જનતાના કરોડો રુપિયા ગયા પાણીમાં! સુરતમાં એક મહિના પહેલા ઉદ્ધાટન કરાયેલો આ બ્રિજ બેસી ગયો! આપના નેતાએ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-06-29 09:40:05

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતાં જ જેમ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે તેવી જ રીતે વરસાદમાં બ્રિજના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી ઓછી ગુણવત્તા વાળા સામાનની પોલ પણ ખુલી જતી હોય છે. બ્રિજ નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે ઘણી વાત કરવામાં આવી. બ્રિજના નિર્માણ દરમિયાન કરોડો રુપિયા વાપરવામાં આવે છે પરંતુ તે બ્રિજ ટકાઉ નથી હોતા. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ બાદ જ બ્રિજ પર તિરાડો દેખાઈ આવે છે, અથવા તો બ્રિજ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક બ્રિજો છે જે આ બધી વાતોને કારણે ચર્ચામાં આવ્યા છે.

એક મહિનાની અંદર જ બ્રિજ પર પડી ગઈ તિરાડ 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે  જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પડેલા વરસાદે બ્રિજના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતાં બ્રિજનો એક સાઈડનો ભાગ બંધ કરવામાં  આવ્યો છે. મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. 18મેના રોજ જ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ રીતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર એક મહિનાની અંદર જ બ્રિજ પર તિરાડો દેખાવાની શરૂઆત થતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


અનેક એવા બ્રિજ છે જેમાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર 

ન માત્ર સુરતના બ્રિજની આવી હાલત થઈ હોય પરંતુ અનેક વિકસીત ગણતા શહેરોના બ્રિજની હાલત પણ આવી જ છે. અમદાવાદમાં પણ અનેક એવા પુલ છે જે માટે લોકો આરોપો લગાવતા હોય છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમદાવાદના અનેક બ્રિજો છે જે વિવાદમાં છે. સુરતના બ્રિજ પર જોવા મળેલી તિરાડને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે 40થી 45 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે બ્રિજનો એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને દોઢથી બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદમાં 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે.

ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલવામાં આવે - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.