ડમી કાંડ મામલે સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન, ભાવનગરમાં શું કહ્યું ભાજપ પ્રદેશ પ્રમુખે, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-23 17:28:50

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હવે આ સમગ્ર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પણ ભાવનગરમાં પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.  ભાવનગરની મુલાકાતે પહોંચેલા સી.આર પાટિલે કહ્યું કે જે વ્યક્તિ ડમી કૌભાંડની વાતો કરતો હોય એ વ્યક્તિ આજે આરોપીના પાંજરામાં છે, અને તે પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે. 


સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. તેણે કરોડો રૂપિયા ઉશેળી છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વિડીયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે" ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, "નામ લેવું અને પુરાવા રજૂ કરવા અલગ-અલગ વાત છે. નામ આપવાનો તેમનો અધિકાર છે પરંતુ પુરાવા આપવાની પણ તેમની ફરજ છે. પોતાના બચાવમાં કોઈ વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી. તેમણે જે નામો આપ્યાં છે તેની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર પણ કર્યું છે કે, જે નામ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યાં હતાં તેમાંનું એક પણ નામ પોતાના નિવેદનમાં લખાવ્યું નથી કે કોઈ પુરાવા પણ આપ્યા નથી. જેથી ફક્ત વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સફળ થશે નહીં, કારણ કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે."


પાટીલ ભાવનગરના સ્થાપના દિવસના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત


સી.આર. પાટીલ ભાવનગરના 301માં સ્થાપના દિવસના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા સી.આર પાટીલ ભાવનગર પહોંચ્યાછે. અહીં સી.આર પાટીલ સૌપ્રથમ દરબારી કોઠાર પાસે આવેલ રાજઘાટ પર પહોંચી ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની સમાધીને નમન કરી પુષ્પાંજલિ પાઠવી હતી.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?