આમ આદમી પાર્ટીની વધતી લોકચાહના પર સી.આર.પાટીલે આપ્યું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:54:11

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાત આવી રેલીઓ ગાજવી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવાનો અને એક બીજી પાર્ટી પર કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડી રહ્યા નથી. આમ આદમી પાર્ટી પણ ઉત્સાહિત થઈ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. દિલ્હી મોડલ અને પંજાબ મોડલનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પડકાર નથી.

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

આમ આદમી પાર્ટી તરફથી કોઈ પડકાર નથી - સી.આર.પાટીલ

ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનને આગળ કરી ભાજપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. અમિત શાહ પણ ગુજરાત આવી, ઉચ્ચ અધિકારીઓ સાથે મળી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે સી.આર પાટીલે કહ્યું કે ભાજપને આમ આદમી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીને કારણે ભાજપ પ્રેશરમાં આવી ગયું છે. તેમજ ભાજપમાં ડર વ્યાપી ગયો છે.

AAP to start month-long campaign to highlight MCD's 'failures' under BJP

ભાજપ પાસે છે અનેક બ્રહ્માસ્ત્ર 

સી.આર.પાટીલે કહ્યું કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ ભાજપ માટે મદદરૂપ બની રહેશે. ઉપરાંત ઉમેદવારો અંગે નિવેદન આપતા કહ્યું કે તમામ ઉમેદવારોના બાયોડેટા વડાપ્રધાન અને અમિત શાહને સોંપી દેવામાં આવ્યા છે. તે લોકો જે ઉમેદવારોના નામ નક્કી કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે.

PM Modi transformed Kashi in five years, says Amit Shah- The New Indian  Express

કોંગ્રેસ માટે પાટીલે આપી પ્રતિક્રિયા  

કોંગ્રેસ પર ટિપ્પણી આપતા સી.આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે. પરંતુ સ્થાનિક સ્તરે થતી ઘટનાઓને કારણે તે ફરી બેઠુ થવા સક્ષમ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે અગાઉ કોંગ્રેસ પાસે 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હતો, જે હવે નથી રહ્યો. 

Rajasthan bypolls: Congress wins Mandava, RLP bags Khinvsar | Elections  News – India TV   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.