ક્રિકેટર મુનાફ પટેલ સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, બેંક એકાઉન્ટ સીઝ, 52 લાખ રૂપિયા વસૂલાયા


  • Published By :
  • Published Date : 2022-12-16 15:15:36

જાણીતા ક્રિકેટર મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.  મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રેટર નોઈડા વેસ્ટના સેક્ટર 10માં વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવી રહી છે. મુનાફ પટેલ આ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપનીએ ફ્લેટ ખરીદનારાઓને નક્કી કરેલી સમય પર ફ્લેટ આપવાનું વચન નિભાવ્યું નથી.  ત્યાર બાદ ફ્લેટ ખરીદદારો અને બિલ્ડરના વચ્ચે રકમ પાછી મેળવવાને લઈ વિવાદ વધ્યો હતો. અંતે આ સમગ્ર વિવાદ રેગ્યુલેશન ઓથોરિટી યુપી રેરા સુધી પહોંચ્યો છે.    


ફ્લેટ ખરીદદારોએ કરી ફરિયાદ


વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં ફ્લેટ માટે આગોતરી ચુકવણી કરનારા ગ્રાહકોએ યુપી રેરામાં ફરિયાદ નોંધાવી અને તેમની રકમ પાછી મેળવવાની માગ કરી હતી. ત્યાર બાદ યુપી રેરાએ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી જારી કરી હતી. ત્યાર બાદ દાદરી તાલુકા વહીવટીતંત્રએ બિલ્ડર પાસેથી રકમ વસુલવાના પ્રયાસો શરૂ કર્યા છે.


એકાઉન્ટ સીઝ અને 52 લાખની વસૂલાત 


ઉત્તર પ્રદેશના ગૌતમબુધ્ધનગરના જિલ્લા વહીવટી તંત્રએ યુપી રેરાની આરસી પર કાર્યવાહી  કરતા પૂર્વ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર મુનાફ પટેલના બે  બેંક ખાતા સીઝ કરી દીધા છે. અને તેની પાસેથી 52 લાખ રૂપિયાની વસુલાત પણ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે ખરીદદારોની ફરિયાદો દૂર કરવા અને યુપી રેરા દ્વારા જારી કરાયેલી આરસીની રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


નિવાસ પ્રમોટર્સનું રજીસ્ટ્રેશન 2017માં થયું હતું


અત્રે ઉલ્લેખનિય છે  કે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2017 માં યુપી રેરામાં નોંધાયેલું હતું. રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, યુપી રેરાએ અગાઉ પણ કંપનીને ઘણી ચેતવણીઓ જારી કરી હતી. પરંતુ, પાલન ન કરવા બદલ, યુપી રેરાએ ભૂતકાળમાં રૂ. 10 કરોડની વસૂલાત માટે આરસી જારી કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.