સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર, કહ્યું આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે, જેની સીધી અસર ભાજપને થશે


  • Published By :
  • Published Date : 2022-11-11 10:49:49

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. પ્રચાર દરમિયાન અનેક વખત પાર્ટી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. આ વખતે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. 

સી. આર. પાટીલ : ગુજરાત ભાજપ અધ્યક્ષ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે? -  BBC News ગુજરાતી

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી છે - સી.આર.પાટીલ

ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. જોરશોરથી આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપનો પ્રચાર કરવા સી.આર.પાટીલ ગયા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે. 

લોકતંત્રમાં બદલાવ જરૂરી છે - પાટીલ

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં નથી આવી. જેને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે લોકતંત્રમાં બદલાવ જરૂરી છે. જેને કારણે અમે આ વખતે અનેક યુવા ચહેરાઓને મોકો આપ્યો છે. ભાજપ સામાન્ય રીતે 20 ટકા ધારાસભ્યોને બદલે જ છે. આ યાદી એક પેઢીગત પરિવર્તન દર્શાવે છે.           




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.