બીજેપીના સ્થાપના દિવસે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી સી.આર.પાટીલે લખ્યો પત્ર, લખ્યું રાષ્ટ્ર જ સર્વોપરિના સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે...


  • Published By :
  • Published Date : 2024-04-06 17:53:07

ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે... અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવારનો કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવું કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં વિચાર્યું હોય..! ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને જાહેર કર્યા બાદ બદલ્યા હોય. આ બધા વચ્ચે આજે ભાજપનો સ્થાપના દિવસ છે. આ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને પત્ર લખ્યો છે. 

Image

સી.આર.પાટીલે કાર્યકર્તાઓને લખ્યો પત્ર!

ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે... પીએમ મોદી સહિતના નેતાઓએ આ અંગે ટ્વિટ કરી છે, સંદેશો પાઠવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી એક પત્ર લખ્યો છે.. પત્રમાં લખ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી - પણ વિશ્વનો સૌથી મોટો વિશાળ પરિવાર છે. અને આપણે સૌ આ પરિવારના સભ્યો છીએ એનું આપણને સૌને ગૌરવ છે... આજે હું એ સૌ મહાન વિભૂતિઓને વંદન કરૂં છું જેમણે આ પાર્ટીના સર્જન અને વિસ્તરણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.

Image

કાર્યકર્તાઓને આપ્યો સંદેશ! 

કાર્યકર્તાઓની વાત પણ તેમણે આ પત્રમાં લખ્યું છે. તેમણે લખ્યું કે કાર્યકર્તાશ્રીઓ, જનસેવા-રાષ્ટ્રસેવા એ આપણી પાર્ટીનાં- આપણાં પરિવારના સંસ્કાર છે. રાષ્ટ્ર જ સર્વોપરિના સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓશ્રીઓએ આ સંસ્કારોનું હૃદયપૂર્વક જતન કર્યું છે. પોતાના પત્રમાં સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહના નેતૃત્વની વાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ..! આ સંકલ્પ સાથે આપ સૌ રાત દિવસ રાષ્ટ્રસેવાની ધૂણી ધખાવી શક્ય એટલું સર્વોત્તમ પ્રદાન કરવાનો પ્રયાસ કરો છો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું.  


પીએમ મોદી માટે કહી આ વાત

પત્રમાં તેમણે એવું પણ લખ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વધુને વધુ મજબૂત બનતું જાય છે. દેશના છેવાડાના લોકો સુધી સુવિધા-સુખારી પહોંચાડી શકાઈ છે. વિકાસની ગતિ વધી છે અને એટલે હવે આપણી જવાબદારીઓ પણ પણ વધી છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ અથાક પરિશ્રમથી સફળતાપૂર્વક આ જવાબદારીઓનું વહન કરશો.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે