નર્મદા જિલ્લામાં આવેલા પૂરને કારણે પાકને થયું નુકસાન, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત, જુઓ સરકાર શું કરી છે સહાય?


  • Published By :
  • Published Date : 2023-09-23 16:05:33

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. જનજીવન ખોરવાઈ ગયું હતું. નર્મદાનું પાણી અચાનક ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું જેને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વાતથી આપણે સૌ વાકીફ છીએ. પૂરે તારાજી સર્જી છે જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પાકોને પણ ભારે નુકસાન થયું છે. પહેલા વરસાદ સારો ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે વિનાશ લઈને આવ્યો. ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીનું પાણી નર્મદા અને વડોદરા જિલ્લામાં ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે.


રાજ્ય સરકારે પેકેજની કરી જાહેરાત 

નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પાણીએ તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જનજીવન ખોરવાઈ ગયું હતું. બાગાયતી ખેતીને થયેલા નુકસાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ :


આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.


- આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે


- આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,૫00 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.


સ્થાનિકોના રોષનો ભોગ બનતા ધારાસભ્યો 

મહત્વનું છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુર સર્જાયું છે તેવી વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ પૂર કુદરતી નથી પરંતુ માનવસર્જિત છે તેવી વાત પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. મંત્રીઓ, ધારાસભ્યો જ્યારે સ્થાનિકોની વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓને લોકો કહી રહ્યા છે કે તેમની (નેતા)ની ચાંપલૂસીને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના વિરોધનો સામનો કરવા ધારાસભ્યો મજબૂર બન્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.