Ahmedabadમાં રમાનારી World Cup મેચ જોવા ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ, BRTS-AMTSની દોડાવાશે વિશેષ બસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 10:29:56

19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમજ ભારત માટે ખુબ મહત્વનો રહેવાનો છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બંને ટીમો અમદાવાદ આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી દેવાઈ છે. ક્રિકેટને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે. ન માત્ર ભારતીયોની પરંતુ વિદેશના લોકોની નજર પણ આ વર્લ્ડ કપ મેચ પર છે. કોણ મેચ જીતશે તેની પર સૌની નજર રહેલી છે. ત્યારે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદીઓ મેચ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી શકે તે માટે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના ડે. પીએમ આવશે અમદાવાદ! 

ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ મેચ પર સૌ કોઈની નજર રહેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી મેચને જોવા ભારતના પીએમ તેમજ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અમદાવાદ આવવાના છે તેવી માહિતી સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને જોવા માટે દેશ વિદેશથી લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદની હોટેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદીને સ્ટેડિયમ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મેટ્રો ટ્રેન News in Gujarati, Latest મેટ્રો ટ્રેન news, photos, videos |  Zee News Gujarati

BRTS તેમજ AMTSની બસો અલગ અલગ રૂટો પર દોડાવવામાં આવશે 

વર્લ્ડ કપ જોવા આવી રહેલા દર્શકોને અવર-જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બીઆરટીએસ તેમજ એએમટીએસ બસોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીઆરટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો દોડાવવામાં આવશે જ્યારે એએમટીએસ દ્વારા 119 જેટલી બસો વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. મહત્વનું છે કે આ મેચને જોઈ લોકોમાં વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે.      



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.