ક્રિકેટર હરભજનસિંહ અને aapના મોટા ચહેરાઓ ગુજરાતમાં ગજવશે સભાઓ


  • Published By :
  • Published Date : 2022-11-09 12:56:48

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર કરી રહી છે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોના ચહેરાઓની યાદી જાહેર કરી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માં ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સાંસદ સંજય સિહ અને યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ ગજવશે 


ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે

ગુજરાતમાં દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે આમ આદમી પાર્ટીએ આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતનાં નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી,પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,મનોજ સોરઠિયા,અલ્પેશ કથીરિયા અને યુવરાજસિહ જાડેજા,પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે 




આમ આદમી પાર્ટીએ 158 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના ચહેરાઓ સામે મૂકી રહી છે. જેમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી અત્યાર સુધી 12 યાદીઓ જાહેર કરી છે. પ્રથમ યાદી 2 જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.