ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા, જીરાના ભાવમાં પ્રતિ મણ કેટલો વધારો થયો? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 18:14:45

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવે તેના જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખેડૂતો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં 20 કિલોએ રૂપિયા બે હજારની તેજી જોવા મળી છે.


માવઠાના કારણે જીરામાં તેજી


રાજ્યમાં અવારનાવર થયેલા માવઠાના કારણે જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જીરાની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જીરાનું ઓછુ ઉત્પાદન થયુ છે. જેથી ગુણવત્તાવાળા જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો અને વેપારીઓ પણ જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જીરુ, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં ભાવનો વધારો થવાની શક્યતા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.