અલ્પેશભાઈ ચૂંટણી લડશે અને જીતશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:34:35


ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનો માહોલ રસપ્રદ બની રહ્યો છે. રોજ નવા નવા રાજકીય ખેલ જોવા મળી રહ્યા છે તેવામાં આજે સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. 


પાટીલે અલ્પેશ વિશે શું વાત કરી?


સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા મામલે અલ્પેશ ઠાકોર ઉતાવળા થઈ રહ્યા છે તે મામલે સીઆર પાટીલે તેમને ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે તેવો ભાજપનો પૂરો ભરોસો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો નિર્ણય અંતે હાઈકમાન્ડને લેવાનો છે. 


ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થશે?

ઉત્તર ગુજરાતમાં અન્ય પછાત વર્ગનો દબદબો છે. તેમાં અનેક નેતાઓએ પોતાની કામગીરીથી નામ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના બે OBC નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થવા જઈ રહ્યા છે. જો આ બે નેતા એક થઈ જશે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થઈ શકે છે. જો કે ભૂતકાળની વાતોને વાગોળીએ તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  શંકરચૌધરીને વાવ બેઠક પરથી હરાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર ગુજરાતના આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડે જોર લગાવશે તો ભાજપનો બેડો પર થઈ શકે છે.  


શંકર ચૌધરી પણ અલ્પેશ તરફી માહોલ બનાવી રહ્યા છે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરાન તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવા તમામ લોકોની જવાબદારી છે. અલ્પેશ ઠાકર જાન લઈને પહોંચ્યા છે તો હવે તેમની જાન વચ્ચે અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. 


કોણ છે આ અલ્પેશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરે 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. તેમણે વર્ષ 2011 બાદ દારુબંધી જેવા કામો પર પણ કામ કર્યા છે. તેઓ પોતાના બેફામ નિવેદનો આપવા માટે જાણિતા છે જોકે તેમને પોતાના જ નિવેદનોથી નુકસાનો પણ થયા છે તે અલગ વિષય છે. કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવાની સાથે જ તેમનો સૂરજ આથમ્યો તેવું લોકો કહી રહ્યા છે. પોતાના મહત્વકાંક્ષાઓના કારણે પક્ષપલટાના કારણે તેમના વિસ્તારના લોકો તેમની વિરોધમાં જતા રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના રઘુ દેસાઈએ તેમને હરાવી દીધા હતા. ત્યારથી તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ ટીવી પર નિવેદનો માટે જાણિતા અલ્પેશ ઠાકોર હવે 

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .