કેરળના CPMના MLA એ રાજાની જેમ, શું ભાજપના આ ધારાસભ્યનું પદ પણ જશે?


  • Published By :
  • Published Date : 2023-03-23 16:57:12

કેરળના CPMના ધારાસભ્ય એ રાજાએ તેમનું પદ ગુમાવ્યું છે. 20 માર્ચના રોજ સોમવારે કેરળ હાઈકોર્ટે દલિત હિંદુ ધર્માંતરિત CPM ધારાસભ્ય એ રાજાની વિધાનસભ્યતા રદ કરતો ચુકાદો આપ્યો છે. ઇસાઇ ધર્મ પાળતા એ રાજા પર એવો આરોપ હતો કે તેઓ દલિત હોવાનું નકલી પ્રમાણપત્ર બનાવીને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હવે આ જ બાબત હિંદુ ધર્મ બદલીને ખ્રિસ્તી બનેલા વ્યારા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીને પણ લાગુ પડે છે. તો શું તેમની સામે કાર્યવાહી થશે? તે અંગે સવાલો થઈ રહ્યા છે.


શું મોહન કોંકણી પદ ગુમાવશે?


ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી પણ ઇસાઇ ધર્મ પાળે છે. તેઓ તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે મોહન કોંકણી પણ કેરળના ધારાસભ્ય એ રાજાની જેમ જ અનામત સીટ પરથી ચૂંટણી જીત્યા છે. તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ આદીવાસી માટે અનામત છે, તો ખ્રીસ્તી ધર્મ પાળતા મોહન કોંકણી પર પણ શું કેરળ હાઈકોર્ટનો ચુકાદો અસર ન કરી શકે? ભાજપે જ્યારે ઈસાઈ ઉમેદવાર મોહન કોંકણીને વ્યારા સીટ માટે ટિકિટ આપી ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે મોહન કોંકણી પહેલા ક્યારેય ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. 


સમગ્ર મામલો શું છે? 


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ કહ્યું હતું કે જે દલિતો ઈસ્લામ ધર્મ અપનાવીને ખ્રિસ્તી બન્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટને પણ સ્વીકારવાનો પણ સુપ્રીમ કોર્ટમાં ઇનકાર કરી દીધો હતો, જેમાં ધર્મ બદલનારા તમામ દલિતો માટે અનામતનું સૂચન કરવામાં આવ્યું હતું. ટુંકમાં હિંદુમાંથી ધર્મ બદલીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનનાર દલિતોને અનામતનો લાભ મળતો નથી.


એ રાજાનો કેસ શું છે?


કેરળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં દેવીકુલમ એક અનામત બેઠક હતી. આ સીટ પરથી CPM તરફથી એ રાજા અને કોંગ્રેસ તરફથી ડી કુમાર ચૂંટણી લડ્યા હતા. એ રાજાએ  તેમના હરીફ ડી કુમારને 7,848 મતોથી હરાવ્યા હતા. આ પછી કોંગ્રેસના નેતા ડી કુમારે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે ધારાસભ્ય એ રાજા દલિત હિન્દુમાંથી ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં તેમને અનામત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ મામલાની સુનાવણી બાદ કેરળ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એ રાજા કેરળના દલિત હિન્દુ પરાયણ સમુદાય સાથે સંબંધ ધરાવતા નથી. તેઓ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં એ રાજા અનામત દેવીકુલમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવાને પાત્ર નથી.  કેરળ હાઈકોર્ટના આ ફેંસલા બાદ એ રાજા હવે વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે નહીં. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.