અલ્પેશભાઈ ચૂંટણી લડશે અને જીતશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:34:35


ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનો માહોલ રસપ્રદ બની રહ્યો છે. રોજ નવા નવા રાજકીય ખેલ જોવા મળી રહ્યા છે તેવામાં આજે સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. 


પાટીલે અલ્પેશ વિશે શું વાત કરી?


સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા મામલે અલ્પેશ ઠાકોર ઉતાવળા થઈ રહ્યા છે તે મામલે સીઆર પાટીલે તેમને ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે તેવો ભાજપનો પૂરો ભરોસો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો નિર્ણય અંતે હાઈકમાન્ડને લેવાનો છે. 


ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થશે?

ઉત્તર ગુજરાતમાં અન્ય પછાત વર્ગનો દબદબો છે. તેમાં અનેક નેતાઓએ પોતાની કામગીરીથી નામ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના બે OBC નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થવા જઈ રહ્યા છે. જો આ બે નેતા એક થઈ જશે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થઈ શકે છે. જો કે ભૂતકાળની વાતોને વાગોળીએ તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  શંકરચૌધરીને વાવ બેઠક પરથી હરાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર ગુજરાતના આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડે જોર લગાવશે તો ભાજપનો બેડો પર થઈ શકે છે.  


શંકર ચૌધરી પણ અલ્પેશ તરફી માહોલ બનાવી રહ્યા છે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરાન તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવા તમામ લોકોની જવાબદારી છે. અલ્પેશ ઠાકર જાન લઈને પહોંચ્યા છે તો હવે તેમની જાન વચ્ચે અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. 


કોણ છે આ અલ્પેશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરે 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. તેમણે વર્ષ 2011 બાદ દારુબંધી જેવા કામો પર પણ કામ કર્યા છે. તેઓ પોતાના બેફામ નિવેદનો આપવા માટે જાણિતા છે જોકે તેમને પોતાના જ નિવેદનોથી નુકસાનો પણ થયા છે તે અલગ વિષય છે. કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવાની સાથે જ તેમનો સૂરજ આથમ્યો તેવું લોકો કહી રહ્યા છે. પોતાના મહત્વકાંક્ષાઓના કારણે પક્ષપલટાના કારણે તેમના વિસ્તારના લોકો તેમની વિરોધમાં જતા રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના રઘુ દેસાઈએ તેમને હરાવી દીધા હતા. ત્યારથી તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ ટીવી પર નિવેદનો માટે જાણિતા અલ્પેશ ઠાકોર હવે 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.