ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા, જીરાના ભાવમાં પ્રતિ મણ કેટલો વધારો થયો? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 18:14:45

એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવે તેના જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખેડૂતો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં 20 કિલોએ રૂપિયા બે હજારની તેજી જોવા મળી છે.


માવઠાના કારણે જીરામાં તેજી


રાજ્યમાં અવારનાવર થયેલા માવઠાના કારણે જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જીરાની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જીરાનું ઓછુ ઉત્પાદન થયુ છે. જેથી ગુણવત્તાવાળા જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો અને વેપારીઓ પણ જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જીરુ, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં ભાવનો વધારો થવાની શક્યતા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે