ક્રિકેટર હરભજનસિંહ અને aapના મોટા ચહેરાઓ ગુજરાતમાં ગજવશે સભાઓ


  • Published By :
  • Published Date : 2022-11-09 12:56:48

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર કરી રહી છે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોના ચહેરાઓની યાદી જાહેર કરી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માં ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સાંસદ સંજય સિહ અને યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ ગજવશે 


ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે

ગુજરાતમાં દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે આમ આદમી પાર્ટીએ આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતનાં નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી,પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,મનોજ સોરઠિયા,અલ્પેશ કથીરિયા અને યુવરાજસિહ જાડેજા,પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે 




આમ આદમી પાર્ટીએ 158 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના ચહેરાઓ સામે મૂકી રહી છે. જેમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી અત્યાર સુધી 12 યાદીઓ જાહેર કરી છે. પ્રથમ યાદી 2 જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.