નર્મદા જિલ્લામાં આવેલા પૂરને કારણે પાકને થયું નુકસાન, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત, જુઓ સરકાર શું કરી છે સહાય?


  • Published By :
  • Published Date : 2023-09-23 16:05:33

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. જનજીવન ખોરવાઈ ગયું હતું. નર્મદાનું પાણી અચાનક ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું જેને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વાતથી આપણે સૌ વાકીફ છીએ. પૂરે તારાજી સર્જી છે જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પાકોને પણ ભારે નુકસાન થયું છે. પહેલા વરસાદ સારો ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે વિનાશ લઈને આવ્યો. ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીનું પાણી નર્મદા અને વડોદરા જિલ્લામાં ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે.


રાજ્ય સરકારે પેકેજની કરી જાહેરાત 

નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પાણીએ તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જનજીવન ખોરવાઈ ગયું હતું. બાગાયતી ખેતીને થયેલા નુકસાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ :


આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.


- આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે


- આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,૫00 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.


સ્થાનિકોના રોષનો ભોગ બનતા ધારાસભ્યો 

મહત્વનું છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુર સર્જાયું છે તેવી વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ પૂર કુદરતી નથી પરંતુ માનવસર્જિત છે તેવી વાત પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. મંત્રીઓ, ધારાસભ્યો જ્યારે સ્થાનિકોની વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓને લોકો કહી રહ્યા છે કે તેમની (નેતા)ની ચાંપલૂસીને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના વિરોધનો સામનો કરવા ધારાસભ્યો મજબૂર બન્યા છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.