આગામી દિવસોમાં Gujaratમાં આવશે આંધી-વંટોળ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી? ક્યાં કેટલું નોંધાયું તાપમાન જાણો...


  • Published By :
  • Published Date : 2024-05-31 11:38:38

ગરમીથી થોડા દિવસોની અંદર છૂટકારો મળી શકે છે.. કારણ કે કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે.. કેરળમાં મોનસુન પ્રવેશી ગયું છે એટલે થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ જશે.. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં આના કરતા વધારે ગરમીનો પારો ઘટશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. પરંતુ અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું અથવા તો તેનાથી નીચે નોંધાયું છે... 


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.. આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક જગ્યાઓનું તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાતું હતું પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે.. ગુરૂવારે સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયું હતું અને તે હતું 43.7 ડિગ્રી. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા, પાટણ  અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં વંટોળ આવી શકે છે.. ભારે પવન ફૂંકાવવાની સંભાવનાઓ રહેલી છે.. 


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 42.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.3 જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.. કંડલા એરપોર્ટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.1, ભાવનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું.. સુરેન્દ્રનગરનું તાપમાન 43.7 ડિગ્રી જ્યારે કેશોદનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો..     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.