બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે દ્વારકામાં જગત મંદિરનાં શિખર પર અડધી પાટલીએ ધજા ફરકાવાઈ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-11 19:52:54

'બિપોરજોય વાવાઝોડું' સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું દ્વારકા અને પોરબંદર સહિતના ગુજરાતના દરિયા કાંઠાને ઘમરોળે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક તરફ કોસ્ટ જિલ્લાના કલેક્ટરો દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ દ્વારકા સ્થિત જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરુપે મંદિર પર અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી છે. હકીકતમાં દ્વારકા મંદિર શિખર પર દરરોજ 5 વખત 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. આજે બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતાને જોતા દ્વારકાધીશ મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરના શિખર પર અડધી કાઠીએ ધજા ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


150 ફૂટ ઊંચા શિખર ધ્વજારોહણ


અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડી હોય છે, પરંતુ દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનું કામ કરે છે. તેઓ જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર જાતે ચડીને ધજા ફરકાવે છે. ખાસ કરીને ચોમાસા અને વાવાઝોડા દરમિયાન તોફાની પવન હોય, ત્યારે મંદિરના શિખર પર ધજા ચડાવવાનું કામ જોખમી થઈ જાય છે. જો કે આવા કપરા સમયે પણ અબોટી બ્રાહ્મણ ધજા ચડાવવાનું ચૂકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કે, અગાઉ તૌકતે વાવાઝોડા સમયે તેમજ ગત વર્ષે જુલાઈ મહિનામાં મેઘ તાંડવ સમયે પણ દ્વારકાના જગત મંદિરમાં ધજા અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.


શા માટે અડધી પાટલીએ ધજા ચઢાવાય છે?


દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતાં એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસમાં પાંચ વખત ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લપસી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.