જનતાના કરોડો રુપિયા ગયા પાણીમાં! સુરતમાં એક મહિના પહેલા ઉદ્ધાટન કરાયેલો આ બ્રિજ બેસી ગયો! આપના નેતાએ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-06-29 09:40:05

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતાં જ જેમ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે તેવી જ રીતે વરસાદમાં બ્રિજના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી ઓછી ગુણવત્તા વાળા સામાનની પોલ પણ ખુલી જતી હોય છે. બ્રિજ નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે ઘણી વાત કરવામાં આવી. બ્રિજના નિર્માણ દરમિયાન કરોડો રુપિયા વાપરવામાં આવે છે પરંતુ તે બ્રિજ ટકાઉ નથી હોતા. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ બાદ જ બ્રિજ પર તિરાડો દેખાઈ આવે છે, અથવા તો બ્રિજ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક બ્રિજો છે જે આ બધી વાતોને કારણે ચર્ચામાં આવ્યા છે.

એક મહિનાની અંદર જ બ્રિજ પર પડી ગઈ તિરાડ 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે  જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પડેલા વરસાદે બ્રિજના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતાં બ્રિજનો એક સાઈડનો ભાગ બંધ કરવામાં  આવ્યો છે. મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. 18મેના રોજ જ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ રીતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર એક મહિનાની અંદર જ બ્રિજ પર તિરાડો દેખાવાની શરૂઆત થતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


અનેક એવા બ્રિજ છે જેમાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર 

ન માત્ર સુરતના બ્રિજની આવી હાલત થઈ હોય પરંતુ અનેક વિકસીત ગણતા શહેરોના બ્રિજની હાલત પણ આવી જ છે. અમદાવાદમાં પણ અનેક એવા પુલ છે જે માટે લોકો આરોપો લગાવતા હોય છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમદાવાદના અનેક બ્રિજો છે જે વિવાદમાં છે. સુરતના બ્રિજ પર જોવા મળેલી તિરાડને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે 40થી 45 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે બ્રિજનો એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને દોઢથી બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદમાં 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે.

ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલવામાં આવે - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.