ક્રિપ્ટોકરેન્સી બિટકોઈનની કિંમતમાં ફરી ઉછાળો, એક વર્ષમાં 165% રિટર્ન, શું છે આ તેજી પાછળનું રહસ્ય?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:44:35

દુનિયાની સૌથી જુની,સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરેન્સી બિટકોઈન ફરી તેજીમાં આવી છે. બિટકોઈનનો ટ્રેડિંગ રેટ 44 હજાર ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમત 16 ટકા જેટલી વધી ચુકી છે. આ ગત વર્ષની લઘુત્તમ સપાટીની તુલનામાં 165% જેટલી વૃધ્ધી દર્શાવે છે. અમેરિકા વિશ્વનું સૌ પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે મંજુરી આપી શકે છે તેવા સમાચારના પગલે આ તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડને જાન્યુઆરીમાં લીલી ઝંડી આપે તેવી આશા છે.     


અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં પણ તેજી


અમેરિકામાં બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે ગત જુન મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમાચારને પગલે બીજી વર્ચ્યુઅલ કરન્સી ઈથર, એવલોન્ચ, અને ડોગકોઈનની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બિટકોઈનની કિંમત વર્ષ 2021માં લગભગ 68,000 ડોલર પર પહોંચી ગઈ હતી. જો  તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત છે. પરંતું બાદમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે ફરી તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાની નજીક પહોંચી ગયું છે.  


શા માટે વધી રહી છે કિંમત?


દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીબ્લેકરોકે જુનમાં બિટકોઈન સ્પોટ ઈટીએફ માટે અરજી કરી હતી. આ કંપની દુનિયામાં ઈટીએફની સૌથી મોટી પ્રોવાઈડર છે. બ્લેકરોક બિટકોઈન ઈટીએફથી એક પ્રકારે બિટકોઈનને માન્યતા મળી જશે. આ જ કારણે બિટકોીનની કિંમત વધી રહી છે. જો કે આ તેજીનું બીજુ પણ કારણ છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે પણ મોટા રોકાણકારો તેમના પોર્ટ ફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા માંગે છે. જેમાંથી કેટલાક ઈન્વેસ્ટરોએ બિટકોઈનમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. આમ પણ બિટકોઈનને ડિજીટલ રોકાણનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. બિટકોઈનને ડિજીટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો શેરો અને બોન્ડસથી અલગ રોકાણ કરવા માગે છે તે ગોલ્ડ  તરફ વળ્યા છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.