ક્રિકેટર મુનાફ પટેલ સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, બેંક એકાઉન્ટ સીઝ, 52 લાખ રૂપિયા વસૂલાયા


  • Published By :
  • Published Date : 2022-12-16 15:15:36

જાણીતા ક્રિકેટર મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.  મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રેટર નોઈડા વેસ્ટના સેક્ટર 10માં વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવી રહી છે. મુનાફ પટેલ આ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપનીએ ફ્લેટ ખરીદનારાઓને નક્કી કરેલી સમય પર ફ્લેટ આપવાનું વચન નિભાવ્યું નથી.  ત્યાર બાદ ફ્લેટ ખરીદદારો અને બિલ્ડરના વચ્ચે રકમ પાછી મેળવવાને લઈ વિવાદ વધ્યો હતો. અંતે આ સમગ્ર વિવાદ રેગ્યુલેશન ઓથોરિટી યુપી રેરા સુધી પહોંચ્યો છે.    


ફ્લેટ ખરીદદારોએ કરી ફરિયાદ


વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં ફ્લેટ માટે આગોતરી ચુકવણી કરનારા ગ્રાહકોએ યુપી રેરામાં ફરિયાદ નોંધાવી અને તેમની રકમ પાછી મેળવવાની માગ કરી હતી. ત્યાર બાદ યુપી રેરાએ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી જારી કરી હતી. ત્યાર બાદ દાદરી તાલુકા વહીવટીતંત્રએ બિલ્ડર પાસેથી રકમ વસુલવાના પ્રયાસો શરૂ કર્યા છે.


એકાઉન્ટ સીઝ અને 52 લાખની વસૂલાત 


ઉત્તર પ્રદેશના ગૌતમબુધ્ધનગરના જિલ્લા વહીવટી તંત્રએ યુપી રેરાની આરસી પર કાર્યવાહી  કરતા પૂર્વ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર મુનાફ પટેલના બે  બેંક ખાતા સીઝ કરી દીધા છે. અને તેની પાસેથી 52 લાખ રૂપિયાની વસુલાત પણ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે ખરીદદારોની ફરિયાદો દૂર કરવા અને યુપી રેરા દ્વારા જારી કરાયેલી આરસીની રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


નિવાસ પ્રમોટર્સનું રજીસ્ટ્રેશન 2017માં થયું હતું


અત્રે ઉલ્લેખનિય છે  કે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2017 માં યુપી રેરામાં નોંધાયેલું હતું. રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, યુપી રેરાએ અગાઉ પણ કંપનીને ઘણી ચેતવણીઓ જારી કરી હતી. પરંતુ, પાલન ન કરવા બદલ, યુપી રેરાએ ભૂતકાળમાં રૂ. 10 કરોડની વસૂલાત માટે આરસી જારી કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.