ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaને આ શરતે મળ્યા જામીન, શરતી જામીન મળતા Gopal Italiyaએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-23 11:44:42

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં હતા. ચૈતર વસાવા ભલે જેલમાં હતા પરંતુ તેમના સમર્થનમાં અનેક વખત આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી છે. આપ દ્વારા પણ અનેક વખત પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા ભરૂચની સરહદમાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

14 ડિસેમ્બરે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. વન વિભાગના કર્મચારીને ધમકાવવા બદલ તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. પરંતુ 14 ડિસેમ્બરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન ધારાસભ્ય હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા.



અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે અને કાર્યકર્તાઓને આ અંગે કામ કરવા અપીલ કરી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભામાં સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. 



ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાએ કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાને જામીન મંજૂર થતા સમાજના લોકોમાં તેમજ આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.