કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ત્રાટકશે ચક્રવાત! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-02 16:22:27

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં ભલે હાલ ચોમાસુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 6થી 9 જૂનમાં ચક્રવાત ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


ચક્રવાતને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ચક્રવાત સક્રિય થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂક્કું રહેશે. આજ સાંજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. 

  

આ જગ્યાઓ પર વરસશે વરસાદ!

આગાહી મુજબ 2 અને 3 જૂને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. ત્રણ જૂનના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં 4 જૂને વરસાદ વરસી શકે છે. જ્યારે પાંચ જૂને પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મહત્વનું થે કે આ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.