ગીરમાં સિંહને જોવા ઉમટી લોકોની ભીડ, 3 નવેમ્બર સુધીની પરમિટ થઈ ફૂલ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:02:24

દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલું ગીર અભ્યારણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે. ચોમાસા બાદ ગીરની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારે લોકો પ્રકૃતિની સુંદરતાને માણવા તેમજ એશિયાટિક સિંહોને જોવા આવી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાને કારણે પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે. જેને કારણે ગીર અભ્યારણમાં 3 નવેમ્બર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે.

મોટી સંખ્યમાં લોકો લઈ રહ્યા છે મુલાકાત

મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રવાસ માટે જતા હોય છે. ત્યારે એશિયેટિક સિંહોને જોવા દેશ વિદેશથી લોકો ગીર આવી રહ્યા છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહોને રાખવામાં આવે છે. ગીરમાં, પ્રકૃતિના ખોળે સિંહો વિચરતા હોય છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળતા આગામી સમયના તમામ સ્લોટનું બુકિંગ થઈ ગયું છે. લોકો સિંહ અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લઈ રહ્યા છે.  

K.J.Shah High School- Theba: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

દિવાળીમાં ધમધમ્યું ગીર અભ્યારણ

ચોમાસા દરમિયાન સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. જે બાદ અનેક પ્રવાસીઓએ અભ્યારણની મુલાકાત લઈ લીધી છે. દિવાળી દરમિયાન પ્રવાસ માટેનું સ્પોટ બની રહ્યું છે.વિરામ બાદ ફરી એક વખત સાસણ ગીર લોકોથી ધમધમી રહ્યું છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.