Cyclone Michaungને લઈ દેશના અનેક રાજ્યો માટે જાહેર કરાયું Alert, નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે ચક્રવાત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 09:22:49

મોસમ શિયાળાની છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ચક્રવાત મિચોંગને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે. ચક્રવાતને કારણે ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે ચક્રવાત મિચોંગ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે.

 

ચક્રવાતને લઈ દેશના અનેક રાજ્યોમાં એલર્ટ કરાયું જાહેર

દેશનું વાતાવરણ દિવસેને દિવસે પલટાઈ રહ્યું છે. વરસાદ ગમે ત્યારે વરસી શકે છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જોઈએ તેવો વરસાદ નથી આવતો પરંતુ શિયાળામાં અથવા તો ઉનાળામાં કમોસમી વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યારે દેશના અનેક રાજ્યો પર ચક્રવાત મિચોંગનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદ ખૂબ વધારે તેજ બન્યો છે. દિલ્હીથી લઈ તમિલનાડુ સુધી વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મિચોંગને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર છે.    

અનેક ટ્રેનો કરાઈ રદ્દ!

ચક્રવાતને લઈ હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત મિચોંગને કારણે દેશના ત્રણ રાજ્યો પર સંકટ વધ્યું છે. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત મિચોંગ આજે એટલે કે 5 ડિસેમ્બરે નેલ્લોર અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ટકરાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ ચક્રવાતને કારણે તમિલનાડુની અનેક શાળામાં રજા જાહેર કરવામાં આવી, ચેન્નાઈ જતી ફ્લાઈટ તેમજ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

મધ્યમથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે વ્યક્ત 

પૂર્વ તેલંગાણા તેમજ ઓડિશાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ ચક્રવાતની અસર તમિલનાડુ, કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગો તેમજ દક્ષિણ ઝારખંડના અનેક ભાગો પર થઈ શકે છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે