નવસારીમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યું આધુનિક બસોનું લોકાર્પણ! 35 કિમીની કરી બસ યાત્રા, શું ખરાબ રસ્તાનો તેમને થયો હશે અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:24:54

રાજ્યના અનેક લોકો એવા છે જે હજી પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક વખત ખરાબ રસ્તા હોવાને કારણે તેમજ ખરાબ બસ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારે અનેક સરકારી બસનું લોકાર્પણ કર્યું છે. અનેક વખત ફરિયાદો મળતા રાજ્ય સરકારે 150 જેટલી બસ ગાંધીનગર, 70 બસો પાલનપુર, 150 જામનગર અને નવસારીમાં 125 બસોનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે બસને લીલી ઝંડી બતાવી હતી.

 


બસમાં કરી 35 કિલોમીટરની યાત્રા! 

નવસારી ખાતે હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બસોનું લોકાર્પણ કર્યા બાદ નવસારીથી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ સી.આર.પાટીલે બસની મુસાફરી કરી હતી. અંદાજીત 35 કિલોમીટરની આ યાત્રા કરી બંને રાજનેતાઓએ બસનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી નહીં થવાથી છેલ્લા ત્રણ વર્ષમાં 558  અકસ્માત થયાં, 234 લોકો મોતને ભેટ્યાં | There have been 558 accidents in  Gujarat in the last ...

ખરાબ રસ્તાને લીધે જીવલેણ અકસ્માત થાય તો વાહનચાલક સામે જ સદોષ માનવવધનો ગુનો  - accident on bad roads drivers in homicide charge pothole - I am Gujarat

amc requests hc to give more time to finish the probe


(જૂની તસવીરો)

ખરાબ રસ્તાની સમસ્યા અંગે સરકાર કામ કરે તે જરૂરી!

બંને નેતાઓએ જેવી રીતે બસનું નિરીક્ષણ કર્યું હતું તેવી જ રીતે તેમણે રસ્તાનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં રસ્તાઓ જ નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં તો કાચો રસ્તા બનાવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. થોડા સમય પહેલા જ ડેડિયાપાડાના એક ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સરકારને રસ્તા પર પડેલા ખાડા, ખરાબ રસ્તા દેખાય તેવો વિચાર લોકો કરી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.