ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, દવાઓની અછતે ચિંતા વધારી, 20 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:57:37

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કટોકટી માત્ર ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો કરવા વિશે નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો એટલી મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે કે મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લાંબી કતારો લાગી રહી છે. કોરોનાની નવી લહેરે વહિવટી તંત્ર માટે પણ ચિંતા સર્જી છે અને સત્તાવાળાઓ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવા અને ફ્રિ ટેસ્ટિંગ સેન્ટરો સ્થાપવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. બેઇજિંગ, ચોંગકિંગ અને ગુઆંગઝુ શહેરોના કબ્રસ્તાનોએ મંગળવારે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય કરતાં વધુ વ્યસ્ત હતા. એક કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ઓછી પડવાની જાણ કરી છે.


મોતનાં આકડા શંકાસ્પદ


નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કોવિડના પાંચ લોકોના મોતની માહિતી આપી હતી. આ તમામ મોત રાજધાની બિજીંગમાં થયા છે. વર્ષ 2019ના અંતમાં વુહાન શહેરમાંથી કોરોના મહામારીની શરૂઆત થયા બાદ ચીનમાં અત્યાર સુધીમાં માત્ર 5,242 લોકોના જ મોત થયા છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં આ આંકડો ખુબ જ ઓછો છે.


કોરોના નિયમોમાં રાહત આપતા સ્થિતી વણસી


કોરોના સંક્રમણની નવી લહેરથી બચવા માટે કોરોના લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ દેશભરમાં વ્યાપી વિરોધ પ્રદર્શન બાદ અધિકારીઓએ આ મહિને ઝીરો કોવિડ પોલીસી હેઠળ કડક અને અનિવાર્ય ટેસ્ટિંગ જેવા નિયમોમાં રાહત આપવામાં આવી હતી. પ્રતિબંધો હટ્યા બાદ કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને ફોર્મેસિયોમાં દવાઓની અછતનું સંકટ સર્જાયું છે.


દુનિયાની 10 ટકા વસ્તી પર જોખમ


કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનની 60 ટકા વસ્તી એટલે કે દુનિયાની લગભગ 10 ટકા વસ્તી આગામી ત્રણ મહિનામાં સંક્રમિત થઈ શકે છે. એટલું જ નહીં લગભગ 20 લાખ લોકોના મોતની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. બીજિંગમાં હાલ તો કબ્રસ્તાનોની બહાર ગાડીઓની કતાર જોવા મળી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.