પ્રતિબંધોની ઐસીતૈસી, રશિયા પાસેથી ભારતે ખરીદ્યું રેકોર્ડ બ્રેક ઓઈલ, આંકડો જાણીને ચોંકી જશો


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-05 16:29:04

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ કારણે રશિયા વિશ્વના દેશોને ક્રુડ ઓઈલ કે ગેસની નિકાસ કરી શકતું નથી. જો કે ભારતે આ પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે આ ખરીદીએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન રશિયા પાસેથી એટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ્યું છે કે તે આંકડો ચોંકાવનારો છે.


પ્રતિ દિન ખરીદ્યું 16 લાખ બેરલ ક્રૂડ


રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં વધીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિ દિન થઈ છે. આ આંકડો ભારતના પરંપરાગત સપ્લાયર ઇરાક અને સાઉદી અરેબિયાની સંયુક્ત તેલની આયાત કરતાં વધુ છે. તેલની આયાત અને નિકાસ પર નજર રાખતી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલના એક તૃતીયાંશથી વધુ જથ્થો એકલા રશિયાએ પૂરો પાડ્યો છે.


ભારતની આયાત 35 ટકા વધી


રશિયા સતત પાંચમા મહિને ભારતને ક્રૂડ ઓઈલનો એકમાત્ર સૌથી મોટું સપ્લાયર છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સુધી ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં આયાત 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે.


સાઉદી અને અમેરિકાને નુકસાન


રશિયાથી ભારતની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને અમેરિકાથી તેલની આયાત પર પડી છે. સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવતા તેલમાં માસિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી તેલની આયાતમાં 38 ટકાનો ઘટાડો થયો છે. વર્ટેક્સા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી જેટલું તેલ આયાત કરે છે તે દાયકાઓથી તેના સપ્લાયર રહેલા ઇરાક અને સાઉદી અરેબિયાની કુલ આયાત કરતાં વધુ છે.


ભારતીય કંપનીઓને રશિયન તેલથી ફાયદો  


વર્ટેક્સાના એશિયા-પેસિફિક વિશ્લેષણના વડા સેરેના હુઆંગે જણાવ્યું હતું કે, “રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓને વધુ માર્જિન મળે છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયા હાલમાં ભારતને રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.