પ્રતિબંધોની ઐસીતૈસી, રશિયા પાસેથી ભારતે ખરીદ્યું રેકોર્ડ બ્રેક ઓઈલ, આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-05 16:29:04

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ કારણે રશિયા વિશ્વના દેશોને ક્રુડ ઓઈલ કે ગેસની નિકાસ કરી શકતું નથી. જો કે ભારતે આ પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે આ ખરીદીએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન રશિયા પાસેથી એટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ્યું છે કે તે આંકડો ચોંકાવનારો છે.


પ્રતિ દિન ખરીદ્યું 16 લાખ બેરલ ક્રૂડ


રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં વધીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિ દિન થઈ છે. આ આંકડો ભારતના પરંપરાગત સપ્લાયર ઇરાક અને સાઉદી અરેબિયાની સંયુક્ત તેલની આયાત કરતાં વધુ છે. તેલની આયાત અને નિકાસ પર નજર રાખતી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલના એક તૃતીયાંશથી વધુ જથ્થો એકલા રશિયાએ પૂરો પાડ્યો છે.


ભારતની આયાત 35 ટકા વધી


રશિયા સતત પાંચમા મહિને ભારતને ક્રૂડ ઓઈલનો એકમાત્ર સૌથી મોટું સપ્લાયર છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સુધી ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં આયાત 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે.


સાઉદી અને અમેરિકાને નુકસાન


રશિયાથી ભારતની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને અમેરિકાથી તેલની આયાત પર પડી છે. સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવતા તેલમાં માસિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી તેલની આયાતમાં 38 ટકાનો ઘટાડો થયો છે. વર્ટેક્સા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી જેટલું તેલ આયાત કરે છે તે દાયકાઓથી તેના સપ્લાયર રહેલા ઇરાક અને સાઉદી અરેબિયાની કુલ આયાત કરતાં વધુ છે.


ભારતીય કંપનીઓને રશિયન તેલથી ફાયદો  


વર્ટેક્સાના એશિયા-પેસિફિક વિશ્લેષણના વડા સેરેના હુઆંગે જણાવ્યું હતું કે, “રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓને વધુ માર્જિન મળે છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયા હાલમાં ભારતને રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.