આ તારીખે અમદાવાદની શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ! વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-11-29 10:24:03

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ હાર્ટ એટેકને કારણે ત્રણથી ચાર લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર વડીલોને આવે પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરની શાળાના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 

What is CPR | American Heart Association CPR & First Aid

અમદાવાદના શિક્ષકોને 3 ડિસેમ્બરે અપાશે CPRની ટ્રેનિંગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધીકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ તાલીમ આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

જો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તો બચી શકે છે જીવ!

મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પહેલા લોકોએ પોતાના સ્વજનોને કોરોનાને કારણે ગુમાવ્યા ત્યારે હવે લોકો પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સીપીઆરની ટ્રેનિંગ શિક્ષકોને આપવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર સીપીઆર દર્દીને આપવામાં આવે છે તો તેને જીવનદાન મળી શકે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.