Cyber Crimeએ Congress નેતા Hitendra Pithdiaની કરી ધરપકડ, રામ મંદિરના પૂજારીને લઈ કરી હતી પોસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 16:36:30

અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે. જોરશોરથી આને લઈ તૈયારી ચાલી રહી છે. રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3 હજાર જેટલી અરજીઓ મળી હતી. રામમંદિરના મહંત તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે! અનુસુચિત જાતિના પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિતેન્દ્ર ભાઈએ ફસબૂક પર એક અભદ્ર ફોટો મૂક્યો, શેર કર્યો હતો અને તેના પર કેપ્શન લખ્યું કે " શું આને રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છે?" અને આ પોસ્ટના કારણે  સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડીયાની ધરપક કરી છે 

હિતેન્દ્ર પીઠડીયાએ પોસ્ટ શેર કરતા લખ્યું 

સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાએ રામ મંદિરના પૂજારીને લઈ અપમાનજનક પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને મહિલા સાથે બિભત્સ રીતે દેખાડી રામ મંદિરના પૂજારી તરીકે દર્શાવવામાં આવ્યા. બિભત્સ ફોટો વાયરલ થયા બાદ સાયબર ક્રાઈમે આ મામલે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, શું આને અયોધ્ય રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા.  નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે આ પ્રકારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવી સાયબર ક્રાઈમ ગણાય છે.સાથેજ મહિલાને બદનામ કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવા અંગેના આરોપો પણ તેમના પર લાગ્યા છે  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.