રાણી એલિઝાબેથના નિધન પર મુંબઈના ડબ્બાવાલાઓએ શોક વ્યક્ત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:41:32

બ્રિટેનના મહારાણીના અવસાન બાદ અનેક દેશોના વડાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા એવા મુંબઈના ડબ્બાવાલાઓએ એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ડબ્બાવાળા અને રાજપરિવાર વચ્ચેનો સંબંધ

ગુરૂવારના દિવસે ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું. 96 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા વિશ્વભરમાં શોકની લાગણી જોવા મળી હતી. ત્યારે બ્રિટિશ રાજપરિવાર સાથે અનેરો સંબંધ ધરાવતા એવા મુંબઈ ડબ્બાવાળાઓ પણ શોકમાં ડુબી ગયા છે. એસોસિએશનના ચેરમેન સુભાષ તાલેકરે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારથી તેમની સાથે સંબંધની શરૂઆત થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તેઓ તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા.


ડબ્બાવાળાઓની આ શરતો માન્યા બાદ થઈ મુલાકાત 

આમ તો મોટા વ્યક્તિની શરતો પ્રમાણે મુલાકાત થતી હોય છે પરંતુ આ મુલાકાતમાં પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓના શરતોને આધીન મુલાકાત કરી હતી. પહેલી શરત કે બધાને ટિફિન પહોંચાડ્યા બાદ બચેલા સમયમાં પ્રિન્સ સાથે મુલાકાત કરશે. ઉપરાંત પ્રિન્સ પોતે તેમને મળવા આવે. આ બન્ને શરતો માની પ્રિન્સે તેમની સાથે મુલાકાત કરી હતી અને કઈ રીતે આટલું મોટું નેટવર્ક ચલાવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલાના લગ્નમાં ડબ્બાવાળાઓએ આપી હાજરી 

ડબ્બાવાળાઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ પ્રિન્સ ચાર્લ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પોતાના લગ્નમાં ડબ્બાવાળાઓને નિમંત્રણ પાઠવ્યું હતું, તેમના લગ્નમાં 2 લોકોએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજવી પરિવારના પદ્મિની દેવી તેમજ ડબ્બાવાળાઓએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો. ઉપરાંત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન વખતે ડબ્બાવાળાઓએ પ્રિન્સને કુર્તો,પાયજામો અને મહારાષ્ટ્રીયન પાઘડી ભેટ આપી હતી. તેમજ મર્કેલને હાથની બનેલી સાડી ભેટમાં આપી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .