કેરળના CPMના MLA એ રાજાની જેમ, શું ભાજપના આ ધારાસભ્યનું પદ પણ જશે?


  • Published By :
  • Published Date : 2023-03-23 16:57:12

કેરળના CPMના ધારાસભ્ય એ રાજાએ તેમનું પદ ગુમાવ્યું છે. 20 માર્ચના રોજ સોમવારે કેરળ હાઈકોર્ટે દલિત હિંદુ ધર્માંતરિત CPM ધારાસભ્ય એ રાજાની વિધાનસભ્યતા રદ કરતો ચુકાદો આપ્યો છે. ઇસાઇ ધર્મ પાળતા એ રાજા પર એવો આરોપ હતો કે તેઓ દલિત હોવાનું નકલી પ્રમાણપત્ર બનાવીને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હવે આ જ બાબત હિંદુ ધર્મ બદલીને ખ્રિસ્તી બનેલા વ્યારા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીને પણ લાગુ પડે છે. તો શું તેમની સામે કાર્યવાહી થશે? તે અંગે સવાલો થઈ રહ્યા છે.


શું મોહન કોંકણી પદ ગુમાવશે?


ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી પણ ઇસાઇ ધર્મ પાળે છે. તેઓ તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે મોહન કોંકણી પણ કેરળના ધારાસભ્ય એ રાજાની જેમ જ અનામત સીટ પરથી ચૂંટણી જીત્યા છે. તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ આદીવાસી માટે અનામત છે, તો ખ્રીસ્તી ધર્મ પાળતા મોહન કોંકણી પર પણ શું કેરળ હાઈકોર્ટનો ચુકાદો અસર ન કરી શકે? ભાજપે જ્યારે ઈસાઈ ઉમેદવાર મોહન કોંકણીને વ્યારા સીટ માટે ટિકિટ આપી ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે મોહન કોંકણી પહેલા ક્યારેય ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. 


સમગ્ર મામલો શું છે? 


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ કહ્યું હતું કે જે દલિતો ઈસ્લામ ધર્મ અપનાવીને ખ્રિસ્તી બન્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટને પણ સ્વીકારવાનો પણ સુપ્રીમ કોર્ટમાં ઇનકાર કરી દીધો હતો, જેમાં ધર્મ બદલનારા તમામ દલિતો માટે અનામતનું સૂચન કરવામાં આવ્યું હતું. ટુંકમાં હિંદુમાંથી ધર્મ બદલીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનનાર દલિતોને અનામતનો લાભ મળતો નથી.


એ રાજાનો કેસ શું છે?


કેરળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં દેવીકુલમ એક અનામત બેઠક હતી. આ સીટ પરથી CPM તરફથી એ રાજા અને કોંગ્રેસ તરફથી ડી કુમાર ચૂંટણી લડ્યા હતા. એ રાજાએ  તેમના હરીફ ડી કુમારને 7,848 મતોથી હરાવ્યા હતા. આ પછી કોંગ્રેસના નેતા ડી કુમારે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે ધારાસભ્ય એ રાજા દલિત હિન્દુમાંથી ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં તેમને અનામત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ મામલાની સુનાવણી બાદ કેરળ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એ રાજા કેરળના દલિત હિન્દુ પરાયણ સમુદાય સાથે સંબંધ ધરાવતા નથી. તેઓ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં એ રાજા અનામત દેવીકુલમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવાને પાત્ર નથી.  કેરળ હાઈકોર્ટના આ ફેંસલા બાદ એ રાજા હવે વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે નહીં. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે