પ્રતિબંધોની ઐસીતૈસી, રશિયા પાસેથી ભારતે ખરીદ્યું રેકોર્ડ બ્રેક ઓઈલ, આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-05 16:29:04

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ કારણે રશિયા વિશ્વના દેશોને ક્રુડ ઓઈલ કે ગેસની નિકાસ કરી શકતું નથી. જો કે ભારતે આ પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે આ ખરીદીએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન રશિયા પાસેથી એટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ્યું છે કે તે આંકડો ચોંકાવનારો છે.


પ્રતિ દિન ખરીદ્યું 16 લાખ બેરલ ક્રૂડ


રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં વધીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિ દિન થઈ છે. આ આંકડો ભારતના પરંપરાગત સપ્લાયર ઇરાક અને સાઉદી અરેબિયાની સંયુક્ત તેલની આયાત કરતાં વધુ છે. તેલની આયાત અને નિકાસ પર નજર રાખતી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલના એક તૃતીયાંશથી વધુ જથ્થો એકલા રશિયાએ પૂરો પાડ્યો છે.


ભારતની આયાત 35 ટકા વધી


રશિયા સતત પાંચમા મહિને ભારતને ક્રૂડ ઓઈલનો એકમાત્ર સૌથી મોટું સપ્લાયર છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સુધી ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં આયાત 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે.


સાઉદી અને અમેરિકાને નુકસાન


રશિયાથી ભારતની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને અમેરિકાથી તેલની આયાત પર પડી છે. સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવતા તેલમાં માસિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી તેલની આયાતમાં 38 ટકાનો ઘટાડો થયો છે. વર્ટેક્સા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી જેટલું તેલ આયાત કરે છે તે દાયકાઓથી તેના સપ્લાયર રહેલા ઇરાક અને સાઉદી અરેબિયાની કુલ આયાત કરતાં વધુ છે.


ભારતીય કંપનીઓને રશિયન તેલથી ફાયદો  


વર્ટેક્સાના એશિયા-પેસિફિક વિશ્લેષણના વડા સેરેના હુઆંગે જણાવ્યું હતું કે, “રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓને વધુ માર્જિન મળે છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયા હાલમાં ભારતને રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .