કોઈ પડી જાય તો આપણને મજા કેમ આવે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 18:08:52

કોઈ પડી જાય તો આપણે આટલા ખુશ કેમ થઈ જઈએ છીએ!


આપણો સમાજ જેમ-જેમ શિક્ષિત થતો જાય તેમ-તેમ વધુને વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રી બનતો જાય છે. આપણે કોઈની નિષ્ફળતાની મજાક ઉડાવવામાં એક પ્રકારનો વિકૃત આનંદ મેળવીએ છીએ. એક સ્વસ્થ સમાજ માટે આ બાબત શરમજનક કઈ શકાય. રસ્તા પર જતો કોઈ રાહદારી કે વાહન ચાલક પડી જાય તો પણ અન્ય રાહદારીઓ કે વાહનચાલકો તેને ઉભો કરવાને બદલે જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ ખંધુ હસીને ચાલી નિકળે છે. કોઈ મોટા રાજકારણી પણ જો પડી જાય તો મીડિયા પણ આ ઘટનાને ખાસ હાઈ લાઈટ કરતું રહીને તેનો વીડિયો વારંવાર બતાવતું રહે છે. શું કોઈ રાજકારણી માણસ નથી તે સુપરમેન છે?, તે શારિરીક નબળાઈ, થાક કે સરતચૂકથી પડી જાય તો તેમાં શું મોટી બાબત છે, આવી સામાન્ય ઘટનાને આટલું બધુ મહત્વ આપવાની શી જરૂર છે. સમાજમાં આવું બને ત્યારે ગુજરાતી ભાષાના મુર્ધન્ય કવિ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીની પેલી પ્રખ્યાત કાવ્ય પંક્તીઓ યાદ આવે છે. 


'પીંપળ પાન ખરંતા, હસતી કૂંપળીયાં મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીયાં'


સમાજમાં કોઈ વ્યક્તી નોકરી, ધંધો કે અન્ય કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ જાય ત્યારે અન્ય લોકો તો ઠીક તેના નજીકના પરિવારજનો પણ તેનો ઉત્સાહ વધારવાના બદલે મનોમન તેની નાકામીને લઈ આનંદ અનુભવે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય કે ઓછા ટકા આવે તો પણ તે વિદ્યાર્થીને વિવિધ પ્રકારના મહેણાંટોણાનો સામનો કરવો પડતો હોય છે. 


કોઈની મુશ્કેલી,નિષ્ફળતા, પીડાને જોઈ પાશવી આનંદ લેવો એ આપણા સમાજમાં સર્વ સ્વિકાર્ય બાબત બની ગઈ છે. તેમાં જો કોઈ વ્યક્તી સમાજના ઉચ્ચ પદ પર હોય અને તે જો નિષ્ફળ જાય તો લોકોને નિંદા કરવા માટે જાણે ગોળનું ગાડુ મળી ગયું. કોઈ રાજનેતા, ફિલ્મ કલાકાર, બિઝનેશ મેન, ખેલાડી, ઉચ્ચ અધિકારી કે પછી કોઈ પણ ક્ષેત્રની અગ્રણી હસ્તી ભૂલથી પણ નિષ્ફળ જાય તો જાણે આવી જ બન્યું લોકો તેના પર માંછલા ધોવા રીતસર તુટી જ પડે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ભૂકંપ સ્મૃતિવનનું ઉદઘાટન કર્યું. આ સમયે હાજર ભાજપના પ્રદેશ સી.આર.પાટીલ અચાનક જ નીચે પડી ગયા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ઉભા કરવામાં મદદ કરી, જો કે વડાપ્રધાન મોદી જાણે કશું જ બન્યું ન હોય તેમ તટસ્થ જોવા મળ્યા હતા.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.