ગીરમાં સિંહને જોવા ઉમટી લોકોની ભીડ, 3 નવેમ્બર સુધીની પરમિટ થઈ ફૂલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-26 15:02:24

દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલું ગીર અભ્યારણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે. ચોમાસા બાદ ગીરની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારે લોકો પ્રકૃતિની સુંદરતાને માણવા તેમજ એશિયાટિક સિંહોને જોવા આવી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાને કારણે પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે. જેને કારણે ગીર અભ્યારણમાં 3 નવેમ્બર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે.

મોટી સંખ્યમાં લોકો લઈ રહ્યા છે મુલાકાત

મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રવાસ માટે જતા હોય છે. ત્યારે એશિયેટિક સિંહોને જોવા દેશ વિદેશથી લોકો ગીર આવી રહ્યા છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહોને રાખવામાં આવે છે. ગીરમાં, પ્રકૃતિના ખોળે સિંહો વિચરતા હોય છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળતા આગામી સમયના તમામ સ્લોટનું બુકિંગ થઈ ગયું છે. લોકો સિંહ અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લઈ રહ્યા છે.  

K.J.Shah High School- Theba: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

દિવાળીમાં ધમધમ્યું ગીર અભ્યારણ

ચોમાસા દરમિયાન સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. જે બાદ અનેક પ્રવાસીઓએ અભ્યારણની મુલાકાત લઈ લીધી છે. દિવાળી દરમિયાન પ્રવાસ માટેનું સ્પોટ બની રહ્યું છે.વિરામ બાદ ફરી એક વખત સાસણ ગીર લોકોથી ધમધમી રહ્યું છે.     




આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.