આમ આદમી પાર્ટીની વધતી લોકચાહના પર સી.આર.પાટીલે આપ્યું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:54:11

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાત આવી રેલીઓ ગાજવી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવાનો અને એક બીજી પાર્ટી પર કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડી રહ્યા નથી. આમ આદમી પાર્ટી પણ ઉત્સાહિત થઈ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. દિલ્હી મોડલ અને પંજાબ મોડલનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પડકાર નથી.

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

આમ આદમી પાર્ટી તરફથી કોઈ પડકાર નથી - સી.આર.પાટીલ

ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનને આગળ કરી ભાજપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. અમિત શાહ પણ ગુજરાત આવી, ઉચ્ચ અધિકારીઓ સાથે મળી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે સી.આર પાટીલે કહ્યું કે ભાજપને આમ આદમી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીને કારણે ભાજપ પ્રેશરમાં આવી ગયું છે. તેમજ ભાજપમાં ડર વ્યાપી ગયો છે.

AAP to start month-long campaign to highlight MCD's 'failures' under BJP

ભાજપ પાસે છે અનેક બ્રહ્માસ્ત્ર 

સી.આર.પાટીલે કહ્યું કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ ભાજપ માટે મદદરૂપ બની રહેશે. ઉપરાંત ઉમેદવારો અંગે નિવેદન આપતા કહ્યું કે તમામ ઉમેદવારોના બાયોડેટા વડાપ્રધાન અને અમિત શાહને સોંપી દેવામાં આવ્યા છે. તે લોકો જે ઉમેદવારોના નામ નક્કી કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે.

PM Modi transformed Kashi in five years, says Amit Shah- The New Indian  Express

કોંગ્રેસ માટે પાટીલે આપી પ્રતિક્રિયા  

કોંગ્રેસ પર ટિપ્પણી આપતા સી.આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે. પરંતુ સ્થાનિક સ્તરે થતી ઘટનાઓને કારણે તે ફરી બેઠુ થવા સક્ષમ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે અગાઉ કોંગ્રેસ પાસે 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હતો, જે હવે નથી રહ્યો. 

Rajasthan bypolls: Congress wins Mandava, RLP bags Khinvsar | Elections  News – India TV   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.