નવસારીમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યું આધુનિક બસોનું લોકાર્પણ! 35 કિમીની કરી બસ યાત્રા, શું ખરાબ રસ્તાનો તેમને થયો હશે અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:24:54

રાજ્યના અનેક લોકો એવા છે જે હજી પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક વખત ખરાબ રસ્તા હોવાને કારણે તેમજ ખરાબ બસ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારે અનેક સરકારી બસનું લોકાર્પણ કર્યું છે. અનેક વખત ફરિયાદો મળતા રાજ્ય સરકારે 150 જેટલી બસ ગાંધીનગર, 70 બસો પાલનપુર, 150 જામનગર અને નવસારીમાં 125 બસોનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે બસને લીલી ઝંડી બતાવી હતી.

 


બસમાં કરી 35 કિલોમીટરની યાત્રા! 

નવસારી ખાતે હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બસોનું લોકાર્પણ કર્યા બાદ નવસારીથી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ સી.આર.પાટીલે બસની મુસાફરી કરી હતી. અંદાજીત 35 કિલોમીટરની આ યાત્રા કરી બંને રાજનેતાઓએ બસનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી નહીં થવાથી છેલ્લા ત્રણ વર્ષમાં 558  અકસ્માત થયાં, 234 લોકો મોતને ભેટ્યાં | There have been 558 accidents in  Gujarat in the last ...

ખરાબ રસ્તાને લીધે જીવલેણ અકસ્માત થાય તો વાહનચાલક સામે જ સદોષ માનવવધનો ગુનો  - accident on bad roads drivers in homicide charge pothole - I am Gujarat

amc requests hc to give more time to finish the probe


(જૂની તસવીરો)

ખરાબ રસ્તાની સમસ્યા અંગે સરકાર કામ કરે તે જરૂરી!

બંને નેતાઓએ જેવી રીતે બસનું નિરીક્ષણ કર્યું હતું તેવી જ રીતે તેમણે રસ્તાનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં રસ્તાઓ જ નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં તો કાચો રસ્તા બનાવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. થોડા સમય પહેલા જ ડેડિયાપાડાના એક ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સરકારને રસ્તા પર પડેલા ખાડા, ખરાબ રસ્તા દેખાય તેવો વિચાર લોકો કરી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.