આ તારીખે અમદાવાદની શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ! વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-11-29 10:24:03

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ હાર્ટ એટેકને કારણે ત્રણથી ચાર લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર વડીલોને આવે પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરની શાળાના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 

What is CPR | American Heart Association CPR & First Aid

અમદાવાદના શિક્ષકોને 3 ડિસેમ્બરે અપાશે CPRની ટ્રેનિંગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધીકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ તાલીમ આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

જો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તો બચી શકે છે જીવ!

મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પહેલા લોકોએ પોતાના સ્વજનોને કોરોનાને કારણે ગુમાવ્યા ત્યારે હવે લોકો પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સીપીઆરની ટ્રેનિંગ શિક્ષકોને આપવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર સીપીઆર દર્દીને આપવામાં આવે છે તો તેને જીવનદાન મળી શકે છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.