ડમી કાંડ મામલે સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન, ભાવનગરમાં શું કહ્યું ભાજપ પ્રદેશ પ્રમુખે, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-23 17:28:50

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હવે આ સમગ્ર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પણ ભાવનગરમાં પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.  ભાવનગરની મુલાકાતે પહોંચેલા સી.આર પાટિલે કહ્યું કે જે વ્યક્તિ ડમી કૌભાંડની વાતો કરતો હોય એ વ્યક્તિ આજે આરોપીના પાંજરામાં છે, અને તે પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે. 


સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. તેણે કરોડો રૂપિયા ઉશેળી છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વિડીયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે" ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, "નામ લેવું અને પુરાવા રજૂ કરવા અલગ-અલગ વાત છે. નામ આપવાનો તેમનો અધિકાર છે પરંતુ પુરાવા આપવાની પણ તેમની ફરજ છે. પોતાના બચાવમાં કોઈ વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી. તેમણે જે નામો આપ્યાં છે તેની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર પણ કર્યું છે કે, જે નામ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યાં હતાં તેમાંનું એક પણ નામ પોતાના નિવેદનમાં લખાવ્યું નથી કે કોઈ પુરાવા પણ આપ્યા નથી. જેથી ફક્ત વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સફળ થશે નહીં, કારણ કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે."


પાટીલ ભાવનગરના સ્થાપના દિવસના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત


સી.આર. પાટીલ ભાવનગરના 301માં સ્થાપના દિવસના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા સી.આર પાટીલ ભાવનગર પહોંચ્યાછે. અહીં સી.આર પાટીલ સૌપ્રથમ દરબારી કોઠાર પાસે આવેલ રાજઘાટ પર પહોંચી ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની સમાધીને નમન કરી પુષ્પાંજલિ પાઠવી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે