Cyber Crimeએ Congress નેતા Hitendra Pithdiaની કરી ધરપકડ, રામ મંદિરના પૂજારીને લઈ કરી હતી પોસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 16:36:30

અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે. જોરશોરથી આને લઈ તૈયારી ચાલી રહી છે. રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3 હજાર જેટલી અરજીઓ મળી હતી. રામમંદિરના મહંત તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે! અનુસુચિત જાતિના પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિતેન્દ્ર ભાઈએ ફસબૂક પર એક અભદ્ર ફોટો મૂક્યો, શેર કર્યો હતો અને તેના પર કેપ્શન લખ્યું કે " શું આને રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છે?" અને આ પોસ્ટના કારણે  સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડીયાની ધરપક કરી છે 

હિતેન્દ્ર પીઠડીયાએ પોસ્ટ શેર કરતા લખ્યું 

સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાએ રામ મંદિરના પૂજારીને લઈ અપમાનજનક પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને મહિલા સાથે બિભત્સ રીતે દેખાડી રામ મંદિરના પૂજારી તરીકે દર્શાવવામાં આવ્યા. બિભત્સ ફોટો વાયરલ થયા બાદ સાયબર ક્રાઈમે આ મામલે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, શું આને અયોધ્ય રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા.  નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે આ પ્રકારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવી સાયબર ક્રાઈમ ગણાય છે.સાથેજ મહિલાને બદનામ કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવા અંગેના આરોપો પણ તેમના પર લાગ્યા છે  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.