા માટે કોરોના લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ દેશભરમાં વ્યાપી વિરોધ પ્રદર્શન બાદ અધિકારીઓએ આ મહિને ઝીરો કોવિડ પોલીસી હેઠળ કડક અને અનિવાર્ય ટેસ્ટિંગ જેવા નિયમોમાં રાહત આપવામાં આવી હતી. પ્રતિબંધો હટ્યા બાદ કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને ફોર્મેસિયોમાં દવાઓની અછતનું સંકટ સર્જાયું છે.


દુનિયાની 10 ટકા વસ્તી પર જોખમ


કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનની 60 ટકા વસ્તી એટલે કે દુનિયાની લગભગ 10 ટકા વસ્તી આગામી ત્રણ મહિનામાં સંક્રમિત થઈ શકે છે. એટલું જ નહીં લગભગ 20 લાખ લોકોના મોતની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. બીજિંગમાં હાલ તો કબ્રસ્તાનોની બહાર ગાડીઓની કતાર જોવા મળી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.