શ્રીલંકાની યુવતી ફેસબુક મિત્રને મળવા પહોંચી આંધ્ર પ્રદેશ, શિવાકુમારીએ લક્ષ્મણ સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-30 18:14:22

સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરી સામે આવ્યા બાદ દેશમાં ક્રોસ બોર્ડર પ્રેમનો જાણે રાફડો જ ફાટ્યો છે. શ્રીલંકાની એક  25 વર્ષીય યુવતી, શિવાકુમારી વિગ્નેશ્વરી, છ વર્ષ જુના તેના ફેસબુક મિત્ર, 28 વર્ષીય લક્ષ્મણ સાથે લગ્ન કરવા ભારત આવી છે. પ્રવાસી વિઝા પર આવેલી મહિલાએ ચિત્તૂર જિલ્લાના પુરુષ સાથે લગ્ન કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયામાં લગ્નના સમાચાર વાઈરલ થતાં, પોલીસે તેને નિર્દેશ આપ્યો હતો કે તે 15 ઓગસ્ટે તેના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડી દે અથવા એક્સ્ટેંશન માંગે. ચિત્તૂરની આ લવ સ્ટોરીએ સ્થાનિકોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.


વિગ્નેશ્વરી 8 જુલાઈએ આંધ્રપ્રદેશ આવી


તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યા પછી, વિગ્નેશ્વરી 8 જુલાઈના રોજ આંધ્રપ્રદેશ આવી. બંનેએ 20 જુલાઈના રોજ ચિત્તૂર જિલ્લાના વી કોટા ખાતેના મંદિરમાં લગ્ન કર્યા હતા. વી કોટા મંડલના અરિમાકુલાપલ્લેના મેસન લક્ષ્મણ  2017 માં ફેસબુક પર શ્રીલંકાની વિગ્નેશ્વરીને મળ્યો હતો. વિગ્નેશ્વરી 8 જુલાઈએ કોલંબોથી પ્રવાસી વિઝા પર ચેન્નાઈ પહોંચી હતી. લક્ષ્મણ તેને લેવા ચેન્નાઈ ગયો હતો. બાદમાં તે વિગ્નેશ્વરીને ઘરે લાવ્યો હતો. લક્ષ્મણના પરિવારજનોની સંમતિથી તેઓએ 20 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.


યુવતીનો શ્રીલંકા જવા ઈન્કાર 


પોલીસે વિઘ્નેશ્વરીને નિર્દેશ આપ્યો કે તેણે15 ઓગસ્ટ સુધીમાં શ્રીલંકા પરત ફરવું જોઈએ. પરંતુ વિઘ્નેશ્વરીએ તેના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો અને ભારત સરકારને વિનંતી કરી હતી કે તે દેશમાં કાયમી રીતે રહેવાની વ્યવસ્થા કરે જેથી તે તેના પતિ સાથે રહી શકે. વિઘ્નેશ્વરી ભારતીય નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહી છે અને તેને પ્રક્રિયા અને માપદંડો પણ સમજાવવામાં આવ્યા હતા. તેણે શનિવારે ભારતમાં પાછા ફરવા માટે અને તેના વિઝાના એક વર્ષના એક્સ્ટેંશન માટે અરજી કરી હતી. પોલીસે જણાવ્યું કે વિગ્નેશ્વરી શ્રીલંકાના વેલાંગુડીની રહેવાસી છે. પોલીસે દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવાની પણ સલાહ આપી જેથી તેઓ ભવિષ્યમાં કોઈપણ સંભવિત કાનૂની ગૂંચમાંથી બચી શકે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.