ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaને આ શરતે મળ્યા જામીન, શરતી જામીન મળતા Gopal Italiyaએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 11:44:42

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં હતા. ચૈતર વસાવા ભલે જેલમાં હતા પરંતુ તેમના સમર્થનમાં અનેક વખત આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી છે. આપ દ્વારા પણ અનેક વખત પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા ભરૂચની સરહદમાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

14 ડિસેમ્બરે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. વન વિભાગના કર્મચારીને ધમકાવવા બદલ તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. પરંતુ 14 ડિસેમ્બરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન ધારાસભ્ય હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા.



અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે અને કાર્યકર્તાઓને આ અંગે કામ કરવા અપીલ કરી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભામાં સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. 



ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાએ કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાને જામીન મંજૂર થતા સમાજના લોકોમાં તેમજ આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.