ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, દવાઓની અછતે ચિંતા વધારી, 20 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:57:37

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કટોકટી માત્ર ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો કરવા વિશે નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો એટલી મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે કે મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લાંબી કતારો લાગી રહી છે. કોરોનાની નવી લહેરે વહિવટી તંત્ર માટે પણ ચિંતા સર્જી છે અને સત્તાવાળાઓ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવા અને ફ્રિ ટેસ્ટિંગ સેન્ટરો સ્થાપવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. બેઇજિંગ, ચોંગકિંગ અને ગુઆંગઝુ શહેરોના કબ્રસ્તાનોએ મંગળવારે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય કરતાં વધુ વ્યસ્ત હતા. એક કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ઓછી પડવાની જાણ કરી છે.


મોતનાં આકડા શંકાસ્પદ


નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કોવિડના પાંચ લોકોના મોતની માહિતી આપી હતી. આ તમામ મોત રાજધાની બિજીંગમાં થયા છે. વર્ષ 2019ના અંતમાં વુહાન શહેરમાંથી કોરોના મહામારીની શરૂઆત થયા બાદ ચીનમાં અત્યાર સુધીમાં માત્ર 5,242 લોકોના જ મોત થયા છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં આ આંકડો ખુબ જ ઓછો છે.


કોરોના નિયમોમાં રાહત આપતા સ્થિતી વણસી


કોરોના સંક્રમણની નવી લહેરથી બચવા માટે કોરોના લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ દેશભરમાં વ્યાપી વિરોધ પ્રદર્શન બાદ અધિકારીઓએ આ મહિને ઝીરો કોવિડ પોલીસી હેઠળ કડક અને અનિવાર્ય ટેસ્ટિંગ જેવા નિયમોમાં રાહત આપવામાં આવી હતી. પ્રતિબંધો હટ્યા બાદ કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને ફોર્મેસિયોમાં દવાઓની અછતનું સંકટ સર્જાયું છે.


દુનિયાની 10 ટકા વસ્તી પર જોખમ


કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનની 60 ટકા વસ્તી એટલે કે દુનિયાની લગભગ 10 ટકા વસ્તી આગામી ત્રણ મહિનામાં સંક્રમિત થઈ શકે છે. એટલું જ નહીં લગભગ 20 લાખ લોકોના મોતની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. બીજિંગમાં હાલ તો કબ્રસ્તાનોની બહાર ગાડીઓની કતાર જોવા મળી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.