નર્મદા જિલ્લામાં આવેલા પૂરને કારણે પાકને થયું નુકસાન, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત, જુઓ સરકાર શું કરી છે સહાય?


  • Published By :
  • Published Date : 2023-09-23 16:05:33

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. જનજીવન ખોરવાઈ ગયું હતું. નર્મદાનું પાણી અચાનક ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું જેને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વાતથી આપણે સૌ વાકીફ છીએ. પૂરે તારાજી સર્જી છે જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પાકોને પણ ભારે નુકસાન થયું છે. પહેલા વરસાદ સારો ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે વિનાશ લઈને આવ્યો. ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીનું પાણી નર્મદા અને વડોદરા જિલ્લામાં ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે.


રાજ્ય સરકારે પેકેજની કરી જાહેરાત 

નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પાણીએ તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જનજીવન ખોરવાઈ ગયું હતું. બાગાયતી ખેતીને થયેલા નુકસાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ :


આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.


- આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે


- આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,૫00 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.


સ્થાનિકોના રોષનો ભોગ બનતા ધારાસભ્યો 

મહત્વનું છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુર સર્જાયું છે તેવી વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ પૂર કુદરતી નથી પરંતુ માનવસર્જિત છે તેવી વાત પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. મંત્રીઓ, ધારાસભ્યો જ્યારે સ્થાનિકોની વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓને લોકો કહી રહ્યા છે કે તેમની (નેતા)ની ચાંપલૂસીને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના વિરોધનો સામનો કરવા ધારાસભ્યો મજબૂર બન્યા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.