ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જો કે આમાં છે ઈન્ટરનેશનલ કનેક્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:12:42

STORY BY - UTPAL DAVE

આસમાને પહોંચેલા ક્રુડ ઓઈલના ભાવ નબળી માંગના કારણે હવે ઘટી રહ્યા છે. બુધવારે ક્રુડ ઓઈલની કિંમતમાં 0.43 ટકા ઘટીને 6,903 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયો છે. તેમાં 10,117 લોટનું ટ્રેડિંગ થયું. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયટ (WTI) ક્રુડ ઓઈલ 0.93 ટકા સાથે 86.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તે જ પ્રકારે બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમત 0.90 ટકાના ઘટાડા સાથે 91.99 ડોલર પ્રતિ બેરલ રહી ગયો છે. વિશ્વ બજારમાં ક્રુડના ભાવ 7 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. જૂન મહિનામાં ક્રુડની કિંમત 125 ડોલર પ્રતિ બેરલ સુધી સુધી પહોંચી ગયું હતું. ત્રણ મહિનામા ક્રૂડની કિંમત લગભગ 26% ઓછી થઈ ચૂકી છે. ચીન અને યુરોપના કેટલાક દેશોની અર્થતંત્રોમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. જેથી આગળ પણ ક્રૂડની ડિમાન્ડ ઘટી શકે છે.


દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?


આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા મોદી સરકારે રાહતનો શ્વાસ લીધી છે. ક્રુડની કિંમત ઘટતા લોકોને આશા છે કે ઘર આંગણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા જેટલા ઘટી શકે છે. આમ પણ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે મોદી સરકાર લોકો લાગણી જીતવા માટે ભાવ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. સરકાર માટે ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવી નાકનો સવાલ બન્યો છે અને તે માટે કોઈ પણ હદ સુધી જાય તો નવાઈ નહીં. 


ભારત 85% ક્રૂડ આયાત કરે છે


ભારતમાં ક્રુડનું ઉત્પાદન નહીંવત થતું હોવાથી આપણો દેશ ક્રુડ માટે અખાતી દેશો પર નિર્ભર છે. ભારત ઈરાક,રશિયા,સાઉદી અરેબિયા, અને સંયુક્ત આરબ અમિરાત સહિતાના દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડની આયાત કરે છે. હવે જ્યારે ક્રુડના ભાવ ઘટી રહ્યા છે ત્યારે દેશનું વિદેશી હુંડિયામણ બચશે, મોદી સરકાર માટે પણ ક્રુડના ભાવ ઘટ્યા તે સૌથી મોટા રાહતકારક સમાચાર છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.