પ્રતિબંધોની ઐસીતૈસી, રશિયા પાસેથી ભારતે ખરીદ્યું રેકોર્ડ બ્રેક ઓઈલ, આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-05 16:29:04

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ કારણે રશિયા વિશ્વના દેશોને ક્રુડ ઓઈલ કે ગેસની નિકાસ કરી શકતું નથી. જો કે ભારતે આ પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે આ ખરીદીએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન રશિયા પાસેથી એટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ્યું છે કે તે આંકડો ચોંકાવનારો છે.


પ્રતિ દિન ખરીદ્યું 16 લાખ બેરલ ક્રૂડ


રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં વધીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિ દિન થઈ છે. આ આંકડો ભારતના પરંપરાગત સપ્લાયર ઇરાક અને સાઉદી અરેબિયાની સંયુક્ત તેલની આયાત કરતાં વધુ છે. તેલની આયાત અને નિકાસ પર નજર રાખતી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલના એક તૃતીયાંશથી વધુ જથ્થો એકલા રશિયાએ પૂરો પાડ્યો છે.


ભારતની આયાત 35 ટકા વધી


રશિયા સતત પાંચમા મહિને ભારતને ક્રૂડ ઓઈલનો એકમાત્ર સૌથી મોટું સપ્લાયર છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સુધી ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં આયાત 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે.


સાઉદી અને અમેરિકાને નુકસાન


રશિયાથી ભારતની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને અમેરિકાથી તેલની આયાત પર પડી છે. સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવતા તેલમાં માસિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી તેલની આયાતમાં 38 ટકાનો ઘટાડો થયો છે. વર્ટેક્સા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી જેટલું તેલ આયાત કરે છે તે દાયકાઓથી તેના સપ્લાયર રહેલા ઇરાક અને સાઉદી અરેબિયાની કુલ આયાત કરતાં વધુ છે.


ભારતીય કંપનીઓને રશિયન તેલથી ફાયદો  


વર્ટેક્સાના એશિયા-પેસિફિક વિશ્લેષણના વડા સેરેના હુઆંગે જણાવ્યું હતું કે, “રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓને વધુ માર્જિન મળે છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયા હાલમાં ભારતને રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.