ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaને આ શરતે મળ્યા જામીન, શરતી જામીન મળતા Gopal Italiyaએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 11:44:42

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં હતા. ચૈતર વસાવા ભલે જેલમાં હતા પરંતુ તેમના સમર્થનમાં અનેક વખત આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી છે. આપ દ્વારા પણ અનેક વખત પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા ભરૂચની સરહદમાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

14 ડિસેમ્બરે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. વન વિભાગના કર્મચારીને ધમકાવવા બદલ તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. પરંતુ 14 ડિસેમ્બરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન ધારાસભ્ય હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા.



અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે અને કાર્યકર્તાઓને આ અંગે કામ કરવા અપીલ કરી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભામાં સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. 



ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાએ કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાને જામીન મંજૂર થતા સમાજના લોકોમાં તેમજ આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.