Dahegam : ગણપતિ પંડાલમાં થઈ તોડફોડ, લોકો પર ગાડી ચઢાવવાનો કરાયો પ્રયાસ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-28 15:58:41

ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે આજે ગણપતિ બાપ્પાની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ  સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્યાંક ગરબાનું આયોજન તો ક્યાંક ડાયરાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગઈકાલે દહેગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ થતા ગણેશ પંડાલમાં તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર પાર્કિંગને લઈ આ મામલો બન્યો હતો.

દેહગામમાં ગણેશ પંડાલમાં થઈ મારામારી 

અનેક જગ્યાઓ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને લાવવામાં આવે છે. ભક્તિથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ અનેક જગ્યાઓ પર કરવામાં આવે છે. ત્યારે બુધવાર રાત્રે દેહગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં મારામારીની ઘટના બની છે. ગણેશ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાનો આનંદ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

 ગાંધીનગર: આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે બુધવારે મોડી રાતે દહેગામમાં ગણેશ મહોત્સવના ડાયરામાં પાર્કિંદ અંગે બબાલ થઈ હતી. ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. બે જૂથો વચ્ચે મારામારી થતા તંગદિલી ફેલાઇ હતી. જેમાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આટલું જ નહીં મહોત્સવમાં હાજર લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસનો આક્ષેપ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. બુધવારે રાતે ગણેશ ઉત્સવમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા. દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ તોફાની તત્વો દ્વારા મારામારી અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ અને ગાડીઓના કાચ તોડ્યા હતા. સમગ્ર ઘટનામાં ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી. હાલ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

ગણેશ પંડાલમાં વાહનોની કરાઈ તોડફોડ   

ડાયરામાં અચાનક શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. મારામારી તેમજ તોડફોડ ગણેશ પંડાલમાં કરવામાં આવી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગાડી ચાલક ગાડી લઈને ગણપતિ પંડાલમાં આવી પહોંચ્યો હતો અને તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી. લોકો પર હુમલો કરવાનો પ્રયાસ પણ તેના દ્વારા કરવામાં આવ્યો હતો. 

 આ મારામારી બાદ સ્થાનિકોમાં રોષ છવાયો હતો. સ્થાનિકોએ આ ઘટનામાં ઘણાં જ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેમના આરોપ મુજબ નામચીન બુટલેગરે ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો. બુટલેગરે હાજર લોકો પર પોતાની ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બુટલેગરે ત્યાં હાજર એક વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવા માટે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું હતું.

 જ્યારે અન્ય સ્થાનિકો એમ પણ જણાવી રહ્યા છે કે, આ બબાલ પાર્કિંગને કારણે નહીં પરંતુ જૂની અદાવતને કારણે થઇ હતી. આ અંગે પોલીસ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ મામલે હાથ ધરી તપાસ 

આ મારામારી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે કાર ચાલક દ્વારા લોકોને ઘાયલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે બુટલેગર છે. ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણેશ પંડાલમાં હાજર લોકો પર ગાડી ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કોઈ એવું પણ કહી રહ્યું છે કે પાર્કિંગને કારણે આ મારામારી તેમજ તોડફોડ થઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.