Cyclone Michaungને લઈ દેશના અનેક રાજ્યો માટે જાહેર કરાયું Alert, નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે ચક્રવાત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 09:22:49

મોસમ શિયાળાની છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ચક્રવાત મિચોંગને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે. ચક્રવાતને કારણે ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે ચક્રવાત મિચોંગ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે.

 

ચક્રવાતને લઈ દેશના અનેક રાજ્યોમાં એલર્ટ કરાયું જાહેર

દેશનું વાતાવરણ દિવસેને દિવસે પલટાઈ રહ્યું છે. વરસાદ ગમે ત્યારે વરસી શકે છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જોઈએ તેવો વરસાદ નથી આવતો પરંતુ શિયાળામાં અથવા તો ઉનાળામાં કમોસમી વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યારે દેશના અનેક રાજ્યો પર ચક્રવાત મિચોંગનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદ ખૂબ વધારે તેજ બન્યો છે. દિલ્હીથી લઈ તમિલનાડુ સુધી વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મિચોંગને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર છે.    

અનેક ટ્રેનો કરાઈ રદ્દ!

ચક્રવાતને લઈ હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત મિચોંગને કારણે દેશના ત્રણ રાજ્યો પર સંકટ વધ્યું છે. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત મિચોંગ આજે એટલે કે 5 ડિસેમ્બરે નેલ્લોર અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ટકરાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ ચક્રવાતને કારણે તમિલનાડુની અનેક શાળામાં રજા જાહેર કરવામાં આવી, ચેન્નાઈ જતી ફ્લાઈટ તેમજ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

મધ્યમથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે વ્યક્ત 

પૂર્વ તેલંગાણા તેમજ ઓડિશાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ ચક્રવાતની અસર તમિલનાડુ, કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગો તેમજ દક્ષિણ ઝારખંડના અનેક ભાગો પર થઈ શકે છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.