વાવાઝોડું 10થી 12 કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધ્યું, અમદાવાદમાં વરસાદની શક્યતા: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-06-13 17:39:08


વિનાશક વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ પોર્ટ અને માંડવી વચ્ચેથી પસાર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે તો વિનાશ વેરી શકે છે. જેને લઇને વાવાઝોડાની હિલચાલ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. આજે 13 જૂનના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં 10થી 12  કિ.મી.ની ઝડપે બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકાથી 310 કિ.મી. અને જખૌથી 310 કિ.મી. દૂર છે. વાવાઝોડાની અસર દરિયામાં દેખાઈ રહી છે. દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.


વાવાઝોડાની ઝડપ 10થી 12 કિ.મી.  પ્રતિ કલાક


બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવું અનુમાન છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. 


વાવાઝોડાના જોખમને ટાળી શકાય નહીં


જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.


અમદાવાદમાં વરસાદની આશંકા


શહેરમાં બિપરજોયની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આજે મંગળવારે ઠેર ઠેર સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને આની સાથે જ મોડી સાંજથી રાત સુધીમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ શહેરમાં હ્યુમીડિટી વધારે હોવાનું જણાવ્યું છે. આની સાથે બફારો વધારે હશે એમ પણ સૂચવ્યું છે. આગામી 4થી 5 દિવસ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે એવા સંકેતો મળી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.