ક્રિકેટર હરભજનસિંહ અને aapના મોટા ચહેરાઓ ગુજરાતમાં ગજવશે સભાઓ


  • Published By :
  • Published Date : 2022-11-09 12:56:48

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર કરી રહી છે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોના ચહેરાઓની યાદી જાહેર કરી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માં ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સાંસદ સંજય સિહ અને યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ ગજવશે 


ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે

ગુજરાતમાં દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે આમ આદમી પાર્ટીએ આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતનાં નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી,પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,મનોજ સોરઠિયા,અલ્પેશ કથીરિયા અને યુવરાજસિહ જાડેજા,પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે 




આમ આદમી પાર્ટીએ 158 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના ચહેરાઓ સામે મૂકી રહી છે. જેમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી અત્યાર સુધી 12 યાદીઓ જાહેર કરી છે. પ્રથમ યાદી 2 જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.