Cutting Vaato : શાળા ન જવા ઈચ્છતી રીનાને Devanshi Joshi શાળા મૂકી આવ્યા, સાંભળો રીનાના પરિવારની કહાણી


  • Published By :
  • Published Date : 2023-08-15 16:14:27

સારી શિક્ષા મેળવવી એ બાળકનો અધિકાર છે. એ બાળક ગરીબ પરિવારથી હોય કે પછી શ્રીમંત પરિવારથી હોય. અનેક બાળકો એવા હોય છે જેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે પરંતુ તેમને ભણવાનો કંટાળો આવતો હોય છે, તો બીજી તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અથવા તો સુવિધા ન હોવાને કારણે બાળકો ભણી નથી શક્તા. બાળકોના હાથમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોને જેટલા શિક્ષિત કરીશું તેટલો જ આપણો દેશ પ્રગતિના પંથે અગ્રેસર થશે.

મકાઈ વેચતા પરિવાર સાથે દેવાંશી જોષીએ કરી હતી કટિંગ વાતો      

દેશવાસીઓ આજે દેશભક્તિના રંગમાં રંગાયા છે. અનેક જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. શાળાઓમાં તો આ દિવસે વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેવાંશી જોષીએ એક સ્ટોરી કરી હતી. કટિંગ વાતો શોમાં તેમણે એવા પરિવાર સાથે વાત કરી હતી જે મકાઈ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પુરૂષો હાજર હોવા છતાંય મહિલાઓને કમાવું પડે છે. મહિલા પગભર બની છે પરંતુ તેમની કમાણી પતિ દારૂમાં ઉડાવી દેતા હતા.

સ્વતંત્રતા દિવસ પર રીનાને શાળા મૂકી આવ્યા દેવાંશી જોષી 

સૌથી વધારે આ સ્ટોરીમાં આશ્ચર્યની વાત એ હતી કે શાળામાં એડિમશન હોવા છતાંય રીના નામની દીકરી શાળાએ જતી ન હતી. દેશ તો આઝાદ થઈ ગયો પરંતુ આ લોકોને ગરીબીમાંથી મુક્તિ નથી મળી. ભણવાની સુવિધા હોવા છતાંય તેને ભણવામાં રસ નથી. તેને પણ પોતાનું જીવન જાણે મજૂરીમાં વિતાવવું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પર દેવાંશી જોષી તે બાળકીને સ્કૂલે લઈ ગયા હતા. નાની શરૂઆત કરવામાં આવી છે. રીના આગળ સ્કૂલે જશે કે નહીં તે ખબર નથી, પરંતુ જો તો તેના પરિવાર માટે સુખરૂપ સાબિત થશે. તેના પરિવારની પરિસ્થિતિ જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે તે માટે જો રીના ભણે તો તેના માટે અને તેના પરિવાર માટે સારૂ સાબિત થઈ શકે છે. 


દરેક બાળકને સારી શિક્ષા મેળવવાનો અધિકાર 

જ્યારે રીનાને શાળામાં લઈ જવામાં આવી ત્યારે આઝાદી પર્વની ઉજવણી ચાલી રહી હતી. શાળામાં ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ આઝાદીનો પર્વ રીનાની જીંદગી માટે પેઢી દર પેઢીની જે પરંપરા રહી છે મજૂરી કરવાની તેનાથી આઝાદ થઈ શકે. શિક્ષા દરેક બાળકનો અધિકાર છે, જો બાળક સારૂ શિક્ષણ મેળવશે તો સમાજ અને દેશ આગળ વધશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.