આ તારીખે અમદાવાદની શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ! વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-11-29 10:24:03

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ હાર્ટ એટેકને કારણે ત્રણથી ચાર લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર વડીલોને આવે પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરની શાળાના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 

What is CPR | American Heart Association CPR & First Aid

અમદાવાદના શિક્ષકોને 3 ડિસેમ્બરે અપાશે CPRની ટ્રેનિંગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધીકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ તાલીમ આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

જો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તો બચી શકે છે જીવ!

મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પહેલા લોકોએ પોતાના સ્વજનોને કોરોનાને કારણે ગુમાવ્યા ત્યારે હવે લોકો પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સીપીઆરની ટ્રેનિંગ શિક્ષકોને આપવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર સીપીઆર દર્દીને આપવામાં આવે છે તો તેને જીવનદાન મળી શકે છે.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.