ગીરમાં સિંહને જોવા ઉમટી લોકોની ભીડ, 3 નવેમ્બર સુધીની પરમિટ થઈ ફૂલ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:02:24

દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલું ગીર અભ્યારણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે. ચોમાસા બાદ ગીરની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારે લોકો પ્રકૃતિની સુંદરતાને માણવા તેમજ એશિયાટિક સિંહોને જોવા આવી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાને કારણે પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે. જેને કારણે ગીર અભ્યારણમાં 3 નવેમ્બર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે.

મોટી સંખ્યમાં લોકો લઈ રહ્યા છે મુલાકાત

મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રવાસ માટે જતા હોય છે. ત્યારે એશિયેટિક સિંહોને જોવા દેશ વિદેશથી લોકો ગીર આવી રહ્યા છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહોને રાખવામાં આવે છે. ગીરમાં, પ્રકૃતિના ખોળે સિંહો વિચરતા હોય છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળતા આગામી સમયના તમામ સ્લોટનું બુકિંગ થઈ ગયું છે. લોકો સિંહ અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લઈ રહ્યા છે.  

K.J.Shah High School- Theba: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

દિવાળીમાં ધમધમ્યું ગીર અભ્યારણ

ચોમાસા દરમિયાન સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. જે બાદ અનેક પ્રવાસીઓએ અભ્યારણની મુલાકાત લઈ લીધી છે. દિવાળી દરમિયાન પ્રવાસ માટેનું સ્પોટ બની રહ્યું છે.વિરામ બાદ ફરી એક વખત સાસણ ગીર લોકોથી ધમધમી રહ્યું છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.