અલ્પેશભાઈ ચૂંટણી લડશે અને જીતશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:34:35


ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનો માહોલ રસપ્રદ બની રહ્યો છે. રોજ નવા નવા રાજકીય ખેલ જોવા મળી રહ્યા છે તેવામાં આજે સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. 


પાટીલે અલ્પેશ વિશે શું વાત કરી?


સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા મામલે અલ્પેશ ઠાકોર ઉતાવળા થઈ રહ્યા છે તે મામલે સીઆર પાટીલે તેમને ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે તેવો ભાજપનો પૂરો ભરોસો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો નિર્ણય અંતે હાઈકમાન્ડને લેવાનો છે. 


ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થશે?

ઉત્તર ગુજરાતમાં અન્ય પછાત વર્ગનો દબદબો છે. તેમાં અનેક નેતાઓએ પોતાની કામગીરીથી નામ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના બે OBC નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થવા જઈ રહ્યા છે. જો આ બે નેતા એક થઈ જશે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થઈ શકે છે. જો કે ભૂતકાળની વાતોને વાગોળીએ તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  શંકરચૌધરીને વાવ બેઠક પરથી હરાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર ગુજરાતના આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડે જોર લગાવશે તો ભાજપનો બેડો પર થઈ શકે છે.  


શંકર ચૌધરી પણ અલ્પેશ તરફી માહોલ બનાવી રહ્યા છે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરાન તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવા તમામ લોકોની જવાબદારી છે. અલ્પેશ ઠાકર જાન લઈને પહોંચ્યા છે તો હવે તેમની જાન વચ્ચે અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. 


કોણ છે આ અલ્પેશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરે 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. તેમણે વર્ષ 2011 બાદ દારુબંધી જેવા કામો પર પણ કામ કર્યા છે. તેઓ પોતાના બેફામ નિવેદનો આપવા માટે જાણિતા છે જોકે તેમને પોતાના જ નિવેદનોથી નુકસાનો પણ થયા છે તે અલગ વિષય છે. કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવાની સાથે જ તેમનો સૂરજ આથમ્યો તેવું લોકો કહી રહ્યા છે. પોતાના મહત્વકાંક્ષાઓના કારણે પક્ષપલટાના કારણે તેમના વિસ્તારના લોકો તેમની વિરોધમાં જતા રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના રઘુ દેસાઈએ તેમને હરાવી દીધા હતા. ત્યારથી તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ ટીવી પર નિવેદનો માટે જાણિતા અલ્પેશ ઠાકોર હવે 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.