જનતાના કરોડો રુપિયા ગયા પાણીમાં! સુરતમાં એક મહિના પહેલા ઉદ્ધાટન કરાયેલો આ બ્રિજ બેસી ગયો! આપના નેતાએ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-06-29 09:40:05

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતાં જ જેમ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે તેવી જ રીતે વરસાદમાં બ્રિજના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી ઓછી ગુણવત્તા વાળા સામાનની પોલ પણ ખુલી જતી હોય છે. બ્રિજ નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે ઘણી વાત કરવામાં આવી. બ્રિજના નિર્માણ દરમિયાન કરોડો રુપિયા વાપરવામાં આવે છે પરંતુ તે બ્રિજ ટકાઉ નથી હોતા. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ બાદ જ બ્રિજ પર તિરાડો દેખાઈ આવે છે, અથવા તો બ્રિજ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક બ્રિજો છે જે આ બધી વાતોને કારણે ચર્ચામાં આવ્યા છે.

એક મહિનાની અંદર જ બ્રિજ પર પડી ગઈ તિરાડ 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે  જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પડેલા વરસાદે બ્રિજના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતાં બ્રિજનો એક સાઈડનો ભાગ બંધ કરવામાં  આવ્યો છે. મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. 18મેના રોજ જ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ રીતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર એક મહિનાની અંદર જ બ્રિજ પર તિરાડો દેખાવાની શરૂઆત થતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


અનેક એવા બ્રિજ છે જેમાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર 

ન માત્ર સુરતના બ્રિજની આવી હાલત થઈ હોય પરંતુ અનેક વિકસીત ગણતા શહેરોના બ્રિજની હાલત પણ આવી જ છે. અમદાવાદમાં પણ અનેક એવા પુલ છે જે માટે લોકો આરોપો લગાવતા હોય છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમદાવાદના અનેક બ્રિજો છે જે વિવાદમાં છે. સુરતના બ્રિજ પર જોવા મળેલી તિરાડને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે 40થી 45 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે બ્રિજનો એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને દોઢથી બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદમાં 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે.

ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલવામાં આવે - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.