Indiaની ભવ્ય જીત બાદ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે Mohammed Shamiની પ્રશંસા, Virat માટે Anushkaએ કરી પોસ્ટ અને લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-16 13:07:20

ભારતીય ક્રિકેટ ટીમે ICC World Cupમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું. શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને કેએલ રાહુલને ભારતની શાનદાર બેટિંગનો શ્રેય મળ્યો. આ દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી. 7 વિકેટ ઝડપી ભારતને જીત હાંસલ કરાવી છે. આ મેચમાં તે ODI ક્રિકેટમાં ચોથી વખત પાંચ વિકેટ લેનારો બોલર બન્યો હતો. આ સિવાય તેના નામે વધુ એક અદ્ભુત રેકોર્ડ નોંધાયો છે. વર્લ્ડ કપમાં 50 વિકેટ લેવા વાળા તે પ્રથમ બોલર બન્યા છે. 

પીએમ મોદીએ મોહમ્મદ શમીની ગેંદબાજીને વખાણી, લખ્યું...

ફાઈનલમાં આવ્યા બાદ દરેક જગ્યાઓ પર જીતની ઉજવણી થઈ હતી. ભારતભરથી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. મેચ દરમિયાન મોહમ્મદ શમીની બોલિંગે લોકોની નજર પોતાના તરફ ખેંચી હતી. શાનદાર બોલિંગ કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન માત્ર દેશવાસીઓ પરંતુ પીએમ મોદીએ પણ શમીની બોલિંગના વખાણ કર્યા છે. પીએમ મોદીએ વખાણ કરતા ટ્વિટ કર્યું કે આજની સેમિફાઈનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને આવનારી પેઢીઓ યાદ રાખશે. શમી સારી રીતે રમ્યો.. 

Why Mohammed Shami Will Not Be Part Of T20 Cricket, Bcci Selectors Reveals  | હવે T20 ક્રિકેટમાં નહીં રમે મોહમ્મદ શમી, એશિયા કપમાં સિલેક્ટ ના થવા  પાછળનુ આ છે મોટુ કારણ, જાણો

Loving what you do at the heart of handling pressure: Kohli - RevSportz |  Latest Sports News

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતના ખેલાડીઓએ તોડ્યા અનેક રેકોર્ડ

આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ પણ રેકોર્ડ બનાવ્યો. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈલનની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ વિરાટ કોહલીએ તોડી દીધો છે. 279મી ઈનિંગ્સમાંપોચાની 50 વનડે સદી તેમણે પૂરી કરી લીધી છે. ભારતીય ટીમના જીત બાદ દરેક જગ્યાઓ પર ટીમની પ્રશંસા થઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓમાં જશ્નનો માહોલ છે. આ બધા વચ્ચે વિરાટ કોહલી માટે પત્ની અનુષ્કા શર્માએ ઈમોશનલ પોસ્ટ મૂકી છે. પોતાની ભાવના વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી જેની પ્રશંસા લોકો કરી રહ્યા છે. 


વિરાટ કોહલી માટે અનુષ્કાએ લખી પોસ્ટ

પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું કે 'ભગવાન શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ રાઈટર છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે મજબૂત બનતા જોવા માટે અને તે બધું હાંસલ કરતા જોવા માટે, તમે જે ઇચ્છો છો, તે મહાન છે. તમે હંમેશા તમારી જાત અને રમત પ્રત્યે પ્રમાણિક હતા. 'સાચે જ તમે ભગવાનના સંતાન છો'. તે ઉપરાંત ભારતીય ટીમની પણ અભિનેત્રીએ પ્રશંસા કરી. પોતાની પોસ્ટમાં અનુષ્કા શર્માએ શમીની પ્રશંસા કરી છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.