શ્રીલંકાની યુવતી ફેસબુક મિત્રને મળવા પહોંચી આંધ્ર પ્રદેશ, શિવાકુમારીએ લક્ષ્મણ સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-30 18:14:22

સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરી સામે આવ્યા બાદ દેશમાં ક્રોસ બોર્ડર પ્રેમનો જાણે રાફડો જ ફાટ્યો છે. શ્રીલંકાની એક  25 વર્ષીય યુવતી, શિવાકુમારી વિગ્નેશ્વરી, છ વર્ષ જુના તેના ફેસબુક મિત્ર, 28 વર્ષીય લક્ષ્મણ સાથે લગ્ન કરવા ભારત આવી છે. પ્રવાસી વિઝા પર આવેલી મહિલાએ ચિત્તૂર જિલ્લાના પુરુષ સાથે લગ્ન કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયામાં લગ્નના સમાચાર વાઈરલ થતાં, પોલીસે તેને નિર્દેશ આપ્યો હતો કે તે 15 ઓગસ્ટે તેના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડી દે અથવા એક્સ્ટેંશન માંગે. ચિત્તૂરની આ લવ સ્ટોરીએ સ્થાનિકોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.


વિગ્નેશ્વરી 8 જુલાઈએ આંધ્રપ્રદેશ આવી


તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યા પછી, વિગ્નેશ્વરી 8 જુલાઈના રોજ આંધ્રપ્રદેશ આવી. બંનેએ 20 જુલાઈના રોજ ચિત્તૂર જિલ્લાના વી કોટા ખાતેના મંદિરમાં લગ્ન કર્યા હતા. વી કોટા મંડલના અરિમાકુલાપલ્લેના મેસન લક્ષ્મણ  2017 માં ફેસબુક પર શ્રીલંકાની વિગ્નેશ્વરીને મળ્યો હતો. વિગ્નેશ્વરી 8 જુલાઈએ કોલંબોથી પ્રવાસી વિઝા પર ચેન્નાઈ પહોંચી હતી. લક્ષ્મણ તેને લેવા ચેન્નાઈ ગયો હતો. બાદમાં તે વિગ્નેશ્વરીને ઘરે લાવ્યો હતો. લક્ષ્મણના પરિવારજનોની સંમતિથી તેઓએ 20 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.


યુવતીનો શ્રીલંકા જવા ઈન્કાર 


પોલીસે વિઘ્નેશ્વરીને નિર્દેશ આપ્યો કે તેણે15 ઓગસ્ટ સુધીમાં શ્રીલંકા પરત ફરવું જોઈએ. પરંતુ વિઘ્નેશ્વરીએ તેના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો અને ભારત સરકારને વિનંતી કરી હતી કે તે દેશમાં કાયમી રીતે રહેવાની વ્યવસ્થા કરે જેથી તે તેના પતિ સાથે રહી શકે. વિઘ્નેશ્વરી ભારતીય નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહી છે અને તેને પ્રક્રિયા અને માપદંડો પણ સમજાવવામાં આવ્યા હતા. તેણે શનિવારે ભારતમાં પાછા ફરવા માટે અને તેના વિઝાના એક વર્ષના એક્સ્ટેંશન માટે અરજી કરી હતી. પોલીસે જણાવ્યું કે વિગ્નેશ્વરી શ્રીલંકાના વેલાંગુડીની રહેવાસી છે. પોલીસે દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવાની પણ સલાહ આપી જેથી તેઓ ભવિષ્યમાં કોઈપણ સંભવિત કાનૂની ગૂંચમાંથી બચી શકે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.