ગૌ-રક્ષકો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:02:37

ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોને 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ સરકાર દ્વારા સહાય ન મળતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે. બનાસકાંઠામાં પશુપાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી સરકાર પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ પહેલ ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉઠાવવામાં આવી હતી. ડીસામાં ગૌ-શાળા સંચાલકોની બેઠક યોજાવાની છે જેમાં આ આંદોલનને કઈ રીતના આગળ વધારવું તે નક્કી કરવામાં આવશે.  



વડાપ્રધાનને ગૌ-પ્રેમી કરશે રજૂઆત 

ગાયના મુદ્દાને લઈ રાજકારણ ચાલી રહ્યુ છે. રાજકીય પાર્ટી આનો લાભ લેવા તત્પર બની છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં અનેક પ્રવાસો કરી પ્રચાર કરવાના છે. ત્યારે આ સમયે ગૌ-પ્રેમીઓ સરકાર વિરૂધ ધરણા પ્રદર્શન કરવાના છે. ઉપરાંત અનેક કાર્યક્રમનોનું આયોજન કરી સરકાર સામે આંદોલન ચાલુ રાખવાના છે. વડાપ્રધાન શક્તિ પીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા જવાના છે. તે દરમિયાન ગૌ સેવકો ચાલો અંબાજી અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં જોડાવા ગૌ-પ્રેમીએ અપીલ કરી છે. અંબાજી ખાતે પહોંચી વડાપ્રધાન મોદી સમક્ષ 5000 જેટલા લોકો પોતાની રજૂઆત કરવાના છે.   

Narendra Modi: News, Photos, Latest News Headlines about Narendra Modi -  The Indian Express 

Ambaji Temple



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.