રાણી એલિઝાબેથના નિધન પર મુંબઈના ડબ્બાવાલાઓએ શોક વ્યક્ત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:41:32

બ્રિટેનના મહારાણીના અવસાન બાદ અનેક દેશોના વડાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા એવા મુંબઈના ડબ્બાવાલાઓએ એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ડબ્બાવાળા અને રાજપરિવાર વચ્ચેનો સંબંધ

ગુરૂવારના દિવસે ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું. 96 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા વિશ્વભરમાં શોકની લાગણી જોવા મળી હતી. ત્યારે બ્રિટિશ રાજપરિવાર સાથે અનેરો સંબંધ ધરાવતા એવા મુંબઈ ડબ્બાવાળાઓ પણ શોકમાં ડુબી ગયા છે. એસોસિએશનના ચેરમેન સુભાષ તાલેકરે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારથી તેમની સાથે સંબંધની શરૂઆત થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તેઓ તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા.


ડબ્બાવાળાઓની આ શરતો માન્યા બાદ થઈ મુલાકાત 

આમ તો મોટા વ્યક્તિની શરતો પ્રમાણે મુલાકાત થતી હોય છે પરંતુ આ મુલાકાતમાં પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓના શરતોને આધીન મુલાકાત કરી હતી. પહેલી શરત કે બધાને ટિફિન પહોંચાડ્યા બાદ બચેલા સમયમાં પ્રિન્સ સાથે મુલાકાત કરશે. ઉપરાંત પ્રિન્સ પોતે તેમને મળવા આવે. આ બન્ને શરતો માની પ્રિન્સે તેમની સાથે મુલાકાત કરી હતી અને કઈ રીતે આટલું મોટું નેટવર્ક ચલાવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલાના લગ્નમાં ડબ્બાવાળાઓએ આપી હાજરી 

ડબ્બાવાળાઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ પ્રિન્સ ચાર્લ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પોતાના લગ્નમાં ડબ્બાવાળાઓને નિમંત્રણ પાઠવ્યું હતું, તેમના લગ્નમાં 2 લોકોએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજવી પરિવારના પદ્મિની દેવી તેમજ ડબ્બાવાળાઓએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો. ઉપરાંત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન વખતે ડબ્બાવાળાઓએ પ્રિન્સને કુર્તો,પાયજામો અને મહારાષ્ટ્રીયન પાઘડી ભેટ આપી હતી. તેમજ મર્કેલને હાથની બનેલી સાડી ભેટમાં આપી હતી.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .