રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર સીટ માટે ફોર્મ ભર્યું, રવિન્દ્ર જાડેજાએ પત્નીને જીતાડવા માટે કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-14 13:04:50

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગરમાંથી ચુંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ હવે પત્નીને ચૂંટણી જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરના લોકોને ભાવભીની અપીલ કરી હતી.


રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું


જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે તેમના સમર્થકો અને ભાજપના સ્થાનિક ધારાસભ્યો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. રીવાબાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. 


રીવાભા જાડેજાના સમર્થનમાં આ લોકો જોડાયા
 

રીવાબા જાડેજા શુભ મુહૂર્ત વેળાએ ફોર્મ ભરવા નિકળ્યા ત્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.  તેમના સમર્થનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના આગ્રાણી શ્રી.જીતુભાઈ લાલ, શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણ ભાઈ ભાટુ, ઉપરાંત શહેર ભાજપના ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઈન્ચાર્જ મનીષભાઈ કટારીયા વગેરે જોડાયા હતા. જેઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારો રિવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરી એ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.


ગઈ કાલે રવિન્દ્ર જાડેજાએ લોકોને કરી હતી અપીલ


રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.