આ તારીખે અમદાવાદની શાળાના શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ! વધતા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-11-29 10:24:03

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ હાર્ટ એટેકને કારણે ત્રણથી ચાર લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર વડીલોને આવે પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરની શાળાના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 

What is CPR | American Heart Association CPR & First Aid

અમદાવાદના શિક્ષકોને 3 ડિસેમ્બરે અપાશે CPRની ટ્રેનિંગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધીકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ તાલીમ આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

જો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તો બચી શકે છે જીવ!

મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પહેલા લોકોએ પોતાના સ્વજનોને કોરોનાને કારણે ગુમાવ્યા ત્યારે હવે લોકો પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સીપીઆરની ટ્રેનિંગ શિક્ષકોને આપવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર સીપીઆર દર્દીને આપવામાં આવે છે તો તેને જીવનદાન મળી શકે છે.     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.