કેરળના CPMના MLA એ રાજાની જેમ, શું ભાજપના આ ધારાસભ્યનું પદ પણ જશે?


  • Published By :
  • Published Date : 2023-03-23 16:57:12

કેરળના CPMના ધારાસભ્ય એ રાજાએ તેમનું પદ ગુમાવ્યું છે. 20 માર્ચના રોજ સોમવારે કેરળ હાઈકોર્ટે દલિત હિંદુ ધર્માંતરિત CPM ધારાસભ્ય એ રાજાની વિધાનસભ્યતા રદ કરતો ચુકાદો આપ્યો છે. ઇસાઇ ધર્મ પાળતા એ રાજા પર એવો આરોપ હતો કે તેઓ દલિત હોવાનું નકલી પ્રમાણપત્ર બનાવીને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હવે આ જ બાબત હિંદુ ધર્મ બદલીને ખ્રિસ્તી બનેલા વ્યારા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીને પણ લાગુ પડે છે. તો શું તેમની સામે કાર્યવાહી થશે? તે અંગે સવાલો થઈ રહ્યા છે.


શું મોહન કોંકણી પદ ગુમાવશે?


ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી પણ ઇસાઇ ધર્મ પાળે છે. તેઓ તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે મોહન કોંકણી પણ કેરળના ધારાસભ્ય એ રાજાની જેમ જ અનામત સીટ પરથી ચૂંટણી જીત્યા છે. તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ આદીવાસી માટે અનામત છે, તો ખ્રીસ્તી ધર્મ પાળતા મોહન કોંકણી પર પણ શું કેરળ હાઈકોર્ટનો ચુકાદો અસર ન કરી શકે? ભાજપે જ્યારે ઈસાઈ ઉમેદવાર મોહન કોંકણીને વ્યારા સીટ માટે ટિકિટ આપી ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે મોહન કોંકણી પહેલા ક્યારેય ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. 


સમગ્ર મામલો શું છે? 


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ કહ્યું હતું કે જે દલિતો ઈસ્લામ ધર્મ અપનાવીને ખ્રિસ્તી બન્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટને પણ સ્વીકારવાનો પણ સુપ્રીમ કોર્ટમાં ઇનકાર કરી દીધો હતો, જેમાં ધર્મ બદલનારા તમામ દલિતો માટે અનામતનું સૂચન કરવામાં આવ્યું હતું. ટુંકમાં હિંદુમાંથી ધર્મ બદલીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનનાર દલિતોને અનામતનો લાભ મળતો નથી.


એ રાજાનો કેસ શું છે?


કેરળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં દેવીકુલમ એક અનામત બેઠક હતી. આ સીટ પરથી CPM તરફથી એ રાજા અને કોંગ્રેસ તરફથી ડી કુમાર ચૂંટણી લડ્યા હતા. એ રાજાએ  તેમના હરીફ ડી કુમારને 7,848 મતોથી હરાવ્યા હતા. આ પછી કોંગ્રેસના નેતા ડી કુમારે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે ધારાસભ્ય એ રાજા દલિત હિન્દુમાંથી ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં તેમને અનામત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ મામલાની સુનાવણી બાદ કેરળ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એ રાજા કેરળના દલિત હિન્દુ પરાયણ સમુદાય સાથે સંબંધ ધરાવતા નથી. તેઓ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં એ રાજા અનામત દેવીકુલમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવાને પાત્ર નથી.  કેરળ હાઈકોર્ટના આ ફેંસલા બાદ એ રાજા હવે વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે નહીં. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.