ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaને આ શરતે મળ્યા જામીન, શરતી જામીન મળતા Gopal Italiyaએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 11:44:42

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં હતા. ચૈતર વસાવા ભલે જેલમાં હતા પરંતુ તેમના સમર્થનમાં અનેક વખત આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી છે. આપ દ્વારા પણ અનેક વખત પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા ભરૂચની સરહદમાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

14 ડિસેમ્બરે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. વન વિભાગના કર્મચારીને ધમકાવવા બદલ તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. પરંતુ 14 ડિસેમ્બરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન ધારાસભ્ય હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા.



અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે અને કાર્યકર્તાઓને આ અંગે કામ કરવા અપીલ કરી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભામાં સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. 



ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાએ કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાને જામીન મંજૂર થતા સમાજના લોકોમાં તેમજ આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે