બાંહેધરી પત્રનો વિરોધ રોકવા સીઆર પાટીલને મેદાને આવવું પડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:01:58

ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ અનેક લોકોએ સરકાર સામે આંદોલનની છડી વરસાવી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ  વિરોધ નહીં કરે તેવો સરકારનો બાંહેધરી પત્રક ભરવા વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર નહીં આપવું પડે તેવી જાહેરાત કરી હતી. સીઆર પાટીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રમાં સહી કરવાની જરૂર નથી. 


શું હતો સમગ્ર મુદ્દો?

ચૂંટણી આવવાના સમય પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે વધારવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પરિવારની મહિલાઓએ જાન્યુઆરી 2022માં સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કેટલાક નવા કર્મચારીઓ વિરોધ નોંધાવવા આગળ આવ્યા હતા. પોલીસ પરિવારની માગ હતી કે તેમનો ગ્રેડ પેનો પગારનો હક તેમને મળવો જોઈએ. વિરોધનો સૂર પ્રચંડ થતાં સરકારને પોલીસ પરિવારો સામે નમવું પડ્યું હતું અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરના ભથ્થા વધારવાની સરકારે જાહેરાત કરી હતી. સરકારે તે સમયે સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રેડ-પે વધારવામાં નહીં આવે. જમાવટના સૂત્રથી મળતી માહિતી મુજબ ત્યાર બાદ સરકારે પોલીસ કર્મચારીઓને વિરોધ નહીં કરવાનો બાંહેધરીપત્રક ભરવા માટે સૂચન આપવા જણાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રક ભરવા માટે દબાવ બનાવ્યું હતું. ચૂંટણી અગાઉના સમયમાં સમગ્ર મામલો વિરોધનો માહોલ બનાવતા આજે સીઆર પાટીલે બાંહેધરીપત્રક મામલે સ્પષ્ટતા કરી હતી. 


સીઆર પાટીલે શું સ્પષ્ટતા કરી?

વિરોધને ટાળવા માટે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં બાંહેધરી પત્રક મામલે નિવેદન આપ્યું હતું. સીઆર પાટીલે જણાવ્યું હતું કે પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્રક આપવું નહીં પડે. પગાર માટે પોલીસ જવાનોને બાંહેધરી પત્રક પર સહી કરવાની કોઈ જરૂર નથી તેવું નિવેદન સીઆર પાટીલે આપ્યું હતું. હાલ સમગ્ર મામલે ગૃહ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર માહિતી નથી આપી. પરંતુ સીઆર પાટીલના નિવેદન બાદ અને ચૂંટણી દરમિયાન માહોલ શાંત બનાવી રાખવા માટે બાંહેધરી પત્ર પર સહી નહીં કરવાની સૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીને આપી શકે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.   


ગુજરાત પોલીસમાં અનેક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમના પરિવારને મળીને ગણતરી કરવામાં આવે તો આંકડો ઘણો મોટો જણાઈ રહ્યો છે. વર્ગ 1થી 3ના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ મામલે વિરોધ નોંધાવી જ રહ્યા છે અને પોલીસ પરિવાર પણ વિરોધના મેદાનમાં જંપલાવે તો સરકારને ચૂંટણીમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. જો કે સમગ્ર માહોલને શાંત બનાવી રાખવા માટે સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવીને કામગીરી કરી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જો પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વિરોધમાં આવી જાય તો સરકારને ભારે નુકસાન થઈ શકે એમ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.