ગૌ-રક્ષકો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:02:37

ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોને 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ સરકાર દ્વારા સહાય ન મળતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે. બનાસકાંઠામાં પશુપાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી સરકાર પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ પહેલ ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉઠાવવામાં આવી હતી. ડીસામાં ગૌ-શાળા સંચાલકોની બેઠક યોજાવાની છે જેમાં આ આંદોલનને કઈ રીતના આગળ વધારવું તે નક્કી કરવામાં આવશે.  



વડાપ્રધાનને ગૌ-પ્રેમી કરશે રજૂઆત 

ગાયના મુદ્દાને લઈ રાજકારણ ચાલી રહ્યુ છે. રાજકીય પાર્ટી આનો લાભ લેવા તત્પર બની છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં અનેક પ્રવાસો કરી પ્રચાર કરવાના છે. ત્યારે આ સમયે ગૌ-પ્રેમીઓ સરકાર વિરૂધ ધરણા પ્રદર્શન કરવાના છે. ઉપરાંત અનેક કાર્યક્રમનોનું આયોજન કરી સરકાર સામે આંદોલન ચાલુ રાખવાના છે. વડાપ્રધાન શક્તિ પીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા જવાના છે. તે દરમિયાન ગૌ સેવકો ચાલો અંબાજી અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં જોડાવા ગૌ-પ્રેમીએ અપીલ કરી છે. અંબાજી ખાતે પહોંચી વડાપ્રધાન મોદી સમક્ષ 5000 જેટલા લોકો પોતાની રજૂઆત કરવાના છે.   

Narendra Modi: News, Photos, Latest News Headlines about Narendra Modi -  The Indian Express 

Ambaji Temple



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."