ક્રિપ્ટોકરેન્સી બિટકોઈનની કિંમતમાં ફરી ઉછાળો, એક વર્ષમાં 165% રિટર્ન, શું છે આ તેજી પાછળનું રહસ્ય?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:44:35

દુનિયાની સૌથી જુની,સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરેન્સી બિટકોઈન ફરી તેજીમાં આવી છે. બિટકોઈનનો ટ્રેડિંગ રેટ 44 હજાર ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમત 16 ટકા જેટલી વધી ચુકી છે. આ ગત વર્ષની લઘુત્તમ સપાટીની તુલનામાં 165% જેટલી વૃધ્ધી દર્શાવે છે. અમેરિકા વિશ્વનું સૌ પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે મંજુરી આપી શકે છે તેવા સમાચારના પગલે આ તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડને જાન્યુઆરીમાં લીલી ઝંડી આપે તેવી આશા છે.     


અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં પણ તેજી


અમેરિકામાં બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે ગત જુન મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમાચારને પગલે બીજી વર્ચ્યુઅલ કરન્સી ઈથર, એવલોન્ચ, અને ડોગકોઈનની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બિટકોઈનની કિંમત વર્ષ 2021માં લગભગ 68,000 ડોલર પર પહોંચી ગઈ હતી. જો  તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત છે. પરંતું બાદમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે ફરી તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાની નજીક પહોંચી ગયું છે.  


શા માટે વધી રહી છે કિંમત?


દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીબ્લેકરોકે જુનમાં બિટકોઈન સ્પોટ ઈટીએફ માટે અરજી કરી હતી. આ કંપની દુનિયામાં ઈટીએફની સૌથી મોટી પ્રોવાઈડર છે. બ્લેકરોક બિટકોઈન ઈટીએફથી એક પ્રકારે બિટકોઈનને માન્યતા મળી જશે. આ જ કારણે બિટકોીનની કિંમત વધી રહી છે. જો કે આ તેજીનું બીજુ પણ કારણ છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે પણ મોટા રોકાણકારો તેમના પોર્ટ ફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા માંગે છે. જેમાંથી કેટલાક ઈન્વેસ્ટરોએ બિટકોઈનમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. આમ પણ બિટકોઈનને ડિજીટલ રોકાણનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. બિટકોઈનને ડિજીટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો શેરો અને બોન્ડસથી અલગ રોકાણ કરવા માગે છે તે ગોલ્ડ  તરફ વળ્યા છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.