સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર, કહ્યું આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે, જેની સીધી અસર ભાજપને થશે


  • Published By :
  • Published Date : 2022-11-11 10:49:49

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. પ્રચાર દરમિયાન અનેક વખત પાર્ટી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. આ વખતે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. 

સી. આર. પાટીલ : ગુજરાત ભાજપ અધ્યક્ષ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે? -  BBC News ગુજરાતી

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી છે - સી.આર.પાટીલ

ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. જોરશોરથી આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપનો પ્રચાર કરવા સી.આર.પાટીલ ગયા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે. 

લોકતંત્રમાં બદલાવ જરૂરી છે - પાટીલ

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં નથી આવી. જેને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે લોકતંત્રમાં બદલાવ જરૂરી છે. જેને કારણે અમે આ વખતે અનેક યુવા ચહેરાઓને મોકો આપ્યો છે. ભાજપ સામાન્ય રીતે 20 ટકા ધારાસભ્યોને બદલે જ છે. આ યાદી એક પેઢીગત પરિવર્તન દર્શાવે છે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.