Ahmedabadમાં રમાનારી World Cup મેચ જોવા ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ, BRTS-AMTSની દોડાવાશે વિશેષ બસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 10:29:56

19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમજ ભારત માટે ખુબ મહત્વનો રહેવાનો છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બંને ટીમો અમદાવાદ આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી દેવાઈ છે. ક્રિકેટને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે. ન માત્ર ભારતીયોની પરંતુ વિદેશના લોકોની નજર પણ આ વર્લ્ડ કપ મેચ પર છે. કોણ મેચ જીતશે તેની પર સૌની નજર રહેલી છે. ત્યારે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદીઓ મેચ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી શકે તે માટે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના ડે. પીએમ આવશે અમદાવાદ! 

ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ મેચ પર સૌ કોઈની નજર રહેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી મેચને જોવા ભારતના પીએમ તેમજ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અમદાવાદ આવવાના છે તેવી માહિતી સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને જોવા માટે દેશ વિદેશથી લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદની હોટેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદીને સ્ટેડિયમ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મેટ્રો ટ્રેન News in Gujarati, Latest મેટ્રો ટ્રેન news, photos, videos |  Zee News Gujarati

BRTS તેમજ AMTSની બસો અલગ અલગ રૂટો પર દોડાવવામાં આવશે 

વર્લ્ડ કપ જોવા આવી રહેલા દર્શકોને અવર-જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બીઆરટીએસ તેમજ એએમટીએસ બસોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીઆરટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો દોડાવવામાં આવશે જ્યારે એએમટીએસ દ્વારા 119 જેટલી બસો વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. મહત્વનું છે કે આ મેચને જોઈ લોકોમાં વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે.      



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."