ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જો કે આમાં છે ઈન્ટરનેશનલ કનેક્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:12:42

STORY BY - UTPAL DAVE

આસમાને પહોંચેલા ક્રુડ ઓઈલના ભાવ નબળી માંગના કારણે હવે ઘટી રહ્યા છે. બુધવારે ક્રુડ ઓઈલની કિંમતમાં 0.43 ટકા ઘટીને 6,903 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયો છે. તેમાં 10,117 લોટનું ટ્રેડિંગ થયું. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયટ (WTI) ક્રુડ ઓઈલ 0.93 ટકા સાથે 86.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તે જ પ્રકારે બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમત 0.90 ટકાના ઘટાડા સાથે 91.99 ડોલર પ્રતિ બેરલ રહી ગયો છે. વિશ્વ બજારમાં ક્રુડના ભાવ 7 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. જૂન મહિનામાં ક્રુડની કિંમત 125 ડોલર પ્રતિ બેરલ સુધી સુધી પહોંચી ગયું હતું. ત્રણ મહિનામા ક્રૂડની કિંમત લગભગ 26% ઓછી થઈ ચૂકી છે. ચીન અને યુરોપના કેટલાક દેશોની અર્થતંત્રોમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. જેથી આગળ પણ ક્રૂડની ડિમાન્ડ ઘટી શકે છે.


દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?


આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા મોદી સરકારે રાહતનો શ્વાસ લીધી છે. ક્રુડની કિંમત ઘટતા લોકોને આશા છે કે ઘર આંગણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા જેટલા ઘટી શકે છે. આમ પણ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે મોદી સરકાર લોકો લાગણી જીતવા માટે ભાવ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. સરકાર માટે ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવી નાકનો સવાલ બન્યો છે અને તે માટે કોઈ પણ હદ સુધી જાય તો નવાઈ નહીં. 


ભારત 85% ક્રૂડ આયાત કરે છે


ભારતમાં ક્રુડનું ઉત્પાદન નહીંવત થતું હોવાથી આપણો દેશ ક્રુડ માટે અખાતી દેશો પર નિર્ભર છે. ભારત ઈરાક,રશિયા,સાઉદી અરેબિયા, અને સંયુક્ત આરબ અમિરાત સહિતાના દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડની આયાત કરે છે. હવે જ્યારે ક્રુડના ભાવ ઘટી રહ્યા છે ત્યારે દેશનું વિદેશી હુંડિયામણ બચશે, મોદી સરકાર માટે પણ ક્રુડના ભાવ ઘટ્યા તે સૌથી મોટા રાહતકારક સમાચાર છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.