અલ્પેશભાઈ ચૂંટણી લડશે અને જીતશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:34:35


ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનો માહોલ રસપ્રદ બની રહ્યો છે. રોજ નવા નવા રાજકીય ખેલ જોવા મળી રહ્યા છે તેવામાં આજે સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. 


પાટીલે અલ્પેશ વિશે શું વાત કરી?


સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા મામલે અલ્પેશ ઠાકોર ઉતાવળા થઈ રહ્યા છે તે મામલે સીઆર પાટીલે તેમને ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે તેવો ભાજપનો પૂરો ભરોસો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો નિર્ણય અંતે હાઈકમાન્ડને લેવાનો છે. 


ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થશે?

ઉત્તર ગુજરાતમાં અન્ય પછાત વર્ગનો દબદબો છે. તેમાં અનેક નેતાઓએ પોતાની કામગીરીથી નામ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના બે OBC નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થવા જઈ રહ્યા છે. જો આ બે નેતા એક થઈ જશે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થઈ શકે છે. જો કે ભૂતકાળની વાતોને વાગોળીએ તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  શંકરચૌધરીને વાવ બેઠક પરથી હરાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર ગુજરાતના આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડે જોર લગાવશે તો ભાજપનો બેડો પર થઈ શકે છે.  


શંકર ચૌધરી પણ અલ્પેશ તરફી માહોલ બનાવી રહ્યા છે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરાન તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવા તમામ લોકોની જવાબદારી છે. અલ્પેશ ઠાકર જાન લઈને પહોંચ્યા છે તો હવે તેમની જાન વચ્ચે અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. 


કોણ છે આ અલ્પેશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરે 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. તેમણે વર્ષ 2011 બાદ દારુબંધી જેવા કામો પર પણ કામ કર્યા છે. તેઓ પોતાના બેફામ નિવેદનો આપવા માટે જાણિતા છે જોકે તેમને પોતાના જ નિવેદનોથી નુકસાનો પણ થયા છે તે અલગ વિષય છે. કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવાની સાથે જ તેમનો સૂરજ આથમ્યો તેવું લોકો કહી રહ્યા છે. પોતાના મહત્વકાંક્ષાઓના કારણે પક્ષપલટાના કારણે તેમના વિસ્તારના લોકો તેમની વિરોધમાં જતા રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના રઘુ દેસાઈએ તેમને હરાવી દીધા હતા. ત્યારથી તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ ટીવી પર નિવેદનો માટે જાણિતા અલ્પેશ ઠાકોર હવે 

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે