Cutting Vaato : શાળા ન જવા ઈચ્છતી રીનાને Devanshi Joshi શાળા મૂકી આવ્યા, સાંભળો રીનાના પરિવારની કહાણી


  • Published By :
  • Published Date : 2023-08-15 16:14:27

સારી શિક્ષા મેળવવી એ બાળકનો અધિકાર છે. એ બાળક ગરીબ પરિવારથી હોય કે પછી શ્રીમંત પરિવારથી હોય. અનેક બાળકો એવા હોય છે જેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે પરંતુ તેમને ભણવાનો કંટાળો આવતો હોય છે, તો બીજી તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અથવા તો સુવિધા ન હોવાને કારણે બાળકો ભણી નથી શક્તા. બાળકોના હાથમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોને જેટલા શિક્ષિત કરીશું તેટલો જ આપણો દેશ પ્રગતિના પંથે અગ્રેસર થશે.

મકાઈ વેચતા પરિવાર સાથે દેવાંશી જોષીએ કરી હતી કટિંગ વાતો      

દેશવાસીઓ આજે દેશભક્તિના રંગમાં રંગાયા છે. અનેક જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. શાળાઓમાં તો આ દિવસે વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેવાંશી જોષીએ એક સ્ટોરી કરી હતી. કટિંગ વાતો શોમાં તેમણે એવા પરિવાર સાથે વાત કરી હતી જે મકાઈ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પુરૂષો હાજર હોવા છતાંય મહિલાઓને કમાવું પડે છે. મહિલા પગભર બની છે પરંતુ તેમની કમાણી પતિ દારૂમાં ઉડાવી દેતા હતા.

સ્વતંત્રતા દિવસ પર રીનાને શાળા મૂકી આવ્યા દેવાંશી જોષી 

સૌથી વધારે આ સ્ટોરીમાં આશ્ચર્યની વાત એ હતી કે શાળામાં એડિમશન હોવા છતાંય રીના નામની દીકરી શાળાએ જતી ન હતી. દેશ તો આઝાદ થઈ ગયો પરંતુ આ લોકોને ગરીબીમાંથી મુક્તિ નથી મળી. ભણવાની સુવિધા હોવા છતાંય તેને ભણવામાં રસ નથી. તેને પણ પોતાનું જીવન જાણે મજૂરીમાં વિતાવવું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પર દેવાંશી જોષી તે બાળકીને સ્કૂલે લઈ ગયા હતા. નાની શરૂઆત કરવામાં આવી છે. રીના આગળ સ્કૂલે જશે કે નહીં તે ખબર નથી, પરંતુ જો તો તેના પરિવાર માટે સુખરૂપ સાબિત થશે. તેના પરિવારની પરિસ્થિતિ જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે તે માટે જો રીના ભણે તો તેના માટે અને તેના પરિવાર માટે સારૂ સાબિત થઈ શકે છે. 


દરેક બાળકને સારી શિક્ષા મેળવવાનો અધિકાર 

જ્યારે રીનાને શાળામાં લઈ જવામાં આવી ત્યારે આઝાદી પર્વની ઉજવણી ચાલી રહી હતી. શાળામાં ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ આઝાદીનો પર્વ રીનાની જીંદગી માટે પેઢી દર પેઢીની જે પરંપરા રહી છે મજૂરી કરવાની તેનાથી આઝાદ થઈ શકે. શિક્ષા દરેક બાળકનો અધિકાર છે, જો બાળક સારૂ શિક્ષણ મેળવશે તો સમાજ અને દેશ આગળ વધશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.