બીજેપીના સ્થાપના દિવસે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી સી.આર.પાટીલે લખ્યો પત્ર, લખ્યું રાષ્ટ્ર જ સર્વોપરિના સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે...


  • Published By :
  • Published Date : 2024-04-06 17:53:07

ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે... અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવારનો કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવું કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં વિચાર્યું હોય..! ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને જાહેર કર્યા બાદ બદલ્યા હોય. આ બધા વચ્ચે આજે ભાજપનો સ્થાપના દિવસ છે. આ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને પત્ર લખ્યો છે. 

Image

સી.આર.પાટીલે કાર્યકર્તાઓને લખ્યો પત્ર!

ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે... પીએમ મોદી સહિતના નેતાઓએ આ અંગે ટ્વિટ કરી છે, સંદેશો પાઠવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી એક પત્ર લખ્યો છે.. પત્રમાં લખ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી - પણ વિશ્વનો સૌથી મોટો વિશાળ પરિવાર છે. અને આપણે સૌ આ પરિવારના સભ્યો છીએ એનું આપણને સૌને ગૌરવ છે... આજે હું એ સૌ મહાન વિભૂતિઓને વંદન કરૂં છું જેમણે આ પાર્ટીના સર્જન અને વિસ્તરણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.

Image

કાર્યકર્તાઓને આપ્યો સંદેશ! 

કાર્યકર્તાઓની વાત પણ તેમણે આ પત્રમાં લખ્યું છે. તેમણે લખ્યું કે કાર્યકર્તાશ્રીઓ, જનસેવા-રાષ્ટ્રસેવા એ આપણી પાર્ટીનાં- આપણાં પરિવારના સંસ્કાર છે. રાષ્ટ્ર જ સર્વોપરિના સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓશ્રીઓએ આ સંસ્કારોનું હૃદયપૂર્વક જતન કર્યું છે. પોતાના પત્રમાં સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહના નેતૃત્વની વાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ..! આ સંકલ્પ સાથે આપ સૌ રાત દિવસ રાષ્ટ્રસેવાની ધૂણી ધખાવી શક્ય એટલું સર્વોત્તમ પ્રદાન કરવાનો પ્રયાસ કરો છો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું.  


પીએમ મોદી માટે કહી આ વાત

પત્રમાં તેમણે એવું પણ લખ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વધુને વધુ મજબૂત બનતું જાય છે. દેશના છેવાડાના લોકો સુધી સુવિધા-સુખારી પહોંચાડી શકાઈ છે. વિકાસની ગતિ વધી છે અને એટલે હવે આપણી જવાબદારીઓ પણ પણ વધી છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ અથાક પરિશ્રમથી સફળતાપૂર્વક આ જવાબદારીઓનું વહન કરશો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.