શ્રીલંકાની યુવતી ફેસબુક મિત્રને મળવા પહોંચી આંધ્ર પ્રદેશ, શિવાકુમારીએ લક્ષ્મણ સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-30 18:14:22

સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરી સામે આવ્યા બાદ દેશમાં ક્રોસ બોર્ડર પ્રેમનો જાણે રાફડો જ ફાટ્યો છે. શ્રીલંકાની એક  25 વર્ષીય યુવતી, શિવાકુમારી વિગ્નેશ્વરી, છ વર્ષ જુના તેના ફેસબુક મિત્ર, 28 વર્ષીય લક્ષ્મણ સાથે લગ્ન કરવા ભારત આવી છે. પ્રવાસી વિઝા પર આવેલી મહિલાએ ચિત્તૂર જિલ્લાના પુરુષ સાથે લગ્ન કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયામાં લગ્નના સમાચાર વાઈરલ થતાં, પોલીસે તેને નિર્દેશ આપ્યો હતો કે તે 15 ઓગસ્ટે તેના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડી દે અથવા એક્સ્ટેંશન માંગે. ચિત્તૂરની આ લવ સ્ટોરીએ સ્થાનિકોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.


વિગ્નેશ્વરી 8 જુલાઈએ આંધ્રપ્રદેશ આવી


તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યા પછી, વિગ્નેશ્વરી 8 જુલાઈના રોજ આંધ્રપ્રદેશ આવી. બંનેએ 20 જુલાઈના રોજ ચિત્તૂર જિલ્લાના વી કોટા ખાતેના મંદિરમાં લગ્ન કર્યા હતા. વી કોટા મંડલના અરિમાકુલાપલ્લેના મેસન લક્ષ્મણ  2017 માં ફેસબુક પર શ્રીલંકાની વિગ્નેશ્વરીને મળ્યો હતો. વિગ્નેશ્વરી 8 જુલાઈએ કોલંબોથી પ્રવાસી વિઝા પર ચેન્નાઈ પહોંચી હતી. લક્ષ્મણ તેને લેવા ચેન્નાઈ ગયો હતો. બાદમાં તે વિગ્નેશ્વરીને ઘરે લાવ્યો હતો. લક્ષ્મણના પરિવારજનોની સંમતિથી તેઓએ 20 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.


યુવતીનો શ્રીલંકા જવા ઈન્કાર 


પોલીસે વિઘ્નેશ્વરીને નિર્દેશ આપ્યો કે તેણે15 ઓગસ્ટ સુધીમાં શ્રીલંકા પરત ફરવું જોઈએ. પરંતુ વિઘ્નેશ્વરીએ તેના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો અને ભારત સરકારને વિનંતી કરી હતી કે તે દેશમાં કાયમી રીતે રહેવાની વ્યવસ્થા કરે જેથી તે તેના પતિ સાથે રહી શકે. વિઘ્નેશ્વરી ભારતીય નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહી છે અને તેને પ્રક્રિયા અને માપદંડો પણ સમજાવવામાં આવ્યા હતા. તેણે શનિવારે ભારતમાં પાછા ફરવા માટે અને તેના વિઝાના એક વર્ષના એક્સ્ટેંશન માટે અરજી કરી હતી. પોલીસે જણાવ્યું કે વિગ્નેશ્વરી શ્રીલંકાના વેલાંગુડીની રહેવાસી છે. પોલીસે દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવાની પણ સલાહ આપી જેથી તેઓ ભવિષ્યમાં કોઈપણ સંભવિત કાનૂની ગૂંચમાંથી બચી શકે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .