બાંહેધરી પત્રનો વિરોધ રોકવા સીઆર પાટીલને મેદાને આવવું પડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:01:58

ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ અનેક લોકોએ સરકાર સામે આંદોલનની છડી વરસાવી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ  વિરોધ નહીં કરે તેવો સરકારનો બાંહેધરી પત્રક ભરવા વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર નહીં આપવું પડે તેવી જાહેરાત કરી હતી. સીઆર પાટીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રમાં સહી કરવાની જરૂર નથી. 


શું હતો સમગ્ર મુદ્દો?

ચૂંટણી આવવાના સમય પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે વધારવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પરિવારની મહિલાઓએ જાન્યુઆરી 2022માં સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કેટલાક નવા કર્મચારીઓ વિરોધ નોંધાવવા આગળ આવ્યા હતા. પોલીસ પરિવારની માગ હતી કે તેમનો ગ્રેડ પેનો પગારનો હક તેમને મળવો જોઈએ. વિરોધનો સૂર પ્રચંડ થતાં સરકારને પોલીસ પરિવારો સામે નમવું પડ્યું હતું અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરના ભથ્થા વધારવાની સરકારે જાહેરાત કરી હતી. સરકારે તે સમયે સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રેડ-પે વધારવામાં નહીં આવે. જમાવટના સૂત્રથી મળતી માહિતી મુજબ ત્યાર બાદ સરકારે પોલીસ કર્મચારીઓને વિરોધ નહીં કરવાનો બાંહેધરીપત્રક ભરવા માટે સૂચન આપવા જણાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રક ભરવા માટે દબાવ બનાવ્યું હતું. ચૂંટણી અગાઉના સમયમાં સમગ્ર મામલો વિરોધનો માહોલ બનાવતા આજે સીઆર પાટીલે બાંહેધરીપત્રક મામલે સ્પષ્ટતા કરી હતી. 


સીઆર પાટીલે શું સ્પષ્ટતા કરી?

વિરોધને ટાળવા માટે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં બાંહેધરી પત્રક મામલે નિવેદન આપ્યું હતું. સીઆર પાટીલે જણાવ્યું હતું કે પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્રક આપવું નહીં પડે. પગાર માટે પોલીસ જવાનોને બાંહેધરી પત્રક પર સહી કરવાની કોઈ જરૂર નથી તેવું નિવેદન સીઆર પાટીલે આપ્યું હતું. હાલ સમગ્ર મામલે ગૃહ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર માહિતી નથી આપી. પરંતુ સીઆર પાટીલના નિવેદન બાદ અને ચૂંટણી દરમિયાન માહોલ શાંત બનાવી રાખવા માટે બાંહેધરી પત્ર પર સહી નહીં કરવાની સૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીને આપી શકે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.   


ગુજરાત પોલીસમાં અનેક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમના પરિવારને મળીને ગણતરી કરવામાં આવે તો આંકડો ઘણો મોટો જણાઈ રહ્યો છે. વર્ગ 1થી 3ના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ મામલે વિરોધ નોંધાવી જ રહ્યા છે અને પોલીસ પરિવાર પણ વિરોધના મેદાનમાં જંપલાવે તો સરકારને ચૂંટણીમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. જો કે સમગ્ર માહોલને શાંત બનાવી રાખવા માટે સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવીને કામગીરી કરી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જો પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વિરોધમાં આવી જાય તો સરકારને ભારે નુકસાન થઈ શકે એમ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.