બિપોરજોય વાવાઝોડું હવે સાંજે નહીં પણ રાત્રે કરશે એટેક, રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-06-15 14:07:40

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને રાત સુધીમાં જખૌ બંદર નજીકના દરિયાકાંઠે અથડાશે. જખૌ બંદર પર હિટ કરતા પહેલા તે થોડું નબળું પડી ગયું હશે, પરંતુ તે હજુ પણ વિનાશ વેરવાની ક્ષમતા યથાવત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બુધવારે ભારે પવન અને ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ અને 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે 145 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી વધી શકે છે. હવામાન અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઈ શકે છે. 


વાવાઝોડું રાત્રે કરશે એટેક 


ઝંઝાવાતી વાવાઝોડું બિપરજોય વાવાઝોડું રાત્રે લગભગ 9.30 વાગ્યે ગુજરાતના જખૌ પોર્ટથી ટકરાઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સમુદ્ર તટથી ટકરાશે. વળી તેના માર્ગમાં પણ થોડો ફેરફાર થયો છે. તેનો રૂટ પણ કરાચી તરફ વળી ગયો છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી જાણકારી આપી છે. પવનની દિશા અને ગતિ પ્રમાણે વાવાઝોડાના સમયમાં પણ ફેરફાર થતો હોવાનું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હાલ વાવાઝોડું 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 


અમદાવાદ ફાયરની 4 ટીમ કચ્છ પહોંચી


સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.