રાણી એલિઝાબેથના નિધન પર મુંબઈના ડબ્બાવાલાઓએ શોક વ્યક્ત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:41:32

બ્રિટેનના મહારાણીના અવસાન બાદ અનેક દેશોના વડાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા એવા મુંબઈના ડબ્બાવાલાઓએ એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ડબ્બાવાળા અને રાજપરિવાર વચ્ચેનો સંબંધ

ગુરૂવારના દિવસે ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું. 96 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા વિશ્વભરમાં શોકની લાગણી જોવા મળી હતી. ત્યારે બ્રિટિશ રાજપરિવાર સાથે અનેરો સંબંધ ધરાવતા એવા મુંબઈ ડબ્બાવાળાઓ પણ શોકમાં ડુબી ગયા છે. એસોસિએશનના ચેરમેન સુભાષ તાલેકરે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારથી તેમની સાથે સંબંધની શરૂઆત થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તેઓ તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા.


ડબ્બાવાળાઓની આ શરતો માન્યા બાદ થઈ મુલાકાત 

આમ તો મોટા વ્યક્તિની શરતો પ્રમાણે મુલાકાત થતી હોય છે પરંતુ આ મુલાકાતમાં પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓના શરતોને આધીન મુલાકાત કરી હતી. પહેલી શરત કે બધાને ટિફિન પહોંચાડ્યા બાદ બચેલા સમયમાં પ્રિન્સ સાથે મુલાકાત કરશે. ઉપરાંત પ્રિન્સ પોતે તેમને મળવા આવે. આ બન્ને શરતો માની પ્રિન્સે તેમની સાથે મુલાકાત કરી હતી અને કઈ રીતે આટલું મોટું નેટવર્ક ચલાવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલાના લગ્નમાં ડબ્બાવાળાઓએ આપી હાજરી 

ડબ્બાવાળાઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ પ્રિન્સ ચાર્લ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પોતાના લગ્નમાં ડબ્બાવાળાઓને નિમંત્રણ પાઠવ્યું હતું, તેમના લગ્નમાં 2 લોકોએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજવી પરિવારના પદ્મિની દેવી તેમજ ડબ્બાવાળાઓએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો. ઉપરાંત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન વખતે ડબ્બાવાળાઓએ પ્રિન્સને કુર્તો,પાયજામો અને મહારાષ્ટ્રીયન પાઘડી ભેટ આપી હતી. તેમજ મર્કેલને હાથની બનેલી સાડી ભેટમાં આપી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.