Indiaની ભવ્ય જીત બાદ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે Mohammed Shamiની પ્રશંસા, Virat માટે Anushkaએ કરી પોસ્ટ અને લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-16 13:07:20

ભારતીય ક્રિકેટ ટીમે ICC World Cupમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું. શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને કેએલ રાહુલને ભારતની શાનદાર બેટિંગનો શ્રેય મળ્યો. આ દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી. 7 વિકેટ ઝડપી ભારતને જીત હાંસલ કરાવી છે. આ મેચમાં તે ODI ક્રિકેટમાં ચોથી વખત પાંચ વિકેટ લેનારો બોલર બન્યો હતો. આ સિવાય તેના નામે વધુ એક અદ્ભુત રેકોર્ડ નોંધાયો છે. વર્લ્ડ કપમાં 50 વિકેટ લેવા વાળા તે પ્રથમ બોલર બન્યા છે. 

પીએમ મોદીએ મોહમ્મદ શમીની ગેંદબાજીને વખાણી, લખ્યું...

ફાઈનલમાં આવ્યા બાદ દરેક જગ્યાઓ પર જીતની ઉજવણી થઈ હતી. ભારતભરથી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. મેચ દરમિયાન મોહમ્મદ શમીની બોલિંગે લોકોની નજર પોતાના તરફ ખેંચી હતી. શાનદાર બોલિંગ કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન માત્ર દેશવાસીઓ પરંતુ પીએમ મોદીએ પણ શમીની બોલિંગના વખાણ કર્યા છે. પીએમ મોદીએ વખાણ કરતા ટ્વિટ કર્યું કે આજની સેમિફાઈનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને આવનારી પેઢીઓ યાદ રાખશે. શમી સારી રીતે રમ્યો.. 

Why Mohammed Shami Will Not Be Part Of T20 Cricket, Bcci Selectors Reveals  | હવે T20 ક્રિકેટમાં નહીં રમે મોહમ્મદ શમી, એશિયા કપમાં સિલેક્ટ ના થવા  પાછળનુ આ છે મોટુ કારણ, જાણો

Loving what you do at the heart of handling pressure: Kohli - RevSportz |  Latest Sports News

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતના ખેલાડીઓએ તોડ્યા અનેક રેકોર્ડ

આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ પણ રેકોર્ડ બનાવ્યો. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈલનની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ વિરાટ કોહલીએ તોડી દીધો છે. 279મી ઈનિંગ્સમાંપોચાની 50 વનડે સદી તેમણે પૂરી કરી લીધી છે. ભારતીય ટીમના જીત બાદ દરેક જગ્યાઓ પર ટીમની પ્રશંસા થઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓમાં જશ્નનો માહોલ છે. આ બધા વચ્ચે વિરાટ કોહલી માટે પત્ની અનુષ્કા શર્માએ ઈમોશનલ પોસ્ટ મૂકી છે. પોતાની ભાવના વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી જેની પ્રશંસા લોકો કરી રહ્યા છે. 


વિરાટ કોહલી માટે અનુષ્કાએ લખી પોસ્ટ

પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું કે 'ભગવાન શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ રાઈટર છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે મજબૂત બનતા જોવા માટે અને તે બધું હાંસલ કરતા જોવા માટે, તમે જે ઇચ્છો છો, તે મહાન છે. તમે હંમેશા તમારી જાત અને રમત પ્રત્યે પ્રમાણિક હતા. 'સાચે જ તમે ભગવાનના સંતાન છો'. તે ઉપરાંત ભારતીય ટીમની પણ અભિનેત્રીએ પ્રશંસા કરી. પોતાની પોસ્ટમાં અનુષ્કા શર્માએ શમીની પ્રશંસા કરી છે.      



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.