Ahmedabadમાં રમાનારી World Cup મેચ જોવા ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ, BRTS-AMTSની દોડાવાશે વિશેષ બસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 10:29:56

19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમજ ભારત માટે ખુબ મહત્વનો રહેવાનો છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બંને ટીમો અમદાવાદ આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી દેવાઈ છે. ક્રિકેટને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે. ન માત્ર ભારતીયોની પરંતુ વિદેશના લોકોની નજર પણ આ વર્લ્ડ કપ મેચ પર છે. કોણ મેચ જીતશે તેની પર સૌની નજર રહેલી છે. ત્યારે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદીઓ મેચ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી શકે તે માટે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના ડે. પીએમ આવશે અમદાવાદ! 

ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ મેચ પર સૌ કોઈની નજર રહેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી મેચને જોવા ભારતના પીએમ તેમજ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અમદાવાદ આવવાના છે તેવી માહિતી સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને જોવા માટે દેશ વિદેશથી લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદની હોટેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદીને સ્ટેડિયમ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મેટ્રો ટ્રેન News in Gujarati, Latest મેટ્રો ટ્રેન news, photos, videos |  Zee News Gujarati

BRTS તેમજ AMTSની બસો અલગ અલગ રૂટો પર દોડાવવામાં આવશે 

વર્લ્ડ કપ જોવા આવી રહેલા દર્શકોને અવર-જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બીઆરટીએસ તેમજ એએમટીએસ બસોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીઆરટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો દોડાવવામાં આવશે જ્યારે એએમટીએસ દ્વારા 119 જેટલી બસો વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. મહત્વનું છે કે આ મેચને જોઈ લોકોમાં વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે.      



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.