કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ત્રાટકશે ચક્રવાત! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-02 16:22:27

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં ભલે હાલ ચોમાસુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 6થી 9 જૂનમાં ચક્રવાત ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


ચક્રવાતને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ચક્રવાત સક્રિય થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂક્કું રહેશે. આજ સાંજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. 

  

આ જગ્યાઓ પર વરસશે વરસાદ!

આગાહી મુજબ 2 અને 3 જૂને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. ત્રણ જૂનના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં 4 જૂને વરસાદ વરસી શકે છે. જ્યારે પાંચ જૂને પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મહત્વનું થે કે આ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.