મુંબઈ એરપોર્ટમાંથી 34 કરોડ રૂપિયાની કિંમતનું 5 કિલો હેરોઈન પકડાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:47:00

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નશીલા દ્રવ્યો કારોબાર ફૂલીફાલી રહ્યો છે. આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગે વિદેશી મુસાફરને 5 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. આરોપી એક ટ્રોલી બેગમાં 5 કિલો હેરોઈન લઈને એરપોર્ટ પર પહોચ્યો હતો. આ ટ્રોલીમાં તપાસ કરતા તેની પાસેથી 34 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. 


આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી


મુંબઈ કસ્ટમ ઝોન-III એ રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) 1985 હેઠળ 34.79 કરોડ રૂપિયાની કિંમતનું 4970 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં એક વિદેશી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત પદાર્થ આરોપીની ટ્રોલી બેગની અંદર ખાસ બનાવેલા પોલાણમાં છુપાવવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.