ક્રિપ્ટોકરેન્સી બિટકોઈનની કિંમતમાં ફરી ઉછાળો, એક વર્ષમાં 165% રિટર્ન, શું છે આ તેજી પાછળનું રહસ્ય?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:44:35

દુનિયાની સૌથી જુની,સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરેન્સી બિટકોઈન ફરી તેજીમાં આવી છે. બિટકોઈનનો ટ્રેડિંગ રેટ 44 હજાર ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમત 16 ટકા જેટલી વધી ચુકી છે. આ ગત વર્ષની લઘુત્તમ સપાટીની તુલનામાં 165% જેટલી વૃધ્ધી દર્શાવે છે. અમેરિકા વિશ્વનું સૌ પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે મંજુરી આપી શકે છે તેવા સમાચારના પગલે આ તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડને જાન્યુઆરીમાં લીલી ઝંડી આપે તેવી આશા છે.     


અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં પણ તેજી


અમેરિકામાં બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે ગત જુન મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમાચારને પગલે બીજી વર્ચ્યુઅલ કરન્સી ઈથર, એવલોન્ચ, અને ડોગકોઈનની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બિટકોઈનની કિંમત વર્ષ 2021માં લગભગ 68,000 ડોલર પર પહોંચી ગઈ હતી. જો  તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત છે. પરંતું બાદમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે ફરી તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાની નજીક પહોંચી ગયું છે.  


શા માટે વધી રહી છે કિંમત?


દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીબ્લેકરોકે જુનમાં બિટકોઈન સ્પોટ ઈટીએફ માટે અરજી કરી હતી. આ કંપની દુનિયામાં ઈટીએફની સૌથી મોટી પ્રોવાઈડર છે. બ્લેકરોક બિટકોઈન ઈટીએફથી એક પ્રકારે બિટકોઈનને માન્યતા મળી જશે. આ જ કારણે બિટકોીનની કિંમત વધી રહી છે. જો કે આ તેજીનું બીજુ પણ કારણ છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે પણ મોટા રોકાણકારો તેમના પોર્ટ ફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા માંગે છે. જેમાંથી કેટલાક ઈન્વેસ્ટરોએ બિટકોઈનમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. આમ પણ બિટકોઈનને ડિજીટલ રોકાણનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. બિટકોઈનને ડિજીટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો શેરો અને બોન્ડસથી અલગ રોકાણ કરવા માગે છે તે ગોલ્ડ  તરફ વળ્યા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.