ગૌ-રક્ષકો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:02:37

ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોને 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ સરકાર દ્વારા સહાય ન મળતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે. બનાસકાંઠામાં પશુપાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી સરકાર પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ પહેલ ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉઠાવવામાં આવી હતી. ડીસામાં ગૌ-શાળા સંચાલકોની બેઠક યોજાવાની છે જેમાં આ આંદોલનને કઈ રીતના આગળ વધારવું તે નક્કી કરવામાં આવશે.  



વડાપ્રધાનને ગૌ-પ્રેમી કરશે રજૂઆત 

ગાયના મુદ્દાને લઈ રાજકારણ ચાલી રહ્યુ છે. રાજકીય પાર્ટી આનો લાભ લેવા તત્પર બની છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં અનેક પ્રવાસો કરી પ્રચાર કરવાના છે. ત્યારે આ સમયે ગૌ-પ્રેમીઓ સરકાર વિરૂધ ધરણા પ્રદર્શન કરવાના છે. ઉપરાંત અનેક કાર્યક્રમનોનું આયોજન કરી સરકાર સામે આંદોલન ચાલુ રાખવાના છે. વડાપ્રધાન શક્તિ પીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા જવાના છે. તે દરમિયાન ગૌ સેવકો ચાલો અંબાજી અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં જોડાવા ગૌ-પ્રેમીએ અપીલ કરી છે. અંબાજી ખાતે પહોંચી વડાપ્રધાન મોદી સમક્ષ 5000 જેટલા લોકો પોતાની રજૂઆત કરવાના છે.   

Narendra Modi: News, Photos, Latest News Headlines about Narendra Modi -  The Indian Express 

Ambaji Temple



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.