આગામી દિવસોમાં Gujaratમાં આવશે આંધી-વંટોળ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી? ક્યાં કેટલું નોંધાયું તાપમાન જાણો...


  • Published By :
  • Published Date : 2024-05-31 11:38:38

ગરમીથી થોડા દિવસોની અંદર છૂટકારો મળી શકે છે.. કારણ કે કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે.. કેરળમાં મોનસુન પ્રવેશી ગયું છે એટલે થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ જશે.. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં આના કરતા વધારે ગરમીનો પારો ઘટશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. પરંતુ અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું અથવા તો તેનાથી નીચે નોંધાયું છે... 


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.. આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક જગ્યાઓનું તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાતું હતું પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે.. ગુરૂવારે સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયું હતું અને તે હતું 43.7 ડિગ્રી. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા, પાટણ  અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં વંટોળ આવી શકે છે.. ભારે પવન ફૂંકાવવાની સંભાવનાઓ રહેલી છે.. 


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 42.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.3 જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.. કંડલા એરપોર્ટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.1, ભાવનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું.. સુરેન્દ્રનગરનું તાપમાન 43.7 ડિગ્રી જ્યારે કેશોદનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો..     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.